________________
ચરિત્રારંભ. પરવાલાથી યુકત હતે. ધાતકીના ખંડથી મંડિત એવા તે ધાતકી ખંડની અંદર બે મહાવિદેહક્ષેત્ર, બે ભરતક્ષેત્ર, બે ઐરાવતક્ષેત્ર અને બે સુમેરૂ પર્વતે આવેલા છે. એવા તે ધાતકી ખંડની અંદર ક્ષેત્રધર, પર્વતેએ આશ્રય કરેલું પ્રાવિદેહ નામનું ક્ષેત્ર શોભી રહેલું છે. તેની અંદર તીર્થકરે અને બીજા પુરુષે પાંચસો ધનુષ્યના દેહવાલા, પૂર્વકેટી આયુષ્યવાલા અને અતુલ બલને ધારણ કરનારા હોય છે. ત્યાં રહેનારા મનુષ્ય, લક્ષ્મીથી નવીન, પ્રમદા ઉત્કૃષ્ટ મદવાલી અને જંગમ ( વિહાર કરતા) અને અજંગમ ( સ્થિર–નિશ્ચળ ધ્યાન આસનને સેવનારા) એવા સાધુઓ સાક્ષાત્ સાધન કરનારા છે. ત્યાં સૂત્રધારે સૂત્રને ધારણ કરનારા, અ સિંહ જેવા, લુહારે બહુલેહ–બહુ તક કરનારા, અને માછીએ પણ બુદ્ધિથી શ્રેષ્ઠ છે. ત્યાં તેના સ્વામીવાળી, સ્ત્રીઓ સંતાનવાળી, પૃથ્વી–ભૂમિ રસકસવાળી, ગાયકે ગંધર્વોના જેવા અને વને જલારાયવાળા છે. ત્યાં ભૂભૂ–પર્વતે રાજાએ વાળા, બાણે પણ રત્નની ખાણવાળી, અસ્વાર અના સમૂહવાળા અને સર્વ પ્રકારની કલાઓ રહેલી છે, ત્યાં કમલાકર-સરવરે બે પ્રકારે કમલાકર છે, એટલે કમલા-લક્ષમીથી અને કમલેથી ભરપુર છે. ત્યાં પ્રિયા (સ્ત્રીઓ) પ્રિય (સ્વામી) વાળી બલવંત પુરૂષે ક્ષમા સહિત અને સંવરે (જળાશયો) સંવર (મસ્ય) વાળા છે.
શ્રુતકેવલીએ કહેલા એવા પૂર્વ વિદેહ ક્ષેત્રની અંદર ભરતક્ષેત્રના જે ભરત નામે એક વિજય આવેલ છે. જેની અંદર વૈતાઢય પર્વતે ક્ષેત્રનો વિભાગ કરી તેમાંથી ઉંચા પ્રકારની ધાન્યસંપત્તિને લઈ બધા પર્વતેમાં પિતે રાજા તરીકે થવાને માટે જાણે પિતાને અભિષેક કર્યો હોય, તેવું દેખાય છે. જેણે વિજય પ્રાપ્ત કરેલ છે એવા તે ભરત નામના વિજયમાં અમરપુરીને જીતનારી મહાપુરી નામે એક વિખ્યાત નગરી છે. તે નગરીની અંદર ચેરી વગેરેના કલેશથી રહિત અને જેમના દ્વાર ઉપર પ્રતિહારો રહેલા છે, એવા મોટા વિહાર અને પ્રતિમાઓના સમૂહથી પ્રકાશમાન એવા સાધુઓના વિડા શોભતા હતા. બે પ્રકારે અંગ તથા ઉપાંગને જાણનારા, સમ્યમ્ દશે. નવાળા, ગંભીર પવિત્ર અને વેષ્ટન સહિત એવા મુનિઓ તે નગરીમાં વિરાજતા હતા. અલંકાર અને લક્ષવાળા, સારા સાહિત્યવાળા, સ્મૃતિયુકત અને પુરાણમતિને ધરનારા બે પ્રકારના વિબુધ ત્યાં વસતા હતા. તે નગરીમાં “સપુરૂષનાં મન અને ગાડાઓ
૧ તે નામનું વૃક્ષ. ૨ વિહાર-પ્રાસાદો અને સાધુ ઉપાયો. ૩ પ્રતિમાઓ. ત્યપક્ષે ઊંચા જિનબિંબ. ૪ વિબુધ એટલે દેવતા અને વિદ્વાન દેવતાઓ અંલંકારવાળા, સારા લક્ષણવાળા, ઉંચા સાહિત્ય-સામગ્રીવાળા, સ્મરણશક્તિ અને પુરાણ-પ્રાચીન બુદ્ધિવાળા અને વિદ્વાને અલંકારશાસ્ત્ર, લક્ષણ-વ્યાકરણ, સાહિત્ય, સ્મૃતિઓ અને પુરાણોને બુદ્ધિથી જાણનારા. ૫ સપુરૂષોના મન માર્ગોનુસારી, સજનેના ચક-સમૂહ તરફ રહેનારા અને જિનાલય-જિનભગવાનમાં લય પામનારા. અને ગાડાઓ માર્ગે ચાલનારા, સચ્ચક-સારા પૈડાવાળા, અને ઉપર જિનાલયને વહન કરનારા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org