________________
ર
શ્રી વિમલનાથ ચરિત્ર "નારા વિદ્વાન અને સદાચારી સાધુઓને જોઈ રાજાને અત્યંત હર્ષ ઉત્પન્ન થઈ આવ્યું. પછી જાણે જંગમ કલ્પવૃક્ષ હોય તેવા તે ગુરૂને ત્રણ પ્રદક્ષિણા કરી રાજાએ આદર પૂર્વક વિધિથી વંદના કરી, તે પછી રાજા બીજા પવિત્ર મુનિઓને હર્ષથી નમન કરીને તે ગ્યસ્થાને બેઠો. ત્યારબાદ આશાતનાથી ભય પામનારા રાજાએ ઉચિત સ્થાને બેસીને ગુરૂને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી–“જૈન ગુરૂ નિગ્રંથ-પરિગ્રહ રહિત હોય છે છતાં પણ ૧ રત્નસહિત સુવર્ણના સમૂહને આપે છે અને જગત્રભુ જિનેશ્વર ભગવાન માત્ર શેષા આપે છે તેથી આપ મારે તે પ્રભુથી પણ અધિક છે. હું આપનું ગુરુત્વ જાણને આપની વસતિ--વાસસ્થાને આવ્યું છું, તેથી હવે આપ આદર સહિત થઈ મને સત્વર ઊચ્ચ અને નિર્ભય કરે.” ગુરૂ બોલ્યા;–“હે રાજા, સાંભળ, તું તેનું સ્થાનરૂપ કવિ છે, તેથી ખેદ પામીશ નહીં. તું દેવગુરૂની આગળ બેસીજા, સારા વંશમાં થયેલા ગુરૂ સારા વાંસની જેમ મૌક્તિક સુખને આપે છે. જેમ વાંસ પડી જતા એવા પ્રાણીઓના સમને આધારભૂત છે, તેમ ગુરૂ નરકમાં પડતા પ્રાણીઓના આધારરૂપ છે. જેમ વાંસ ગુણ–દેરીનું સ્થાન તથા ધર્મના ઊપકરણોનું સાધન છે, તેમ ગુરૂ સારા ગુણેના સ્થાનરૂપ એવા ધર્મનું સાધન છે, જેમ વાંસ પર્વ-ગ્રંથિની સ્થિતિવાળો છે, તેમ ગુરૂ ધર્મના પર્વની સ્થિતિ–મર્યાદાવાળા અથવા પર્વ નિમિતે સ્થિતિ કરનારા છે. હે રાજા, સાંપ્રતકાલે તમારે જે સારા વંશની પ્રાપ્તિ થયેલી છે, તેવી પ્રાપ્તિ પૃથ્વી ઉપર તેના અર્થી એવા જીવોને થવી દુર્લભ છે. હે રાજા, આ સંસારમાં જીવ અને કર્મો કાળથી અનાદિ છે, જે કઈ કહે કે, “જીવ અને કર્મો, તે બંનેમાં પ્રથમ કોણ? તે તેને પૂછવું કે, “કુકડે અને તેનું ઈંડુ તેમાં પ્રથમ કેણ?” જેમ મૃત્તિકા (માટી) અને સુવણને સંયોગ અનાદિ છે, તેમ તે જીવ અને કર્મનો સંગ અનાદિ છે. જેમ અશ્ચિના સંયેગથી સુવર્ણ મૃત્તિકામાંથી જુદું પડે છે, તેમ ધ્યાનરૂપી અગ્નિના બળથી જીવ કર્મથી જુદો પડે છે. આ જીવ પ્રાયે કરીને કાયની સ્થિતિન-મર્યાદાવડે અનંત ઉત્સર્પિણી તથા અવસર્પિણી કાળ સુધી નિરંતર વનસ્પતિમાં રહે છે. ત્યાં રહી તે અનંત પુદગળ પરાવર્સોને પૂરે છે તે પુલ પરાવર્તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ--એવા ભેદથી ચાર પ્રકારના છે. તેમાંથા તે અવ્યવહાર રાશિઓ જીવ અકામ નિજાના ગવડે માંડ માંડ બાહર નીકળી અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલસુધી બાદર નિગોદમાં રહે છે.
૧ અહિં વિરોધાભાસ અલંકારને પરિહાર એવી રીતે છે કે-ગુરૂ રત્ન-ચારિત્ર રૂપી રત્નને અને સુવર્ણ-સારા વર્ણઅક્ષરજ્ઞાનના સમૂહને આપે છે. ૨ જ્યાં ગુરૂત્વ ભારેપણું હોય ત્યાં ઉચ્ચતા પ્રાપ્ત થાય છે. ૩ ગુરૂપલે મૌક્તિક એટલે મુક્તિ સંબંધી સુખ અને વાંસપણે મુક્તાફલનું સુખવાંસમાં મુક્તાફલ ઉત્પન્ન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org