SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ શ્રીવિમળનાથ ચરિત્ર, એલિખીતાની સાથે મધ્યાનડે અને રાત્રે માર્ગે ચાલવું નહિ. લક્ષ્મીને ઈચ્છનારે શ્રીમાન પુરૂષ શુભને પ્રાપ્ત થયું હોય તે પણ તેણે પાડા, ગધેડા ઊંટ અને બેલ ઉપર સ્વારી કરવી નહીં. હસ્તીથી એક હજાર હાથ, ગાડાથી પાંચ હાથ અને ઘોડાથી તથા શીંગડાવાળા પ્રાણીઓથી દશ હાથે દૂર ચાલવું. જીર્ણ થઈ ગયેલા વાહન ઉપર ચડવું નહીં, નદીમાં એકલા પેસવું નહીં, અને સહોદર બંધુની સામે કદિપણ રસ્તે ચાલવું નહીં. સારા હૃદયવાળા મુસાફરે રસ્તામાં શ્રમિત થયા છતાં પિતાનું કર્તવ્ય કર્મ ચૂકવું નહીં. તેમજ પોતાને પાળવા ગ્ય એવા નિયમો પાળવા; નહિ તે તે પુરૂષ ભ્રષ્ટ થઈ જાય છે. હવે મુસાફરને જોવા ગ્ય અને નહીં જેવા યોગ્ય વસ્તુ વિષેને કેમ કહે છે મુસાફરે તીર્થ, દેશ, વસ્તુઓ, પ્રાતઃકાળે પિતાને હાથ, પ્રોઢ પુરૂ, શુકને અને છાયાપુરૂષ (પડછાયે) વિલકવાવિદ્વાન પુરૂષે હમેશાં સૂર્યચંદ્રનું ગ્રહણ, જળ વર્ષવાને વખતે માટે યુવા અને સંધ્યાકાળે આકાશ જેવું નહિ. કન્યાની નિ, પશુઓની કીડા, અદ્ભુત રૂપવાલી નગ્ન સ્ત્રી, સભાગ અને શિતકાર જોવા નહિ. જળ, તેલ, હથીયાર, મૂત્ર અને રૂધિરની અંદર વિદ્વાન પુરૂ પોતાનું મુખ જેવું નહીં, કારણ કે તેથી આયુષ્યને ક્ષય થાય છે. હવે વિશેષ ઉપદેશને કેમ કહે છે. હે વત્સ, પ્રતિ વર્ષે પિતાના દ્રવ્યને અનુસરે સ્વગુરૂ, જ્ઞાતિના વૃદ્ધ માણસે અને સાધમિક બંધુઓની ભકિત કરવી, વિવેકી પુરૂષે પ્રતિવર્ષ તીર્થયાત્રા કરવી અને સદ્ગરૂની સમક્ષ આલોચના લેવી. હે પુત્ર, જ્યાં બાલરાજાનું, સ્ત્રીનું, બે રાજાનું અને મૂર્ખ રાજાનું રાજ્ય ચાલતું હોય, ત્યાં રહેવું નહિ. હે પુત્ર, જે રાજ્યમાં રાજા સારા હોય. વેપારીઓ સારા હોય અને બધા કે વ્યવહારપરાયણ હોય, તેવા રાજ્યમાં તારે રહેવું. આટલું કહ્યા પછી રત્નાકર શેઠ ફરીથી બોલ્યા. હે વત્સ, મેં તને જે આ શિક્ષા આપી છે, તે સર્વ માણસને સરખી રીતે લાગુ પડે તેવી છે. હવે તને ખાસ વિશેષપણે કહું છું તે સાંભળ. સમુદ્રની અંદર બધા મળીને સવાલાખ દ્વિીપ છે, તેની અંદર કેટલાએક પ્રગટ છે અને કેટલાએક અપ્રગટ છે. તેમાં પ્રગટ એવા દ્વિીપની અંદર ચિત્રક્ટ નામનો એક દ્વીપ છે, તે ધૂતારા લેકના સ્થાન રૂપ છે. તેમાં અનીતિપુર નામનું વિસ્તારવાળું નગર છે. તે નગરની અંદર અન્યાય નામે રાજા, અવિચારક નામે મંત્રી, સર્વગ્રાહિ નામે કેટવાળ અને અશાંતિ નામે પુરહિત છે. વળી તે નગરમાં ગૃહીતભક્ષક નામે નગરશેઠ, મૂલનાશક નામે તેને પુત્ર, યમઘંટા નામે અકકા અને રણવંટા નામે તેની પુત્રી વેશ્યા રહે છે. આ પ્રમાણે રાજા વિગેરે સર્વ યાં પિતયેતના નામ પ્રમાણે ગુણવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy