________________
૫૦
શ્રી વિમલનાથ ચરિત્ર. * પ્રમાણે હૃદયમાં ચિંતવી તે રત્નકુમાર વિચાર કરતો હતો, તે સ્થલે નગરમાંથી ચાર વેપારી વણિકો આવ્યા. રત્નચૂડે તે ચારે વણિકનો આસન તથા માન વિગેરેથી ઘણો સત્કાર કર્યો, તે પછી પૂર્ણ બુદ્ધિના ભંડાર રૂ૫ એવા તે ચારે વણિકે મધુર આલાપથી આ પ્રમાણે છેલ્યા, “હે કુમારેન્દ્ર, તમે ક્યાંથી આવ્યા? તમારા પિતા કેણ છે અને તેમનું નામ શું છે ? તે કહે અને તે જાણવાની ઘણું ઉત્કંઠા છે. તમારા દર્શનથી અમારા ચિત્તમાં અચિંતિત સ્નેહ ઉત્પન્ન થયે છે. તેનું કાંઈ કલ્યાણના સ્થાનરૂપ કારણ તેવું જોઈએ.” કુમાર રત્નચૂડે તે સર્વના નામ મિત્રની મારફત સ્કૂટ રીતે કહેવરાવ્યાં. કારણ કે, વિવેકી પુરૂષે પિતાનું નામ જાતે ન કહેવું જોઈએ. તેને માટે કહ્યું છે કે, “પિતાનું નામ, ગુરૂ (વડિલ) નું નામ, સ્ત્રીનું નામ અને કૃપણનું નામ લેવાથી દ્રવ્ય અને આયુષ્યને ક્ષય થાય છે.” તે મહાનુભાવ કુમારની સર્વ વાર્તા સાંભળી તે ચારે વણિકે બેલ્યા “અમારા હૃદયમાં તમારે માટે નેહ ઉત્પન્ન થયેલ છે. તે યુક્ત છે, કારણ કે, તમે અમારા રવજન છે. તમે લઘુવયના છો, તેથી હમણું તમે ઓળખતા નથી, તો પણ હાલ જે તમે અહીં આવ્યા તે બહુ સારું થયું. હે કુમારેન્દ્ર, ઉઠે, આપણે ઘેર જઈએ. તમારા જેવા વજન પૂર્વના ભાગ્યથી જ પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણ વિશ્વાસ પમાડી તેઓ રત્નસૂડને એક ઘરમાં લઈ ગયા અને ત્યાં સ્નાન, ભેજન તથા માન વિગેરેથી તેનું ગૌરવ કર્યું. ભેજન કરાવ્યા પછી તે ધુરંધર ધુતારાઓએ કુમારને કહ્યું, “હે કુમાર, તમારું શરીર ઘણું કમળ છે અને આ વેપારને વ્યવસાય કઠેર શરીરથી સાધી શકાય તે છે, એ વ્યવસાયને લઈને સમય પ્રમાણે ભજન તથા શયન પણ નહી થાયકે? આ વ્યવસાય કરતાં તમારા દેહની સ્વસ્થતા રહેશે નહિ. જે તમારી તબિયત બગડે પછી રત્નાકરશેઠને અમે શે ઉત્તર આપીએ? હવે તમારા વહાણમાં જે કાંઈ હોય, તે બધું અમને સોપી . અમો ઇચ્છિત વરતુઓથી તે તમારું વહાણ પૂર્ણ કરી દઈશું. આ પ્રમાણે સાંભળી કુમારે કહ્યું કે, વહાણમાં જેટલું હોય તે બધું લઈ જાઓ. પછી તે ચારે વણકે હર્ષથી તેનું સર્વસ્વ લઈ ગયા. તે ગ્રહણ કરીને સર્વ પિતપિતાને ઠેકાણે ચાલ્યા ગયા. આ વખતે તેમનું સૌજન્ય ક્યાં ગયું, તે કાંઈ જાણવામાં આવ્યું નહિં.
બીજે દિવસે કુમાર રત્નડ તે નગરના રાજાને મળવા ચાહે, તે વખતે કઈ પાદુકા કરનાર પુરૂષે આવી બે પાદુકા તેને ભેટ કરી, કુમારે તે કારીગરને કહ્યું કે, “આ બંને પાદુકાની કીંમત શું છે? તે કહે.” ત્યારે તેણે કહ્યું કે, “તમને ખુશ કરવા માટે મેં આ પાદુકા તમને ભેટ કરી છે. ” કુમાર બે , “જે એમ હોય તો હું તને
૧અગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org