________________
૨૮૨
શ્રી વિમળનાથ ચરિત્ર, નહિં બોલું.” રાજા સંતુષ્ટ થયે અને તેણે કમળશેઠને બહુ માન આપ્યું, તત્કાળ દેવતાઓએ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી. પછી રાજાએ વિમળને પિતાના દેશમાંથી કાઢી મુક અને હર્ષથી સાગરને પૂછયું કે, “તે એ હકીકત શી રીતે જાણી?” સાગર બોલ્યો, “ગંધથી અને આંબાના પડવાથી મેં આંબાનું ગાડું જાણ્યું, અને શૌચઆચારથી તેના હાંકનારને બ્રાહ્મણ જાયે. જ્યાં તે હાંકનારે હિતની ઈચ્છા કરનાર હાંકનારે પગ ઘેલા, ત્યાં ઘણી માખીઓ ભેગી થયેલી જોઈ તે ઉપરથી મે તેને કોઢીઓ ચિંત. પૃથ્વી ઉપર વારંવાર પડવાથી તેના એક બલદને ગળીયો અને રેતી ઉપર પગની વાંકી રેખાઓ જેવાથી બીજા બલદને લુલે જાયે. તે હાંકનાર બ્રાહ્મણે આંબાના ફલેને ઢાંક્વાને માટે છેદેલાં તેના પત્રો અને નીરસ ફલ કાઢી નાખેલા તે ખાવા ઉપરથી મેં તેની પાછળ ચાલનારને ચંડાળ જાણી લીધું હતું. કાંટાવાલા વૃક્ષની ઉપર રાતા તંતુઓ વળગેલા તે ઉપરથી પાછળ આવનારી સ્ત્રી ધારી હતી અને ફરીને જોવાથી તે રૂષ્ટ થયેલી જાણવામાં આવી. “કેઈમને મનાવાને આવે છે કે નહીં,” એમ જેવાને માટે તેણી પાછી ડોક કરી જેતી હતી, એમ તેણીનાં પગલાં ઉપરથી જાણ્યું, અને તે દેહચિંતા પીશાબ કરી હાથને ટેકો લઈને ઉભી થઈ, તે ઉપરથી શરીરના ભારથી મંદ થયેલી તે ગર્ભિણી છે એમ જાણ્યું તેને જમણે હાથ જેથી જમી માં પેશી ગયા, તે ઉપરથી તેણીના ગર્ભમાં પુત્ર છે, અને દુઃખથી તેને પ્રસવ હમણાં જ થશે એમ જાણું લીધું.” સાગરનાં આ વચન સાંભળી રાજા ઘણે ખુશી થયો અને તરત જ તેને પિતાને મુખ્ય મંત્રી બનાવ્યું. જેઓ બુદ્ધિરૂપી ધનવાલા છે, તેઓની લેકમાં સર્વ કે ણે પૂજા પ્રતિષ્ઠા થાય છે. રાજાએ અને અન્ય જનેએ સત્યભાષણને લઈને કમળશેઠને માન આપ્યું અને અસત્યવાદી વિમળને તે રાજાએ અને અન્ય જનેએ દેશમાંથી બાહર કાઢો. કમળ બ્રહ્માની જેમ કમલાવાસ, હંસાધાર અને પત્રપૂગથી યુકત થઈ અધિક શોભતો હતું. રાજાએ પિતાની ગાથી કમળને જે પ્રસાદતા અને વિમળને કાળાશ આપી, તેથી લેકમાં તે આશ્ચર્યકારી બન્યું. કમળશેઠ અમૃષાવાદ નામે બીજું વ્રત આરાધી નિર્મલ ઉદયવાલે થઈ આયુષ્યને ક્ષય થતાં મૃત્યુ પામીને સીધર્મદેવલોકમાં દેવતા થયે. સત્યના વેગથી કમલ લક્ષમીને પ્રાપ્ત થયો અને અસત્યના વેગથી વિમળ દુખી થયે, તેથી વિવેકી જનેએ હંમેશાં સત્ય ભાષણ કરવું. જે સત્ય ભાષણ કરવાથી મહત્વ, ખ્યાતિ અને સત્કીનિં વિગેરે ગુણે પ્રાપ્ત થાય છે.
इति द्वितीयं व्रतम्
૧ બ્રહ્મા કમળાવાસ-કમળમાં વસનાર. હંસ-આધાર-હંસના વાહનના આધારવાલા અને પત્રપૂગ-જ્ઞાનના ગ્રંથોથી યુકત છે. કમલશેઠ કમલા–લમીના આવાસ-સ્થાનરૂપ, હંસપરમહંસચોગીજનેના આધારરૂપ અને પત્રપૂગવાહનોના સમૂહવાલો છે. ૨ ગોથી-વાણીથી. ૩ કમળવિકાશી છે તેને પ્રસન્નતા આપી તે આશ્ચર્ય. ૪ વિમલ નિર્મલ છે તેને કાલાશ આપી તે આશ્ચર્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org