SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિમલનાથ ચરિત્ર, ત્યાં પોતે શત્રુનો જય કરી પાછી પિતાને મોકલનારા ધણીની પાસે આવી હાજર થાય છે. તે સિવાય કાર્ય કરવાની ઈચ્છાવાળા પુરૂષને બીજું કઈ પ્રચંડ કાર્ય કરવું હોય, તે તે કાર્ય પણ અખંડપણે કરી પાછો તે દંડ પિતાની મેળે સ્વસ્થાનમાં આવે છે. માટે હે વિદ્વાન, તમે મને તમારે કામકુંભ આપે અને મારી સાથે સમૈત્રી જેડ. તેના બદલામાં આ મારો દંડ તમે ગ્રહણ કરે અને તેવડે લોકેનું રક્ષણ કરે. ત્યારપછી તમારા શ્રેષ્ઠનગરમાં ચાલ્યા જાઓ” નિશાચરના આ વચન ઉપરથી તેમંત્રીએ પિતાને કામકુંભ તેને આપ્યો અને પિતે તેનો દંડ લીધે. પછી અચળ પુણ્યવાળે તે મંત્રી ચાલતો થયે. આગળ કેટલેક માર્ગે ચાલ્યા પછી તે મંત્રીએ પેલા દંડને કહ્યું. “હે દંડ! તું આજે તે રાક્ષસને જીતી લઈ મારો કુંભ લાવી આપ.” તત્કાળ દંડે તે પ્રમાણે કરી આપ્યું. પછી તે મંત્રી ત્યાંથી આગળ ચાલી એક નગર પાસે આવ્યો. તે નગરની બાહેર કઈ મેટા સંઘ વાસ કરીને પડયો હતો. તે સંઘ નિર્ભય થઈ ત્યાં સુતો હતો, તેવામાં લુંટ રાઓનું એક ટોળું ત્યાં આવી ચડયું. તે વખતે સંઘના રક્ષકો તેના ભયથી નાશી ગયા. તે ટેળાએ સંઘને લુંટવા માંડે. તે જોઈ આ બુદ્ધિમાન મંત્રીએ તે દંડને મોકલી બધા ચેરેને મારી સંઘના લેકેને હર્ષિત કરી દીધા. પછી પ્રભાતકાલે તે મંત્રીએ સર્વ ઉત્તમ સંધને આમંત્રણ આપી ભક્તિથી ભોજન કરાવ્યું અને વસ્ત્ર અગ્યા. તેથી સંઘને સ્વામી ખુશી થઈ ગ અને અપૂર્વ કાંતિવાળા તે સંઘપતિએ મંત્રી સુબુદ્ધિને ત્રણસંહિણી નામની ઔષધિ માનપૂર્વક અર્પણ કરી. કામકુંભ, દંડ અને ત્રણસંહિણી–એ ત્રણ વસ્તુ લઈને મંત્રી પિતાના નગરમાં આવ્યા અને ત્યાં પિતાના ઘરમાં ધર્મધ્યાનમાં તત્પર થઈ સુખે રહેવા લાગ્યો. રાજા જિતશત્રુએ કેટલાક માણસના મુખથી જાણ્યું કે, મંત્રી સુબુદ્ધિ કામકુભ વગેરે વસ્તુઓ લઈને પિતાને ઘેર આવ્યો છે. પણ તેણે પેલા રાક્ષસને પીડા છે એ વાત જાણ નહી.તત્કાલ રાજાએ તેના ધર્મની પરીક્ષા કરવા માટે બે બીજેરાના ફળો મંગાવ્યા. અને તેમાં એક ફળની અંદર રત્ન નાખ્યું. પછી તે બંને ફળો બરાબર સાથે રાખી શાપડની અંદર એક દાસી હથ્થ છુપા રીતે વેચવાને મોકલ્યાં. તેવામાં સુબુદ્ધિમંત્રીની દાસી શાક પીઠમાં શાક લેવાને આવી. તેણીએ તે બંને બીજેરાના ફળમાંથી પિલું રત્નવાળું ફળ આ૫ મુલ્યથી ખરીદી લીધું. અને જે બીજું રત્ન વગરનું ફળ હતું તે રાજાની દાસીના ભયથી કોઈએ લીધું નહીં. પછી રાજાની દાસીએ તે ફળ સાયંકાળે રાજાને પાછું આપ્યું. તે ફળને રત્નવગરનું ખાલી જોઈને રાજાએ દાસીને પૂછયું કે, “બીજું ફળ કોણે કરી છે?” ત્યારે દાસીએ કહ્યું કે, “તે ફળ સુબુદ્ધિમંત્રીની દાસી લઈ ગઈ છે.” દાસીનું આ વચન સાંભળી રાજા કાંઈ છે જ નહીં, તે મૌન ધરીને જ રહ્યા. ૧ જખમને રાવી શકે તેવી ઓધિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy