SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથા વ્રત ઉપર ચંદ્ર અને સુરેંદ્રદત્ત ની કથા. ૨૮૫ ઉદ્દેશીને કાર્યોત્સર્ગ કર્યો. ક્ષણવારે શાસનદેવી તેની આગળ પ્રગટ થઈ. તેને પ્રણામ કરી રુકિમણ બેલી, “દેવિ ! જે મારે પતિ પવિત્ર હોય, તો તેને સહાય કરે, કે જેથી શાસનની ઉન્નતિ થાય.” તે સાંભળી શાસનદેવી સત્વર અતુલ એવા રાજકારમાં ગઈ અને ત્યાં સર્વ પ્રકારને આકાર અદશ્ય કરી દીધો અને શહેરની ઉપર એક મોટી શિલા રચી. બાંધી લીધેલા પુરરક્ષકો રાજાની આગળ આવ્યા અને બધું નગર તે વખતે આકુલવ્યાકુલ થઈ ગયું. રાજા તૃષાતુર થયે, કઈ ઠેકાણેથી પાણી મેલે નહિં. કારણકે તે દેવીએ પ્રથમથી ચતુર્વિધ અ હાર પણ અદશ્ય કર્યો હતો. રાજાએ પિતાના મંત્રીની આગળ આ વૃત્તાંત કહ્યું, એટલે તેણે કહ્યું કે, “રાજનું, આ બધું દેવતાએ કર્યું છે.” પછી ત્યાં વિધિપૂર્વક બલિપૂજા વિગેરે કરવામાં આવતાં દેવતાએ પ્રત્યક્ષ થઈને રાજાએ આ પ્રમાણે કહ્યું, “ અરે રાજા, નિરપરાધી સુરદત્તને શામાટે વૃથા હેરાન કરે છે ? અતિ કર હૃદયવાલ પાપી કમળસેનજ ચાર છે. તેણે મુદ્રારત્ન લઈને સુરદત્તના ઘરમાં છુપાવ્યું હતું.” તે સાંભળી રાજા અને મંત્રી બંને સાથે મળી આવી દેવીના ચરણમાં પડયા અને આ પ્રમાણે બેલ્યા, “દેવિ ! એકવાર અમારે અપરાધ ક્ષમા કરો. ફરીવાર એવું વિચારી કામ નહિં કરીએ.” પછી દેવી સુરદત્તને વિમાનારૂઢ કરી ઉત્સવ સહિત રાજમંદિરમાં લઈ આવી અને શહેર ઉપરથી શિલા દૂર કરી, નગર રક્ષકેને તેણે બંધમાંથી મુકત કર્યા, ચતુવિધ આહાર પ્રગટ કર્યો અને પેલા કમલસેનનું મુખ પાછલ કરી દીધું. દેવતાઓ ભાવથી મહા બલવાળા હોય છે. પછી રાજાએ સુરદત્તને પોશાક પહેરાવી તેને ઘેર મોકલ્યો અને કમસેનને ધથી સ્મશાનમાં કર્યો. ત્યાં રાજાના પુરૂપિએ તેને વિવિધ મારથી મારી નાંખે, તે મૃત્યુ પામીને નારકી થયે. અહો ! ઉગ્રકમ તત્કાળ ફલ આપે છે. અવસર આવતાં સુરદત્ત પિતાની પત્ની સાથે ગુરૂસમીપે વ્રત લીધું અને સાત ક્ષેત્રમાં ઘણુ ધન ખર્ચી નાખ્યું. તે પત્ની રુકિમણીની સાથે ગાઢ તપ કરી કમને ક્ષય કરી કેવળજ્ઞાન પામી મોક્ષને પ્રાપ્ત થયું. આ પ્રમાણે અદત્તાદાનને છેડવાથી અને તેને ગ્રહણ કરવાથી જે સારું અને માઠાં ફલ થાય છે, તે જાણીને ત્રીજા વ્રતને અંગીકાર કરે. इति तृतीयं व्रतम् આચારવાળી પિતાની સ્ત્રીમાં સંતોષ રાખવે અને સ્ત્રીઓએ પિતાના પતિમાં સંતોષ રાખ, એ ગૃહસ્થને માટે વિદ્વાનોએ ચોથું વ્રત કહેલું છે. જે પુરૂ ષ વગર તે પિતાની સ્ત્રીને પણ ત્યાગ કરે છે, તેઓને યુકિતવડે યતિઓથી પણ અધિક જાણવા. આ પૃથ્વી ઉપર એવા લોક ડા જેવામાં આવે છે, પરંતુ સર્વ જનેને પર્વના દિવસોમાં તો સ્ત્રીને સંગ સદા વર્જિત કરવો જોઇએ. કિલષ્ટ બુદ્ધિવાલા જે પુરૂષે પરસ્ત્રીની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy