SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ શ્રી વિમલનાથ ચરિત્ર. કાંઈક છળ છે અને તે છળ ઉત્પાતથી થયેલું હોય એમ લાગે છે. તો તમે કાંઈક એવો ઉપાય કરે છે, જેથી તે દ્વાર ઉઘાડે અને બેલે. ” આ સાંભળી મંત્રીએ કહ્યું કે-“મને તે સ્થાન બતાવે કે જ્યાં હું તેને ગ્ય ઉપાય કરું.” વેશ્યાએ તેને તે ઓરડો બતાવ્યું. એટલે જાણે ૧દર્શનને ઉચિત એવું મુકિતદ્વાર હોય તેવા તે અઘરહિત દ્વાર આગળ મંત્રી સાવર આવ્યો. ત્યાં આવી તેણે કહ્યું કે, “આ સર્વ વેશ્યાએને આ સ્થાનમાંથી કાઢી મુકો, કારણ કે જે તેઓ અહિં રહે તો તેમને પણ કાંઈક છળ થઈ આવશે.” તે અષ્કાએ તે પ્રમાણે કર્યું, એટલે તે મંત્રીઓ દ્વાર ઉપર ચંદનનું મંડલ કરી અને “ શું ? વા વાદ” એ મંત્ર ઉચ્ચારી આ પ્રમાણે કહ્યું, ધારાવાસ નગરમાં મહીપાળ નામે રાજા છે અને સુબુદ્ધિ નામે પ્રધાન છે, તે રાક્ષસને જીતનાર અહિં આવ્યું છે. મેં તને આ સંકેત કહ્યા છે, તે ઉપરથી હવે દ્વાર ઉઘાડ, હર્ષથી અહિં આવ અને ઉંચે સ્વરે બેલ.” આટલું કહેતાં જ તેણી યથાર્થ ભાષણવડે પોતાના પતિને લખી સત્વર આવી અને તેણીએ વિશ્વાસથી તે દ્વાર ઉઘાડયું. પછી તે મંત્રીએ તેણીના કાનમાં જણાવ્યું કે-“હું તને કાંઈ પણ કરૂં તે બધું તારા હિતની ખાતર કરૂં છું, પતિમાં ભકિતવાળી એવી તારે તે માટે અપરાધ ક્ષમા કરો. ” તે સ્ત્રીએ રવીકાયું, એટલે મંત્રી તેને કેશથી પકડી બાહર લાવ્યા. પછી મંત્રીની શીખવણીથી તે સ્ત્રી બલી. અરે, મારા પેટમાં ક્ષુધા બહુ લાગી છે, તેથી હું રહી શકતી નથી, તો મને માદક અપાવ.” પછી બુદ્ધિમાન મંત્રીએ તત્કાળ અને બોલાવી ઉંચી જાતના મોદક મંગાવ્યા અને તે વડે તેણીને ભોજન કરાવ્યું. પછી તેને પાછો ઓરડામાં ૯ઈ ગયો. ત્યાં ધીમે સ્વરે કહ્યું કે-“ભદ્રઆ અઝા તને અહિં શી રીતે લાવી? તે બોલી. સ્વામિન, તમે મને છેડીને જયારે બહેર ગયા, ત્યારે આ વૃદ્ધ વેશ્યા મારી પાસે આવી અને મને કહ્યું કે “તું કોણ છે ? કેની મીજમાન છે અને કયા સ્થાનમાંથી આવે છે? ભેળપણને લઈને મેં તેને માટે સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. તે ઉપરથી તેણીએ મને કહ્યું કે, “ભકે, હું તને તેડવા આવી છું અને તારા સ્વામીએ મને મોકલી છે. તેથી જલદી મારે ઘેર આવ.” તેણીના આ વચન ઉપરથી હું ખટલા સહિત તેણીની સાથે અહિં આવી. મેં અહિં તમને જોયા નહીં પણ બધું વિપરીત જોયું, એટલે તત્કાળ મારા શીળનું રક્ષણ કરવા એારડાના બંને કમાડ બંધ કરી હું અંદર રહી. પિતાની પ્રિયાને આ વૃતાંત સાંભળી મંત્રીએ કહ્યું. “હે પ્રિયા, હવે તું કેટલેક વખત અહિંજ રિથર રહે. પછી બધું રાજની સમક્ષ સારૂં થશે” આ પ્રમાણે સૂચવી તે મંત્રી બાહેર આવ્યું, એટલે તેણુએ પાછા કમાડ બંધ કરી ૧-મુક્તિ દ્વાર દર્શનાચિત એટલે સમગ-યથાર્થ દર્શન ઉચિત અને અઘહિત-પતિછે અને તે ઘરનું દ્વાર દર્શનેચિત-દર્શન કરવાને પ્ય અને દુઃખ હિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy