SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ શ્રી વિમળનાથ ચરિત્ર. હમણાં હું દુઃખી છું. તમે કેાઇ પાપકારી શૂરવીર પુરૂષ છે, તે મા મારા સ્વામીને દેવી પાસેથી તત્કાળ મુકત કરાવે. ” કુમારે તે વાત કબુલ કરી. પછી તેણે ત્યાં રહેલી એક વાપિકામાં સુખને માટે જલપાન અને સ્નાન કર્યું. પછી પેાતાના પેલા સુમતિ મંત્રીને ત્યાં લાવી કુમાર લક્ષ્મીદેવીના મંદિરમાં ગયા. ત્યાં પુષ્પ વિગેરેથી દેવીની પૂજા કરી તેણે આ પ્રમાણે સ્તુતિ કરી–“ હું કમલે ! તમે સારી શેાભવાલા કમલના પુષ્પ ઉપર સ્થિતિ કરા છે, તેથી તે કમળ દેવતાઓમાં પણ લક્ષ્મી મેકવે છે, કમલાકર પશુ એથી લેાકાની તૃષ્ણા અને પરિતાપ હરે છે, શારદા પણ તેને પેાતાના હાથમાંથી કદિપણ છેડતી નથી, સૂય પણ તેની સાથેજ મત્રી કરે છે. બીજાનું શું કહેવું, ભગવાન વીતરાગ પણ તેની ઉપર પેાતાના ચરણા ધરે છે. શાસ્ત્રમાં સ ધર્માંમાં દાનને પ્રધાન કહેલું છે, તે દાન જેના ઘરમાં તમે હા, તેનાથીજ આપી શકાય છે. ” આ સ્તુતિ સાંભળી લક્ષ્મીદેવી પ્રસન્ન થયાં અને તેને વર આવ્યેા. કુમારે દેવીને કહ્યું કે, “ જો તમે પ્રસન્ન થયા હા, તેા આ બાંધેલા વિદ્યાધરને છેાડી મુકેા. ” તે સાંભળી લક્ષ્મીદેવી તિ થઇને એલી, “ એતા બીજાનું કાય છે, પરંતુ તારૂં પેાતાનુ કાંઇ કાય* હાય તે કહે. ’ કુમાર ખેલ્યા, “ જે પુરૂષ ખીજાતું કાર્ય ન કરે અને લેાકેામાં પેાતાનુ હિત કરે, તે પુરૂષ શા કામના ? માટે આ વિદ્યાધરને મુકત કરી. ” પછી તેના વચનથી લક્ષ્મીદેવીએ તે વિદ્યાધરને મુકત કર્યાં. જેથી વિદ્યાધર ભકિત યુકત થયા અને કુમારને સ્રીએ વિદ્યા પરંતુ અશ્વય આપ્યું. તે વખતે લક્ષ્મીદેવીએ વિદ્યાધરને પવિત્ર વચન કહ્યું કે “ તારે tr આ કુમારની સદા સેવા કરવી, તે તારા સ્વામી થશે. ” પછી તેઓ વનમાં ફરવા લાગ્યા, તેવામાં લક્ષ્મીદેવીએ નિમે લેા હિતકારી શ્રી શાંતિનાથ પ્રભુના મણિમય પ્રાસાદ તેમના જોવામાં આવ્યેા. ત્યાં શાંતિનાથ પ્રભુને વિધિથી નમસ્કાર કરી તે કુમાર મંડપમાં આળ્યે, ત્યાં સરસ્વતીદેવીનુ તેને દર્શન થયું. તત્કાળ તેણે સરસ્વતીદેવીની આ પ્રમાણે સ્તુતિ કરવા માંડી–“ હૈ સરસ્વતી ! તમે આ સંસારરૂપ ક્ષારને ધેાનારા સરસ્વતી નદી રૂપ છેા, દુ:ખના તાપને શાંતિ આપનારા તમે શરીર ધારી સરસ્વતી છે. હુંસ પણ તમારા સંગથી વિવેકી થયા છે, તે પછી બીજા કેમ ન થાય ? જેથી શુદ્ધ ઉભય પક્ષવાલા તે હંસની રૂચિ માનસ ઉપર થાય છે મનુષ્યે તમારા બળથી, દૃષ્ટિથી અગેાચર એવા પદાર્થોને પ્રત્યક્ષ પ્રમાણ જીવે છે. અન્યથા તમારા શિવાય તે સહજ અંધ જેવા રહે છે. વાદી જના એકસાને છ ભેદ વડે બીજા દેવતાઓને જુદા જુદા માને છે, પરંતુ તમે તે ૧ કમલાકર–સરાવર ૨ દૂધ અને જલને જુદું કરવાના વિવેક હંસમાં હાય છે. ૩ શુદ્ધ-શ્વેત ઊભય પક્ષ-ખને પાંખા ૩ માનસ-મન અને માનસ સરાવર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy