________________
દાન દેવા ઉપર રચૂડ્ઝમારની કથા. તે વિધિ-ધર્મની વિધિ-ક્રિયામાં રાગી હતી. જેમાં સમુદ્ર જિન-વિષ્ણુ ઉપર આસક્ત છે હોય છે, તેમ તે શ્રેષ્ઠી શ્રી જિનભગવાનમાં આસક્ત હતો. જેમાં સમુદ્ર ગંભીર-ઉડે હોય છે. તેમ તે ગંભીર સ્વભાવનો હતો. જેમ સમુદ્ર પિત–વહાણેથી યુક્ત હોય છે, તેમ તે પિત-બાળકોથી યુક્ત હતા. જેમાં સમુદ્રમણિ તથા મુક્તાફળથી વ્યાપ્ત હોય છે, તેમ તે શ્રેષ્ઠી પણ મણિઓ તથા મુકતાફળથી ભરપૂર હતો. તે શ્રેષ્ઠીના ઘરમાં વિવિધ જાતના રત્ન હતાં. તથાપિ તે ગુરૂ પાસેથી મેળવેલા જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ રત્નોને હૃદયમાંથી છોડતો ન હતો. તે રત્નાકર શ્રેષ્ઠીને જાણે દેહધારી સરસ્વતીદેવી હોય, તેવી શીલગુણથી ઉજ્વળ અને વિચાર કરવામાં ચતુર એવી સરસ્વતી નામે પ્રિયા હતી. કામ નામના પુરૂષાર્થને સરખી રીતે સેવન કરતા એવા તે રત્નાકર શેડને ધર્મ તથા અર્થને ઉપાર્જન કરતાં કરતાં કેટલાક સમય વીતી ગયે.
- એક વખતે શેઠાણી સરસ્વતી સંધ્યાકાળના પ્રતિકમણની ક્રિયા વિધિપૂર્વક કરી સુખે સુતી હતી. તેવામાં વમની અંદર એક રત્નને રાશિ તેણીના જોવામાં આવ્યું. તત્કાલ તેણી ધર્મ કર્મમાં તત્પર થઈને જાગતી રહી; કારણ કે ફલની ઈચ્છા રાખનારા મનુષ્ય શુભ સ્વપ્ન જોયા પછી સુવું ન જોઈએ. પ્રાતઃકાલ થતાં તે શેઠાણીએ તે સ્વપ્નની વાત પિતાના પતિને કહી. તે સાંભળી શ્રેષ્ઠીએ કહ્યું. “હે ભકે, આ સ્વપ્નને લઈને આપણા બંનેનું કાંઈ પણ શુભ થશે” તે પછી શ્રેણી રત્નાકરે તે સ્વપ્નના જ્ઞાનને વિશેષ બોધ થવા માટે કઈ સ્વપ્નશાસ્ત્રને જાણનારા જેપીને ઘેર જઇ ઉંચી જાતના ફલાદિકની ભેટ ધરી સ્વપ્નશાસ્ત્ર વિષે પ્રશ્ન કર્યો. એટલે તે સ્વનવેત્તાએ કહ્યું. “હે શ્રેષ્ટિનું, સ્વપ્ન નવ પ્રકારના થાય છે. ૧ ચિંતાથી, ૨ વિકારથી, ૩ અનુભવથી, સ્વભાવથી, ૫સાંભળવાથી. ૬ જેવાથી, ૭ ધર્મ કર્મ (પુન્ય થી ૮ પાપથી અને દેવતાદિકના ઉપદેશથી એમ નવ પ્રકારે સંક્ષેપથી સ્વપ્ન ઉત્પન્ન થાય છે. તેમાં પહેલા જ પ્રકારે ઉત્પન્ન થયેલા સર્વ સ્વપ્ન નિરર્થક છે. અને પાછળના ત્રણ પ્રકારે ઉતપન્ન થયેલા રવો શુભ-અશુભ ફલને આપનારા છે. રાત્રિને પહેલે પહોરે આવેલું રવીન એક વર્ષે ફલ આપે છે, બીજે પહેરે આવેલું સ્વપ્ન આઠ માસે ફલ આપે છે, ત્રીજે પહેરે આવેલું રવન ત્રણ માસે ફલ આપે છે, ચોથે પહોરે આવેલું રવપ્ન એક માસે ફલ આપે છે, અરૂણોદયે આવેલું સ્વપ્ન દશ દિવસે ફલ આપે છે અને સૂર્યોદય વખતે આવેલું રવ તત્કાલ શુભાશુભ ફલ આપે છે. જે માલા સ્વપ્ન એટલે ઉપરા ઉપર રન જોવામાં આવે છે, તે મલમૂત્ર વિગેરની પીડાથી ઉત્પન્ન થાય છે તેથી તે નિચે કાંઈ પણ ફલ આપનારૂં થતું નથી. જે પ્રથમ શુભ સ્વપ્ન આવે અને પાછળથી અશુભ વન આવે અથવા પહેલું અશુભ અને પાછળથી શુભ સ્વપ્ન આવે તો જે પાછળનું સ્વપ્ન આવે તે પ્રમાણે ફક્ત મળે છે. એટલે પહેલું સ્વપ્ન નિરર્થક થાય છે. સ્વનામાં વૃક્ષ, બલદ, હસ્તી, પર્વત, મહેલ અને અશ્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org