________________
દાન દેવા ઉપર રત્નડકુમારની કથા
કે હું તેને ઉપાય કરું.” પછી પિતાના પિતાને થતું દુઃખ દૂર કરવા માટે રચૂડે અંજલિ જેડી જણાવ્યું. “હે તાત, દ્રવ્ય ઉપાર્જન કરવા માટે દેશાંતરમાં જવાની મારી ઈચ્છા છે.” પુત્રનું આ વચન સાંભળી તે ઉત્તમશેઠ બોલ્યો. “હે વત્સ, આપણી ઘરમાં ઘણું દ્રવ્ય છે, તેનાથી તું તારી ઈચ્છા પુરી કર. વિદેશમાં જનાર મનુષ્યોને હુમલો કરનાર, ચોર, શત્રુ, રાજા અને ધૂતારા લેકેથી સર્વ પ્રકારના ભયે ઉત્પન્ન થાય છે. વળી તું શરીર સુકુમાર છે અને વિદેશ તો કઠણ માણસને પ્રિય થાય છે. તું મુગ્ધબુદ્ધિવાળો (ભેળો) છે અને પરદેશ લુચ્ચા લેકેથી ભરપૂર છે. પૃથ્વી ઉપર સુવું, એકાસણું કરવું, બ્રહ્મચર્ય પાળવું અને ટાઢ વિગેરે સહન કરવા એ ઉપદ્રો મુસાફર અને મુનિને સરખા છે પરંતુ મુસાફરને અધર્મથી અને મુનિને ધર્મથી હોય, એટલે તેમાં તફાવત છે. હે વત્સ, તેથી મુસાફરને થતા દુઃખ અને અધર્મને જાણી એવી ઈચ્છાને છોડી દે.” પુત્ર ફરીવાર બોલે, હે પૂજ્ય, મારૂં વચન સાંભળે, હું વિદેશમાં જઈ નો વૈભવ મેળવીને આવીશ, ત્યારે જ હું દાન ભેગુ કરીશ. તે સિવાય કરીશ નહીં.” પિતા બોલ્યો. “હે વત્સ, જે તારે વિદેશમાં જવું હોય, તે હું તને જે શિક્ષા આપું, તે એકાંત ચિત્તથી સાંભળ:-પ્રથમ ચાલવાને કમ આ પ્રમાણે છે. તે ઉમે કેઈ ઠેકાણે કામ વગર જવું નહીં. ચાલતાં ચાલતાં એક તાંબુલ શિવાય બીજું કાંઈ ખાવું નહીં. સારી બુદ્ધિવાળા મુસાફરે પોતાના દેહની અને જંતુઓની રક્ષા કરવા માટે યુગમાત્ર દષ્ટિ રાખી પગલે પગલે જતાં ચાલવું. કાર્યને અર્થે ચાલનારા માણસે પોતાના સ્થાનથી ચાલતાં જે નાડી ચાલતી હોય, તે નાડી તરફ પગ પ્રથમ ઉપાડ કે જેથી કરીને ઇચ્છિત કાર્યની સિદ્ધિ થાય છે. ડાહ્યા માણસે રોગી, વૃદ્ધ, અંધ, પૂજ્ય, બાળક, ગાય, રાજા, બોજાવાળે માણસ અને ગર્ભિણી સ્ત્રી જે સામે મળે, તે તેમને રસ્તો આપીને ચાલવું. ત્યાગ કરેલ નિર્માલ્ય, શુક, નહાવાનું પાણી, રૂધિર, વિષ્ટા, બળતો અગ્નિ, મુડડું, બડો, મૂત્ર, હથીઆર, સર્પ, વ્યંતર વિગેરેની શેષા, ધાન્ય, પુષ્પ અને ફળ વિગેરે જે ચિક વિગેરેમાં પડયા હોય તે શ્રીમાન પુરૂષે તેને ઓલંગીને ચાલવું નહીં. કુશળની ઈચ્છાવાળાએ રાત્રે વૃક્ષના મૂળમાં આશ્રય કરે નહીં. ઘરમાં ઉત્સવ ચાલતો હોય તે પૂર્ણ થયા પહેલાં અને સૂતકમાં દર દેશાંતર જવાને નીકળવું નહીં. દુધ પીને, રતિક્રીડા કરીને, ઘરની સ્ત્રીને મારીને, સનાન કરીને, વમન કરીને, થુંકીને, ઉગ્ર એવા નઠારા શબ્દને સાંભળીને, અશ્રપાત કરીને, મુંડન કરાવીને અને સારા શુકનને અભાવે કદિપણ ગ્રામાંતર જવું નહીં. નદીને સામેતીરથી, દૂધવાળા વૃક્ષથી અને જળાશયથી પાછળ વળેટાવા આવતા સ્વજનને પાછા વાળીને પછી ચાલવું. રસ્તામાં આવતા અજાણ્યા ઘરમાં વાસ કરે નહિ અને ગાઢ નિદ્રા લેવી નહી. હિતની ઈચ્છા રાખનારા મુસાફરે કેઈને પણ વિશ્વાસ કરે નહીં સદબુદ્ધિવાલા મુસાફરે ભાતા વગર. કેઈની સહાય વગર, વગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org