________________
ત્રીજા વ્રત ઉપર સુરદત્ત અને કમળસેનની કથા. ૨૮૩ જે મનુષ્ય પારકું પડેલું દ્રવ્ય સર્ષના જેવું માને છે, તેને સુધા અને ધ વિગેરેથી યુકત એ સર્પ પણ માન આપે છે. જે પુરૂએ પૂર્વે પારકા હરેલા દ્રવ્યોથી પિતાના હાથને બાલ્યો નથી, તે પુરૂષના ઉત્તમ હૃદયને અગ્નિ પણ બાબત નથી. જે લેવાથી “આ ચોર છે ” એમ લકે કહે છે, તેવી અદત્ત વસ્તુને વિવેકી પુરૂષાએ ગ્રહણ કરવી નહીં, પણ તેને છોડી દેવી. જે અદત્ત વસ્તુને લેતો નથી, તે સુરદત્તની જેમ આ પૃથ્વીમાં કલાઘનીય થાય છે અને જે તેવી વસ્તુ ગ્રહણ કરે છે, તે કમસેનની જેમ નિંદનીય થાય છે. એક
- સુરદત્ત અને કમળસેનની કથા. જબૂદ્વીપની અંદર શત્રુઓએ નહીં કંપાવેલી ચંપા નામે નગરી છે. તેમાં હરિચંદ્ર નામે એક સત્વગુણ રાજા હતો. નગરીમાં સુરદત્ત નામે એક શેડ રહેતે હતો. એક સમયે તે શેઠ સાથે (સાથી લઈને વેપાર કરવાને માટે દેશાંતર જવા ચાલ્ય. રસ્તામાં કર એવા ચેરેએ તેને માટે સાથે લુંટી લીધે. તે સમયે “હવે કઈ દિશામાં જવું ? એમ હૃદયમાં અકળાઈને તે ત્યાંથી નાસી ગયે. તે માનરહિત સૂર્યપુરનગરના ઉદ્યાનમાં આવ્યું. ત્યાં કાલા મુખવાલે કે પુરૂષ તેના જેવામાં આવ્યું. સુરદત્તે તેને પૂછયું કે “તું કે છે અને કયાંથી આવ્યો છું? તારી આવી સ્થિતિ કેમ છે? તારૂં સ્વરૂપ મને કહે.” તે બેભે, આ સૂર્યપુરમાં વિમળ નામે એક શેઠ હતા, તેને ધનંજય નામે હું પુત્ર છું. ધન મેળવવાને માટે હું પરદેશ ગયે હતો. પાછળથી મારા પિતા મૃત્યુ પામી ગયા અને મારા ઘરનું દ્રવ્ય રાજ્યમાં દાખલ થયું અને પરદેશમાં મેં નવું દ્રવ્ય ઉપાર્જન કર્યું નહિ તેથી હું દુખી છું” સુરદત્ત બોલ્યો, “ તારે દ્રવ્યના નિધન શું નથી? ” ધનંજયે કહ્યું, “હા. નિધાન છે, પણ તેમનું પ્રત્યક્ષ ઠેકાણું હું જાણતો નથી ” સુરેંદ્રદત્ત બાયે, “ હે નિર્દોષ બંધુ, જે તું મને અર્ધો ભાગ આપે તો હું તને નિધાનનું ઠેકાણું બતાવું.” ધનંજયે તે વાત કબુલ કરી. પછી તે સુરદત્ત તેને ઘેર ગયો અને ત્યાં જઈ જમીન ઉપર એરંડાના બીજ વાવ્યા. તત્કાળ તે બીજમાંથી એક અંકુર પ્રગટેલે જઈ તેણે તે ઠેકાણું બતાવ્યું. પછી તે સ્થળની પૃથ્વી ખેદી ત્યાંથી ભરેલું એક નિધાન નીકલ્યું, તે બંનેએ તેની અંદર ચાર કટી સુવર્ણ જોયું તેઓએ તેમાંથી બે બે કટી સુવર્ણ વહેંચી લીધું. પછી સુરદત્ત પોતાને ઘેર ચાલ્યો ગયો.
આ અરસામાં તે સુરદત્તને પિત્રાઈભાઈ કમળસેન નામે હતો, તે હંમેશાં સુરદત્તની સાથે દ્વેષથી વર્તાતે હતે. તે સુરદત્તની પ્રશંસા સહન કરી શકતા નહિં અને હમેશાં તેનાં છિદ્રાજ જોયા કરતો હતે; પરંતુ પુણ્યના પ્રભાવથી સુરદત્ત સદા સુખી રહ્યા કરતો હતે, એક વખતે તે દેવપૂજા કરવાને માટે જતા હતા. ત્યાં રસ્તામાં યત્ન વગર એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org