________________
૪
.
દાન દેવા ઉપર-રત્નચૂડકુમારની કથા. મેરૂ પર્વત છે. તેનાથી મોટી પૃથ્વી છે. પૃથી મેટ સમુદ્ર છે. સમુદ્રથી માટે અગસ્તિ છે. અગસ્તિથી મેટું આકાશ છે. આકાશથી મેટ સુર્ય છે. સૂર્યથી મોટો અંધકાર છે. અંધકારથી મોટું સુદર્શન ચક્ર છે અને તેનાથી મટે વિપણને હાથ છે. તે હાથ પણ દાતારના હાથની નીચે આવે છે. એમ લોકોમાં સંભળાય છે. આ વિશ્વની અંદર સર્વ ગુણેના આધારરૂપ એવા પુરૂષનું પરાક્રમ ત્યાગ-દાનને અનુસરેલા માર્ગણોના સમૂહના મુખથી વિખ્યાતિ પામે છે. જેમ દીપથી અંધકારમાં રહેલે પણ વસ્તુઓને સમૂહ પ્રકાશમાન થાય છે, તેવી રીતે એક વાનના ગુણથી બીજા સર્વ ગુણે પ્રકાશમાન થાય છે. પણ દાનનો ગુણ બીજા ગુણોથી પ્રકાશમાન થતું નથી. જેમ વર્ષાઋતુમાં જ્યાં વરસાદ વર્ષે ત્યાં તે વરસાદ શસ્યની સંપત્તિને માટે થાય છે. તેવી રીતે પૃથ્વીમાં જ્યાં દાન અપાય ત્યાં તે દાન શયસંપત્તિને માટે થાય છે. જેમ વૃક્ષમાં કલ્પવૃક્ષપણું, ગામાં કામધેનપણું, મણિઓમાં ચિંતામણિપણું અને કુંભમાં કામકુંભપણું, રહેલું છે તેઓની તે યશવૃદ્ધિ પિતાપિતાની જાતિમાં દાનને લઈને થયેલી છે. તેવી રીતે મનુષ્યોને પણ સ્વજાતિ અને પરજાતિમાં દાનને લઈને યશવૃદ્ધિ થાય છે. જે મનુષ્ય શીલ વિગેરે ગુણોને ધારણ કરનારે હોય તે એકલ-પિતે જ આ સંસાર સમુદ્રને તરી જાય છે અને દાનના ગુણથી તો દાતા અને દાન ગ્રહણ કરનાર બંને આ સંસાર સમુદ્રને તરી જાય છે. તેથી સર્વથી દાનધર્મ અધિક છે. દાનથી વિપત્તિઓ દૂર થાય છે અને પગલે પગલે સંપત્તિઓ પ્રાપ્ત થાય છે. તેમજ દાનથી શત્રુ મિત્ર થઈ જાય છે અને જે વિષમ-સંકટ હોય તે સમ–શાંત થઈ જાય છે. દાન આપવાથી રત્નચૂડકુમારની જેમ કીર્તિ, મહત્તા અને આનંદ અવશ્ય પ્રાપ્ત થાય છે તે સાથે આ સમગ્ર જગત્ પણ વશ થઈ જાય છે.
રત્નચૂડકુમારની કથા. આ 8 ભરત ક્ષેત્રમાં મધ્યમંડને વિષે આભૂષણરૂપ તામલિની નામે એક ઉત્તમ ૪૭૦ નગરી સમુદ્રના તીર ઉપર આવેલી હતી. તેની અંદર સત્પના મનોરથના S જેવા ઉંચી જાતના, વિબુધના આધારરૂપ અને બહુ પ્રકારે સુધાથી
૧ પુરૂષનું પરાક્રમ ત્યાગને અનુસરે લા એટલે છોડેલા માગણ–બાણના સમૂહથી વિખ્યાત થાય છે. દાતારપક્ષે જેમને દાન આપવામાં આવે તેવા માર્ગણો–વાચકે તે દાતારની વિખ્યાતિ કરે છે. ૨ વર્ષાદ શસ્ત્રસંપત્તિ-ધાન્યની સંપત્તિને માટે થાય છે અને દાને શસ્ય–સંપત્તિ–પ્રશંસનીય સંપત્તિને માટે થાય છે. ૩ નિઃસ્વાર્થ પણે દાન દેનાર તેમજ લેનાર સાધુ બંને જન્મ મરણને અંત કરી શકે છે. ૮ પુરૂષોના મનોરથ ઉંચી જાતના, વિબુધ-વિદ્વાનોને આધારરૂપ અને બહુપ્રકારે સુધા-અમૃતના જેવા ઉજજ્વલ હોય છે. નગરીને પ્રાસાદો ઉંચા, વિબુધ-દેવતાઓના આધાર-આશ્રયરૂપ અને બહુ પ્રકા સુધા-ન્યુને લગાડવાથી ઉજજવળ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org