SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ શ્રી વિમળનાથ ચરિત્ર. નાના પુત્રનાં આવાં વચન સાંભળી પિતાએ ક્રોધથી કહ્યું, “અરે વાચાળ ! આવું અમંગળ અને અયેાગ્ય પ્રત્યક્ષ કેમ ખેલે છે ? તું મારૂં ઘર છેડી દે, નહીં તેા તારા દેહ રહેશે નહીં. તું અમારૂં દુઃખ લઈને દૂર થા અને તેવીજ રીતે તારા કુલનું રક્ષણ કર્યાં. ' આ પ્રમાણે તરછોડીને પિતાએ તેને ખળાત્યારે કાઢી મુકયા. તે ત્યાંથી નીકળીને સારા મતવાળા નાગપુર નામના નગરમાં ગયે. ત્યાં લેખશાળામાં રહેલા ચાંદ વિદ્યાઓમાં ચતુર એવા પાઠકને પ્રણામ કરી તેણે આ પ્રમાણે કહ્યું, “ ઉપાધ્યાયજી, આપ મને ઘણી ઉત્તમ કળાએ ભણાવા, ” તે સાંભળી ઉપાધ્માયે કહ્યું કે, વત્સ મારી પાસે ખુશીથી અધ્યયન કર્યાં. ” પછી અધિક બુદ્ધિવાળા તેને ઉપાધ્યાય આદરપૂર્વક ભણાવાં લાગ્યા. તે જોઇ બીજા અભ્યાસીએ તેની ઉપર મત્સરભાવ દર્શાવા લાગ્યા. પણ તે તેમના મનને સતેાષ આપવા માટે તેની દરકાર કરતા નહિં, લેાકેામાં કહેવત છે કે, સમવાયસ’પ છે, તેજ જય આપનારા થાય છે. તે પાઠશાળામાં લક્ષ્મીપતિ રાજકુમાર સદા વિદ્યાભ્યાસ કરવા આવતા. તેની પાસે જઈને એ ત્રણ શેખર વિવિધ જાતનું જ્ઞાન સાંભળતેા હતેા. તેણે સ લિપિ અને વિશ્વમાં વિખ્યાત એવી અનેક ભાષાએ જાણી લીધી. ગુરૂના પ્રસાદથી શું ન થાય ? 66 આ અરસામાં મગધ દેશમાં ચંદ્ર નામે એક રાજા હતેા. તે રાજાને ધારિણી નામની રાણીની કુક્ષિથી મૃણાલિની નામે એક પુત્રી થઇ હતી. તે ચૈાવનવયને પ્રાપ્ત થઇ. તેણીના જેવા કોઇ ક્ષત્રિયજાતિના પ્રખ્યાત વર મળતા ન હતેા. તેથી રાજા ચિંતાતુર રહેતા હતા. તેને તે પુત્રી ચિંતા આપનારી થઇ પડી. એક વખતે રાણીએ રાજાને ચિંતાતુર જોઇ પુછયું, “ સ્વામી, તમને શું કાંઇ પીડા છે ? ” તે સાંભળી રાજાએ કહ્યું, ,, 66 ,, મને પુત્રી હંમેશાં માનેતી છે, પરંતુ તેણીને ચેાગ્ય એવા વર જોવામાં આવતા નથી, તેથી મને દુઃખ થાય છે. ’ તે સાંભળી રાણીએ ચિંતવ્યું કે, “ અહે! ચંદ્રને ૧મૃણા લિની પ્રિય હાય છે, પણ આતે તેને રસવિતા છે તેથી તેના પ્રભાવથી તેને દુઃખ થાય એ ઘટિત છે. * રાણી મેલી–“ આપણા મંત્રીના પુત્રને તે પુત્રી આપે, તે તે સુખે રહે કારણકે, તે સુકુમાર છે, એટલે કદિ ખાહેર આવતા નથી. ” તે સાંભળી રાજાએ એક વખતે મંત્રીને ખેલાવીને કહ્યું કે, “ તમારા પુત્રની સાથે મારી પુત્રીના વિવાહ કરીએ.” તે સાંભળી મંત્રીએ પેાતાના મનમાં શંકા લાવીને વિચાયું કે, “ મારે પુત્ર કાઢીએ છે. તેથી તે ચેારની જેમ એકાંતેજ રહે છે. મેં તે વાત છુપાવાને લેાકેામાં જુદી રીતે વાત ચલાવી છે. હવે આ રાજા તરફથી મારે વિકટ સકટ આવી પડયું. જો તે સાચી વાત હમણાંજ કરીશ, તે તેથી નુકશાની થશે, માટે હાલ તેા વખતના વિલંબ કરવા રાજાના વચનને માની લઉં. ” આવું વિચારી તેણે રાજાનું વચન કબુલ કર્યું. સુકૃત વિના તેવી ૧ માર્ણાલની–પાયણી. ૨ વિતા-પિતાપક્ષે સૂર્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy