SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમા વ્રત ઉપર મહેંદ્ર અને સ્વર્ણશેખરની કથા. ર૯૭ સદ્દબુદ્ધિ થતી જ નથી કે જેથી સંકટમાંથી મેક્ષ થાય. પછી મંત્રો ઘેર આવ્યો અને તેણે તે વૃત્તાંત પોતાની પત્નીને કહ્યા. તેણીએ કહ્યું, “અરે નાથ ! તમે ઘણું વિપરીત કર્યું. ” મંત્રીએ કહ્યું, “તુ આ દુષ્કર કાર્યને ખેદ કરીશ નહિં. હું ગોત્ર દેવીની આરાધના કરી બધું સારું કરીશ.” પછી મંત્રીએ નેત્રદેવીની વિધિથી આરાધના કરી. તે પ્રત્યક્ષ થઈને બેલી, “ ઉત્તમ એવા નાગપુર નગરના વનની અંદર જે કુમાર છે, તેને માણસો મેકલીને બોલાવે, તેની સાથે રાજકુમારીને વિવાહ કરી પછી તેને તમારે પાછે ત્યાં મોકલી દે. એમ કરવાથી તમે કેટલેક વખત કાલને (જત) જોઈ શકશે નહિ” દેવીના આ વચન ઉપરથી મંત્રીએ તે નાગપુરમાં માણસોને મોકલ્યા. તે વખતે પિલે કુમાર કીડા કરવા માટે વનમાં આવ્યું હતું, તેને અશ્વ ઉપર બેસારી તેઓ તરત પાછા પિતાને સ્થાને આવી પહોંચ્યા. પુરૂષોને ભાગ્યોદય થવાથી બધું સારૂ જ થાય છે. પછી તે કુમારને વિધિથી શ્રૃંગાર ધરાવી હસ્તી ઉપર બેસારી રાજમંદિરમાં લાવવામાં આવ્યું. ધવલ-મંગળ થતાં શુભ સમયે મેટા ઉત્સવથી તેને રાજપુત્રીનું પાણિગ્રહણ કરાવ્યું. તે વખતે તે કુમારે રાજપુત્રીના ઉત્તમ હાથમાંથી મુદ્રારત્ન ખેંચીને પિતાની આંગળીમાં નાખી દીધું. વિવાહ કાર્ય પૂર્ણ થયા પછી તે મંત્રીના માણસે તેને પાછા નાગપુરમાં મુકી આવ્યા. ધૂલોક પિતાના કામમાં ચિટવાલા હોય છે. તે કુમાર ત્યારથી ચિંતાતુર રહેવા લાગ્યો. તેને કઈ ઠેકાણે ચેન પડતું નહિં. તે જ્યાં ત્યાં શશ્ચન અને ભોજન કરતો હતે. એક વખતે તે કઈ દેવકુલમાં સૂતે હતું, તેવામાં તેણે લોકોના મુખમાંથી સુખદાયક અને પ્રીતિ કરે તેવું વચન આ પ્રમાણે સાંભળ્યું. “મગધદેશમાં ત અધવાલે ચંદ્ર નામે રાજા છે. તે રાજાને સરોવર ખાદાવતાં કેટલાંએક પત્ર મળી આવ્યાં છે, પરંતુ અત્યારે આ પૃથ્વી ઉપર કે માણસ તે પત્રની લિપિ જાણી શકતો નથી. તે ઉપરથી રાજાએ પોતાના પુરૂ પાસે એ પટહ વગડાવ્યો છે કે, જે કઈ વિદ્વત શિરોમણિપુરૂષ એ પત્રો વાંચી આપે તેને રાજા પિતાની પુત્રી અને અર્થે રાજ્ય આપશે.” ચતુરપુરૂમાં મુગટમણિરૂપ એવા કઈ ચાલાક પુરૂષે તે પટનો સ્પર્શ કર્યો નહિં. તે સાંભળી એ કુમાર ત્યાં ગયો અને તેણે હાથ વડે પટલને સ્પર્શ કર્યો. રાજાના માણસો તે વિનીતકુમારને રાજદ્વારમાં લઈ ગયા. રાજાએ સભામાં તેનું સન્માન કરી તે પત્રો બતાવ્યા. તે ચતુરનરે પિતાના નામની જેમ તે પત્રો તરત વાંચી આપ્યા. તેમાં લખ્યું હતું કે, “આ ઠેકાણેથી દશ હાથ છેટે નીચે જમીનમાં ચોદ કેટી સુવર્ણ છે.” રાજાએ તે પ્રમાણે જોયું, ત્યાં તે ઠેકાણેથી દ્રવ્યના નિધિઓ પ્રાપ્ત થયા. તે જોઈ સબુદ્ધિવાલા લોકો હર્ષ પામ્યા અને રાજ્યમાં પિતાની પ્રતિજ્ઞા પ્રમાણે તે કુમારને પોતાની પુત્રી અને અર્ધ રાજ્ય આપ્યું. ૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy