SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિમલનાથ ચરિત્ર, મનુષ્યોથી યુક્ત છે. તેની પછી ચાર લાખ જનના પ્રમાણુવાલે હિત કરનાર ધાતકીખંડ આવેલો છે તેની અંદર છ કર્મભૂમિ અને બીજી બાર અકર્મભૂમિઓ રહેલી છે. તેની પછી આઠ લાખયોજન વિસ્તારવાલો કાળોદધિસમુદ્ર છે, તેમાં તેટલા જ પ્રમાણવાલો અર્ધપુષ્કરદ્વીપ આવેલ છે. તે દ્વીપની અંદર પણ કર્મ અને અકર્મભૂમિએ ધાતકીખંડની પ્રમાણે રહેલી છે. એક જંબુદ્વીપ સિવાય બીજા દ્વીપમાં જે જે પ્રમાણે કહેલ છે, તેને વિદ્વાનોએ એકત્ર મેળવી બમણું પ્રમાણ કરવું અને તેની અંદર જંબુદ્વીપનું જે લક્ષ પ્રમાણ છે તે નાંખવું. એટલે બધું મળીને પીસ્તાલીશ લાખનું પરિમાણ સંપૂર્ણ થઈ શકશે. અખંડ ભાથી વિરાજિત એ તે ધાતકીખંડ વનખંડની જેમ ભતો હતો જેમ વનબંડ પત્ર-પાંદડાથી વ્યાપ્ત હોય તેમ તે પત્ર-વ્યાપ્ત હતો, જેમ વનખંડ સત્ શ્રી–સારી ભાવાલે હોય તેમ તે સત્-સપુરૂની ભાવાલો હતો. જેમ વનખંડ શ્રીફલ–નાલીકેરના ફલવાલે હૈય, તેમ તે શ્રી-લક્ષ્મીના ફલવાલ હતો. જેમ વનખંડ સુમન-પુષ્પોની શ્રેણીથી યુકત હોય તેમ તે સુમન –વિદ્વાને અથવા દેવતાઓની શ્રેણીથી યુકત હતું, જેમ વનખંડ સુવય-સારાં પક્ષીઓથી આશ્રિત હોય તેમ તે સુવય–સારી અવસ્થાવાલા-યુવાન લેકેએ આશ્રિત કરેલ હતું. જેમાં તે વનખંડ પુન્નાગ-નાગ કેશરના વના સમૂહથી સંયુકત હોય તેમ તે ઉત્તમ પુરૂના સમૂહથી સંયુકત હતો. જેમ વનખંડ અશેકના વૃક્રેવાલે હોય તેમ તે અશક હર્ષવાલ હતો. જેમ વનખંડ વૃષબલદે એ સહિત હોય, તેમ તે વપ–ધ કરીને સહિત હતો. જેમ વનબંડ કુંજરાસન-લતાગૃહોમાં કામદેવ સંબંધી આસનથી સંપૂર્ણ હોય તેમ તે કુંજર-ગજંત્રોનાં આસનેથી સંપૂર્ણ હતો. જેમ વનખંડ કનકની કાંતિવાલા અગ્નિ-દાવાનળથી અંકિત હોય તેમ તે કનક-સુવર્ણના મોટા ભારથી અંકિત હતું. જેમ વનખંડ ધાત્રીના વૃક્ષોથી યુક્ત હોય તેમ તે ધાત્રી-ધાવ્ય માતાએથી યુકત હતા, જેમ વનખંડ કરૂણ નામના વૃક્ષોથી યુક્ત હોય તેમ તે કરૂણા–દયાથી યુકત હતું, જેમ વનખંડ સપૂગ–સારી સેપારીના વૃક્ષેથી યુકત હોય તેમ તે સત્-સજજનેના પગ સમૂહથી યુકત હતા. જેમ વનખંડ કમલ પંપના સમૂહવાળો હોય તેમ તે કમળા લક્ષ્મીના ઢગલાવાલે હતો. જેમ વનખંડ વંશ-વાંસના વૃક્ષો સહિત હોય તેમ તે વંશ-કુલની વૃદ્ધિએ સહિત હતો, જેમ વનખંડ સુવિશાળ-સારા અને વિશેષ શાળ વૃક્ષવાલે હોય અથવા સારી રીતે વિશાળ હોય તેમ તે સારી રીતે વિશાળ હતા. જેમ વનખંડ સારી શાખાવાલા - ધનદવૃક્ષોનું સ્થાનરૂપ હોય તેમ તેની અંદર સારી રીતે ધન આપનારા લોકોના સ્થાન રૂપ હતા, જેમ વનખંડ સારી રીતે સંતાપને હરનારો હોય તેમ તે સત્-પુરૂષના સંતાપને હરનારો હતો. જેમ વનખંડ વજ ૩ અને રથકુમનાં વૃક્ષેથી યુકત હોય તેમ વેજા-હીરા, રથ અને ૧ ધાત્રી-આંબલીના વૃક્ષ, ૨ એક જાતનાં ઝાડ. ૩ એક જાતનું વૃક્ષ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy