________________
શ્રીવિમળનાથ ચરિત્ર - ઉપર ચડવાનું થાય, વિણાનો લેપ થાય, રૂદન અને મરણ થાય, તે સ્વપ્ન શુભ ગણાય છે. જે માણસ સ્વપ્નામાં સુવર્ણ, રાજા, હસ્તી, અશ્વ, બલદ, અને ગાયને જુવે છે, તે માણસને કુટુંબમાં ઉત્તમ પ્રકારની વૃદ્ધિ થાય છે. જે સ્વપ્નામાં તાંબુલ, મેતી, શંખ, વસ્ત્ર, દહીં, ચંદન, ડોલર તથા બોરસલીના પુષ્પ અને કમળ જોવામાં આવે તો ધનની વૃદ્ધિ થાય છે. જે માણસ સ્વપ્નામાં મહેલ ઉપર, કમળના પરા ઉપર અથવા સરેવરમાં બેસી ભજન કરે અને બે ભુજાથી સમુદ્રને તરી જાય તે માણસ રાજા થાય છે. જે સ્વપ્નામાં કન્યા, છત્ર, પાકેલું ફલ, દીવે, અત્ર એટલે ભાગ્ય વસ્તુ (ભાત-ઓદન) મેટી ધ્વજા અને અન્ન મેળવી શકે, તે માણસને ચિંતવેલા કાર્યની સિદ્ધિ થાય છે. જે મનુષ્ય સ્વપ્નામાં ઉપાન (પગરખાં) ચાખડી, અને નિર્મલ બગ જુવે છે, તેને ગ્રામાંતર જવું પડે છે. જે સ્વપ્નામાં પ્રથમ વહાણ ઉપર ચડે અને પછી તે વહાણ ભાંગી પડતાં ઉતરી પડે; તે માણસને મુસાફરી કરવી પડે છે અને મુસાફરીમાંથી ઘણું દ્રવ્ય લઇને તે પાછો આવે છે. સ્વપ્નમાં જેના દાંત પડી જાય અથવા મુખમાં સડી જાય તેને ધનને ક્ષય થાય અને તેના શરીરમાં પીડા ઉત્પન્ન થાય છે. જે સ્વપ્નમાં શય્યા અને દ્વારની ભુગળ ભાંગે તેવું જોવામાં આવે, તો તે પુરૂષની સ્ત્રીનું મરણ થાય છે અને જે સ્વપ્નામાં અંગનું છેદન જેવામાં આવે, તે માતા પિતા અને પુત્રને ક્ષય થાય છે. જે સ્વપ્નમાં સાંઢડી અને ભેંસ ઉપર બેસી દક્ષિણ દિશામાં જવાનું દેખાય તે દેહમાં વ્યાધિ ઉત્પન્ન થાય છે અને ગધેડા તથા ઊંટની સ્વારી કરી દક્ષિણ દિશામાં જવાનું દેખાય, તે મૃત્યુ થાય છે. જે સ્વપ્નમાં શરીરે તેલ ચાળવાનું જોવામાં આવે, તો રોગ થાય છે અને જે શીંગડાવાળા અને દાઢાવાળા પ્રાણીઓ ઉપદ્રવ કરતા દેખાય, તો રાજકુલ તરફથી ભય ઉત્પન્ન થાય છે. જે માણસ સ્વરમાં પીલા વસ્ત્રને ઘારણ કરનારી અને પીળા ચંદનના લેપવાળી સ્ત્રીને આલિંગન કરે તો તે માણસને કઈ હત્યા લાગે છે. જે માણસને રવમમાં કાળા તથા રાતા વસ્ત્ર ધારણ કરનારી અને કાળા તથા રાતા ચંદનના લેપવાળી સ્ત્રી આલિંગન કરે, તે માણસનું મૃત્યુ થાય છે. જે રવિગ્નમાં વેત વસ્ત્ર તથા શ્વેત (પુષ્પની) માલાને ધારણ કરનારી સ્ત્રીને આલિંગન કરે તેને લક્ષ્મી પ્રાપ્ત થાય છે, જે સ્વપ્નમાં વિશેષ ભાગે ધોળો સર્ષ અથવા બીજી જાતને સાપ કરડે; તેમજ જળ કે વીંછી કરડે તે, તે મનુષ્યને વિજય તથા દ્રવ્યને લાભ થાય છે. જે શુભ આશયવાળો પુરૂષ સ્વપ્નામાં કુકડી, ઘડી કે ચપક્ષીની માદાને જુવે તે પુરૂષને ઘેર કન્યાની ઉત્પત્તિ થાય અથવા તેને પ્રિય સ્ત્રી મળે છે. જે રેગી માણસ રવમમાં ચંદ્ર કે સૂર્યનું મંડળ જુવે તો તેના રોગની શાંતિ થઈ જાય છે અને તે નીરોગી થઈ લક્ષ્મીને સ્વામી બને છે. દેવતાઓ, પિતૃઓ, ગાયે, રાજાઓ અને સારા ત્યાગી પુષે સ્વમમાં આવીને જે કહે છે, તે પ્રમાણે થાય છે. જે માણસને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org