________________
૪
શ્રીવિમલનાથ ચરિત્ર.
તે પછી શેઠે હર્ષોંથી દાન આપી સ્વજનેની સાક્ષીએ તે પુત્રનું રત્નચૂડ એવું નામ પાડયું. અતિ યત્નથી પાલન કરાતા તે પુત્ર માતાપિતાના મનારથાની સાથે વધતે વધતે આઠ વર્ષના થયા. તે પછી પિતાએ શુભ દિવસે મેટા ઉત્સવપૂર્વક કલાઓના સમૂહ શીખવવા માટે તેને પાઠશાળામાં મેકલ્યા. તે ચતુર બાળક જાણે પૂર્વે ભણેલી હાય તેમ સર્વ કળાએ પેાતાના સારા ગુરૂ પાસેથી હેલાઇથી શીખી ગયા. કારણ કે, ગુરૂની સાક્ષીએ જ્ઞાન મેળવવુ જોઇએ. માતાપિતાના પ્રસાદથી સવ ઈચ્છાએ પ્રાપ્ત કરતા તે બાળક સર્વત્ર મિત્રાની સાથે સ્વેચ્છાથી ક્રીડા કરવા લાગ્યા.
એક સમયે તે રત્નચૂડ અહંકારપૂર્વક બજારમાં જતા હતા, તેવામાં એક સાલાગ્યમ’જરી નામની ચતુર વેશ્યાના જોવામાં આળ્યે, તે વેશ્યાએ તેનું ઉત્તરાસંગ વસ્ત્ર પકડીને કામલતાથી પૂછ્યું કે, “હે ચતુર ! કહે, તુ આવા દ્રવ્યને અહ કાર કેમ રાખે છે ? સત્ય પુરૂષ તા દ્રવ્ય વધે ત્યારે ફૂલ વધવાથી વૃક્ષોની જેમ અને જલ વધવાથી મેઘની જેમ ઉલટા નમ્ર થઇ જાય છે; પણ ગર્વિષ્ઠ થતા નથી. લેાકેામાં કહેવત છે કે, પૃથ્વી અને વિણક તે અન્ને આ પૃથ્વી ઉપર દ્રષ્યને જીરવી શકે છે; તે કહેવત તે હાલ મિથ્યા કરી છે.તેમ વળી જે માણસ પોતાના બાહુથી અતુલ દ્રવ્ય મેળવી દાનતથા ભાગ કરે તે માણસ કદિ અહંકાર રાખે તો તે ઘટિત છે, પણ હેઅનઘ ! તું જે પિતાના મેળવેલા દ્રવ્યથી અહં કાર રાખે છે, તે અહંકાર અઘટિત છે. માટે હું ઉત્તમ ! તારે અત્યારે અહંકાર ન કરવા જોઇએ’ આટલું કહી તે વેશ્યા ચાલી ગઈ. પછી રત્નચૂડે પોતાના હૃદયનાં વિચાર્યું કે, “અહા ! સારી બુદ્ધિવાળી આ વેશ્યાએ જે કહ્યુ તે સત્ય છે. હવેથી જયારે ઉપાર્જન કરેલુ ઘણુ દ્રવ્ય મારી પાસે થશે અને તે દ્રવ્યમાંથી હું દાન ભેગ કરીશત્યારે મારે અહંકાર રાખવા, તે શિવાય રાખવા નહી, ’ આ પ્રમાણે વિચારી તેણે પાતાના મિત્રાને એલાવીને પૂછ્યુ કે “ મીત્રા, લક્ષ્મી ક્યાં રહે છે ?” મિત્રાએ કહ્યું. “ લક્ષ્મી કમળમાં રહેતી નથી, પણ મોટા વેપારમાં રહે છે.” આ સાંભળી તેના હૃદયમાં વેપાર કરવા માટે દેશાંતર જવાની ઇચ્છા થઈ અને તે વિષેની ચિંતા કરતા તે પેાતાને ઘેર ગયા. તેને વ્યગ્ર થયેલા જોઇ પિતાએ કહ્યું. “ હે પુત્ર! કહે, તારા મનમાં કાંઇ આધિ છે કે તારે શરીરે કાંઇ વ્યાધી છે ? અથવા કાઇ કન્યાએ તારા ચિત્તમાં વાસ કર્યાં છે? વા ફાઈ મિત્રે અથવા રાજપુત્રે તારા પરાભવ તે નથી કર્યા ? અથવા શુ તારા શરીર ઉપરનું આભૂષણ આજે કયાંર્ક પડી ગયું છે ? તું ચિંતાતુર જેવા કેમ દેખાય છે ? ” શ્રેષ્ઠીએ આ પ્રમાણે પૂછ્યું, તા પણ જ્યારે તે મૌન ધરીને રહ્યા ત્યારે શેઠે ગાઢ આગ્રહથી પુનઃ તેને કહ્યું. “પુત્ર, તારી આવી મૌન રહેવાની ચેષ્ટાથી મારૂ હૃદય આજે ઘણુ ખેદ પામે છે તેથી તું યથા કહી દે
*
ઃઃ
૧. મનની પીડા આધિ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org