SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિમલનાથ ચરિત્ર, ( જ્ઞાનસાગર સૂરિ) આ ચરિત્રનું એક વચન કહેવાને પણ અસમર્થ છું, છતાં પણ જે હું કહું છું, તેનું કારણ મારા ગુરૂજ ગ્રંથકાર મહારાજનું છે. બ્રહ્મત્વને જાણનારા તે ગુરૂની કૃપાથીજ 8° ગ્રંથ સંબધે હું આ ગ્રંથ રચું છું. આ લેકમાં દુર્જન પુરૂ વિવેચન, બાણની જેમ સર્વદા દુર્ભય કહેલા છે. તેઓ કેઈપણ માણસના ગુણરેપને જોઈને જ રહી શક્તા નથી. તે દુર્જન પુરૂષે જે બીજાના દૂષણને ઉદ્ધાર કરવામાં (દેષ કાઢવામાં) કુશળ છે, તે તેઓ બીજાના રચેલા ગ્રંથની નિમળતા આપવાથી પુરૂને સગુણ કરનારા છે. જેઓ સૂર્યની જેમ પિતે દેવાભાવ (દેષા–રાત્રી-રજની–અધકાર સમાનદેષ-અવગુણ ને અભાવ-તિકાર) ને કરનારા છે, તેવા સપુરૂને અંજલિ જોડીને પ્રાર્થના કરું છું કે, શુક્રાચાર્યની જેમ સર્વદાનવ ગુરૂ એટલે જેમ શુક્રાચાર્ય સર્વ દાનવોના ગુરૂ છે, તેમ આ કાવ્ય સર્વદા-નવીન સશુરૂ રૂપ બનવા વાલું છે અને જેમ શુક્રાચાર્ય કૃતાંતજનક-સૂર્યને અંત કરનાર-નાશ કરનાર છે, તેમ આ કાવ્ય કૃતાંત જનવિદ્વાન લેકેને કાંત–મનહર છે તેવા આ કાવ્યના પ્રત્યેક પદ ઉપર તે સજજનોએ દડી આપવી. આ૫ સજજનોની દષ્ટિથી થયેલી આ કાવ્યની અધિક શુદ્ધિના પ્રભાવથી તેનામાં બમણું તેજ આવશે, તેથી તેની એટલે કાવ્યની અને શુક્રાચાર્યની ગુરૂ કરતાં પણ અધિક માન્યતા થઈ પડશે. ધર્મથી પાંચ ઇદ્રિને સંયમ થાય છે, લમીનો બંધુરૂપ મનુષ્યભવ મલે છે, શુભ આપનારા આર્યદેશ પ્રાપ્ત થાય છે, સુકૃત–પુણ્યની આશાધર્મનો પ્રભાવ, એથી વ્યાપ્ત એવું કુલ પ્રાપ્ત થાય છે, ષટકાય જીવની રક્ષા કરે તેવી કાયા મલે છે, માનસરોવરના જેવું ગંભીર મન થાય છે, કેઈની પ્રતારણ ન કરે તેવા વચનો બોલાય છે, દાન અપાય તેવું ધન મેલવાય છે, ઉદાર હૃદયવાલી સ્ત્રી પ્રાપ્ત થાય છે, વિશાળ ગ્રહની શાલાઓ મલે છે, અતિ શ્રેષ્ઠ એવા વરદાને મેલે છે, પુરૂને આનંદ આપે તેવા પુત્રો મલે છે, ઉંચી જાતના વસ્ત્ર પ્રાપ્ત થાય છે, જેમને અનેક દેવતાઓ નમે તેવા દેવ મલે છે, તત્વજ્ઞાનને જાણનારા ગુરૂ મેલે છે, સર્વ ભીમને પાલનાર મહાન રાજા થવાય છે, મદના સુગંધથી ઉન્નત એવા ગજેદ્ર મલે છે, લક્ષમીના વૈભવવાલા મંદિરે પ્રાપ્ત થાય છે, વેગવાલા અ પ્રાપ્ત થાય છે, લાભથી ભરપૂર ઉદ્યોગ મેલે છે, સર્વ સગાઓ સજન મેલે છે, દયાવાળું હૃદય થાય છે, ખુશામત વગરનું વાણીનું ચાતુર્ય પ્રાપ્ત થાય છે અને બધે સમય સુખમય થાય છે. તેથી કરીને કલ્યાણના અથ એવા પુરૂષે તે સુખદાયક શ્રેષ્ઠ ધર્મ આચરે જોઈએ. પરંતુ હાલ તે ૧ જેમ બાણ ગુણધનુષની દેરી ઉપર ચડવાથી છુટયા વગર રહી શકતાં નથી. તેમ દુર્જને બીજાના ગુણને જોઈ તેના દોષ કહ્યા વગર રહી શકતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy