SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ દાન દેવા ઉપર રત્નચૂડકુમારની કથા. છે. તે સિવાય ચેર, જુગારી અને ધૂતારાલકે ત્યાં ઘણા છે. જો કેઈ અજાણ્યા માણસ તે નગરમાં કદિ આવી ચડે, તો ત્યાંના લોકો તેનું સર્વસ્વ લઈ લે છે. હે વત્સ, તારે તે નગરમાં જવું નહિ, તે સિવાય બીજે સ્થળે જવું. હે શુદ્ધ બુદ્ધિવાલા પુત્ર, તે બીજે સ્થળેથી લાભ મેળવીને તારે પાછા સત્વર આવવું. શેઠના આ વચને કબુલ કરીને રત્નડ કેટી સુર્વના મૂલ્યની સારી વસ્તુઓથી એક મોટું વહાણ ભરી વિદેશમાં જવાને તૈયાર થઈ ગયે. તિષને જાણનારા જોષીએ આપેલા શુભ ચંદ્રના બળવાલા સારે મુહ મંગળ સહિત, લેકાથી વીંટાએલા રત્નચૂડે પ્રયાણ કર્યું. જ્યારે તે ચાલે ત્યારે જલથી ભરેલો. ઘડે, દર્પણ, દહીં, વધામણા, મૃત્તિકા, ઘી, વસ્ત્ર, ધ્વજ મસ્ય, ફલ, હાથી, અશ્વ, રાજા ગાય, વત્સ, મિત્ર, વિષ્ણુ અને મધ એ વસ્તુઓ તેને સન્મુખ મલી. તે વખતે તેની ડાબી તરફ વિનાયક, ગરૂડ, ગધેડે, ઉંટ,દુર્ગા (કાલી દેવચકલી), ખચ્ચર, અશ્વ, બળદ, સારસ, અને ફેર (શિયાળુ) ના શબ્દ થયા. તે મહાશયને જમણી તરફ વૃદ્ધ વિનાયક (ગરૂડ) આગળ હસ્તી અને પાછળ ગીધપક્ષી બોલ્યા. કાલીયારમૃગ, શ્વાન, મધુર સ્વરવાલે કાગડો, તેની જમણી તરફથી ડાબી તરફ થયાં. ભમરા, હરિણ, દુર્ગા, નળીયે. બપૈયો અને ખંજન પક્ષી તેની ડાબી તરફથી જમણી તરફ ગયા. આવા શુભ શુકનથી હર્ષવાનું થયેલે તેને પિતા થોડેક દુર સુધી રત્નચૂડને વળાવીને ક્ષીર વૃક્ષ પાસેથી પાછા ઘેર આવ્યું. કહ્યું છે કે, “પિતા, સદ્ગુરૂ, મિત્ર, પુત્ર, શિષ્ય અને બાંધવ તેમાંથી જેનું સત્વર પાછું આગમન ઇચ્છવું હોય તેની પાછળ દૂરસુધી વલાવાને જવું નહિ.” તે પછી પુત્ર રત્નચૂડ પાંચ શદવાળા વાજિત્ર, છત્ર, પતાકા અને ચામર સહિત વહાણ ઉપર બેસી પિતાના નઝમાંથી ચા.સારા પવનને લઈને શીઘ ચાલતા એવા વહાણવડે તે રત્નચૂડ કેટલેક દિવસે સમુદ્રના કઈ દ્વિીપમાં જઈ પહોંચ્યા. તે દ્વીપને જોતાંજ વહાણના સર્વ ઉતારૂઓ ખુશી થઈ ગયા. પછી ખલાસી તે વહાણને કાંઠા ઉપર લાવ્યો. ત્યાં રત્નચૂડકુમાર તે વહાણને જળમાં રાખી તે ઉપરથી નીચે ઉતરી પડશે. પછી કાંઠા ઉપર એક તંબુ નખાવીને રહ્યા. તેવામાં સુબુદ્ધિકુમારે એક પુરૂષને સમીપે રહેલે દેખી પુછયું કે, “આ દ્વીપનું શું નામ છે? આ નગરનું શું નામ છે અને તેમાં રાજા કોણ છે?” તેનું આ વચન સાંભળી તે પુરૂષ બલ. “હે સુંદર, મારું વચન સાંભળો, આ દ્વીપનું નામ ચિત્રકૂટ છે અને નગરનું નામ અનીતિપુર છે. આ નગરમાં વિશ્વમાં વિખ્યાત એવો અન્યાય નામે રાજા છે.” તે પુરૂષના વચનો સાંભળી કુમારે હૃદયમાં ચિંતવ્યું કે, મારા પિતાએ મને જ્યાં જવા માટે ના કહી, તેજ સ્થળે હું દેવગે આવી ચડ્યો. તથાપિ મને અહિં ઘણો લાભ થશે, તેમાં કઈ જાતને સંશય નથી. કારણ કે, હું જ્યારે ચાલ્યું ત્યારે મારા હૃદયમાં ઉત્સાહ, સારા શુકને અને સમુદ્રમાં અનુકુળપવન એ સર્વ શુભ સૂચન થયું હતું. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy