SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રી સુબુદ્ધિની કથા. કોઈને પિતાનું દર્શન આપતી નથી તેમ જવાબ પણ આપતી નથી.” આ સાંભળી મંત્રીએ જાણી લીધું કે, તે સ્ત્રી મારી પત્ની જ છે અને અહિં ત્રાસ પામેલી દેખાય છે. , હવે તેણીને હાથ કરવી, તે સંશય ભરેલું છે. એક તરફ આ વેશ્યા હલકી સ્ત્રી જાતિ, તેમાં પણ વળી અતિ કામને આશિત થયેલી, તેમાં પણ વળી નિલજી અને તેથી પણ વધારે બેશરમ હોય છે. વેસ્થામાં આસકત રહેનારા પુરૂષે બુધ હોય તો પણ તેઓ લક્ષ્મીને બંને રીતે વૃથા ગુમાવી દે છે. તેઓ સૌમનસ-પુના આપીડ-શરોભૂષણ મુકુટ-મુગટ ને ધારણ કરે છે. તેઓ ગુરૂ-વડિલજનેને સંતાપ કરનાર છે. તેઓ સદા ઉદ્વેગ કરનારા હોય છે. તેઓ મધુ-મદિરામાં આસકત રહે છે. તેવા પુરૂષ તે વેશ્યાએના ઉગ્ર અને ક્રૂર (ખાટા ઓળ) ને સુખના આભાસરૂપ માની બેસે છે. હવે મારે પણ તે ખેટ ડાળ બતાવવા કે જેથી મારા કાર્યની સિદ્ધિ થશે. દુનીયામાં પણ કાંટાથી જ કાંટાને ઉદ્ધાર થાય છે એટલે કાંટાવડે જ કાટો નીકળે છે. જુવે, ધનુષ્ય અને પણી–તે બંનેમાં વસ્તુરવભાવે સરળતા રહેલી છે, પરંતુ જ્યારે કાર્યસિદ્ધિ કવી હોય, ત્યારે તે બંનેમાં વકતા થાય છે. આ પ્રમાણે મનમાં ચિંતવી તત્કાલ તેણે નિમિત્તિયાને વેશ ધારણ કર્યો અને જમણા હાથમાં પોથી લઈ તે વેશ્યાના ઘરમાં ગ. ત્યાં શિખા સહિત (પતે ) આશિષ આપી, તેણુએ આપેલા આસન ઉપર બેઠો. જેમ મધને મક્ષિકાઓ વીંટાઈ વળે તેમ વેશ્યાઓ તેની આસપાસ વીંટાઈ વળી, તે વેશ્યાઓમાં જે તે સ્ત્રીને ઘરમાં લાવી હતી તે વૃદ્ધ અકા બેલી, “હે અકારણબંધુ! કહો, તમે શું શું નિમિત્તે જાણો છો ? ” તે છે . “હે અકઠા, સાંભળે – હું રૂછ થયેલાને સંતુષ્ટ કરું છું, અવશ મનુષ્યને વશ કરી શકું છું અને જે દૂર રહેલ હોય તેને પાસે લાવું છું, એટલું જ નહીં પણ વૃદ્ધને યુવાન, રોગીને નીરોગી, મુંગાને સારો વક્તા, કુરૂપને સુરૂપી, અભાગીને સુભાગી, અને પંગુને સારા પગવાળા બનાવી શકું છું. વળી તે તેને જેવા હોય તેથી ઉલટા પણ ઇરછા પ્રમાણે કરી શકું છું.” તેના આ વચન સાંભળી તે અકકા ખુશી થઈ અને તેણીએ કહ્યું કે, “મારે એક પ્રશ્ન છે તેનું નિરાકરણ કરે.” નિમિત્તિયાએ કહ્યું. “શુભે, એક કઇ જાતનું ફલ સત્વર લાવે.” અકાએ તરત જ એક ફલ લાવી આપ્યું. પછી તે ધ્યાન કરીને પુનઃ બો. “તમારા મનમાં કઈ જીવ સંબંધી ચિંતા છે અને તે ચિંતા મનુષ્યજીવ સંબંધી છે. આ વચન સાંભળી તે અકડાને વિશ્વાસ આવી ગયો. તેણીએ ખુલી રીતે કહ્યું કે, “મારે એક પુત્રી છે, તે મન ધરીને રહી છે. તે તેવી રીતે શા માટે રહી છે ? તે કાંઈ જાણવામાં આવતું નથી. તેણીને * ૧ દ્રવ્યલમી-ધન. ભાવલમાં-જ્ઞાન, દર્શન અને ચારિત્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy