SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિમળનાથ ચરિત્ર, મુદ્રાર તેને જોવામાં આવ્યું. તરતજ તે ક્ષણવારે પાછો વળી ગયો તેને સત્વર પાછો આવેલ જેઈ કમલને પૂછયું કે, “ભાઈ, તું સત્વર કેમ ચાલ્યો આવ્યો?” સુરદત્તે અનર્થદંડ જાણુંને કાંઇ પણ ઉત્તર આપે નહીં. પછી કમળસેને ત્યાં જઇ આદરપૂર્વક તે મુદ્રારત્ન લઈ લીધું. પછી બેટી બુદ્ધિથી તે નહિં સહન કરનાર કમળસેન સુરદત્તને ઘેર આવ્યું. સુરદત્તે યોગ્યતાથી તેને જમાડય અને ઘરની અંદર સુવાર્યો. “હું આને રાજા પાસે શિક્ષા કરાવું” એવું ચિંતવી તેણે તે મુદ્રારત્ન તેના ઘરની પેટીમાં ગુપ્ત રીતે નાખી દીધું. રાજાએ શણગાર પહેરતી વખતે તે મુદ્રાઉન જેવા માંડયું, અને લેકાના સમૂહે પણ જોવામાં માંડ્યું, પણ તે કઈ ઠેકાણે જોવામાં આવ્યું નહિં. રાજાએ તલાક્ષ– કોટવાળને બોલાવીને આ પ્રમાણે આજ્ઞા આપી–“ભદ્ર! તું હમણાંજ શહેરની અંદર તે મુદ્રારત્નની શોધ કર્યો. ” તેણે શોધ કરી, તે પણ તે રત્ન મલ્યું નહિં. પછી પહ વગાઢ જણાવ્યું કે, “જે કઈ મુદારત્ન રાજાને સોંપી દેશે, તેને ગુન્હો માફ કરવામાં આવશે અને જે પાછળથી તેનો ગુન્હો જાણવામાં આવશે, તે રાજા તેને દંડ આપશે.” આ સાંભળી સુરદને કમલસેનને કહ્યું, “બંધુ, તું તે મુદ્રારત્ન રાજાને સેંપી દે.” કમલસેન બે , “તે કયાં લીધું છે?” સુરદત્તે કહ્યું, “પેલા દેવમાર્ગમાંથી તે લીધું છે.” તે સાંભળી કમલસેન બે, “તું આ બધું બેટું બોલે છે.” પછી કમલસેને રાજાની પાસે જઈને કહ્યું કે, “સુદત્તે તમારૂં મુદ્રારત્ન સ્પષ્ટ રીતે લીધું છે.” રાજાએ પૂછયું, “તે કયે ઠેકાણેથી લીધું છે? કમલસેન બે. “દેવગૃહના રસ્તામાંથી.” તે સાંભળી રાજાએ કાટવાળની મારફત તેને રૂબરૂ તેડાવ્યો, અને કહ્યું, “તે દેવમાર્ગમાંથી જ રત્ન લીધુ છે તે લાવ્ય, અમારો પણ એજ માર્ગ છે. ” “મેં તે મુદ્રારત્ન લીધું નથી.” સુરદત્તે કહ્યું. રાજા બે કે, “તારા ભાઈ કમળસેને મારી આગળ આવીને તે વાત કહી છે.” તે રત્ન પિતાના ભાઈ કમળસેને લીધું હતું, એમ સુરદત્ત જાણતો હતું, તથાપિ તે પાપભીરુ સુરદત્ત રાજાની આગળ કાંઈપણ કહ્યું નહિં. સુરદત્તે કહ્યું કે, “તે પછી તે કમળન તે રત્નનું ઠેકાણું જાણતો હશે. કમળસેને કહ્યું કે “તે પિટીમાં છે.” પછી સુરદત્તે તે પેટી તપાસી, પણ તેમાંથી તે નીકળ્યું નહિં. તે વખતે કમલસેને આવી જ્યાં પિતે તે રત્ન નાખેલું તે ઠેકાણેથી તે રત્ન કાઢી રાજાને બતાવ્યું, આથી રાજા સુરદત્ત ઉપર ઘણાજ નારાજ થયે. અને બોલ્યા, “અરે ! આ પ્રમાણે પવિત્ર કીર્નિવાલા બધા લેકેને તું ધર્મના કાર્યમાં છલથી કેમ છેતરે છે?” રાજાનાં આ વચન સાંભળી પિતાના કર્મની સ્થિતિને જાણતે સુરદત્ત મૌન ધરીને ઉભે રહ્યા. તરતજ રાજાએ તેને વધ કરવાની કેટવાળને આજ્ઞા કરી. પછી એક ગધેડાને મંગાવી તે ઉપર તેને ચડાવ્યા. બેસૂરવાલા વાજિત્રે ઉચ્ચ સ્વરે વાગતાં વાગતાં તેને વધ્યભૂમિ ઉપર લઈ જતાં જઈ તેની પ્રિયા રુકિમણને ઘણું દુઃખ થયું. તરતજ તેણીએ શાસનદેવતાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy