________________
બીજા વ્રત ઉપર કમળશેઠની કથા
૨૮૧ મોટા શહેરમાં વેપાર કરવા માટે ગયે. ત્યાંથી પાછા ફરતાં માર્ગે જળની વૃષ્ટિ થવાથી તે અટકીને લેકેની શ્રેણથી વિરાજમાન એવા રતનપુર નામના નગરમાં રોકાઈ ગયે. તેવામાં વિજયનગરનો રહેવાસી સાગર નામને એક વણક ઘણી વસ્તુઓ લઈ
ત્યાં આવી ચડે. પિોતે એક સ્થાનના નિવાસી હોવાથી વિમળે તે સાગરને પિતાને ઉતારે ઉતારી જમાડયો અને તેણે તેના કુટુંબની કુશળ વાર્તા કહી. પ્રથમ વર્ષાદ વિરમ્યા પછી પોતાના નગર પ્રત્યે જવાની ઈચ્છા ધરાવતા એવા તે ચતુર સાગરને તે લેભી વિમળે વિનંતી કરી એક પખવાસ સુધી રોક્યા. પછી સાગરે કહ્યું કે, “ હવે તું મારે માલ વેચી નાખ કારણકે, તે જુને માલ હેવાથી હવે લાંબો વખત ટકી શકશે નહિં.” તેથી તેણે તેનો માલ વેચી નાખે, પરંતુ તેનું કાંઈક દ્રવ્ય દળે કરીને લઈ લીધું; કારણકે, તે (વિમળ) પિતે હી હતો. પછી તેઓ બંને ત્યાંથી સાથે ચાલતા થયા, અને અનુક્રમે પિતાના નગરની પાસે આવી પહોંચ્યા. તે ખબર જાણવામાં આવ્યાથી કમળ તેની સામે ગયે. ત્રણે રસ્તામાં મળ્યા. તે વખતે બુદ્ધિના ભંડારરૂપ સાગરે વિમળને કહ્યું. “બાંધવ, એક મારૂં વચન સાંભળો. એક આંબાનું ગાડું રસ્તે ચાલે છે, તેને હાંકનાર એક કેઢીઓ બ્રાહ્મણ છે, તે ગાડાની ડાબી તરફ બળદ કાણે છે અને જમણી તરફને બળદ ગળીઓ છે, તેની પાછળ ચાલનારો એક માતગ ચંડાળ છે અને તેની એક રૂછ સ્ત્રી પાછળ ચાલી આવે છે. તે દુઃખી સ્ત્ર હમણાંજ એક પુત્રને જન્મ આપશે.” તે સાંભળી વિમળે કહ્યું, “તેં આ બધું ખોટું કહ્યું છે. ” સાગર બેલ્યો, “મુનિની વાણીની જેમ મારું વચન નિષ્ફળ નથી સાચું છે.” વિમળ બે, “જો આ તારું કહેવું સત્ય હોય, તો જેટલી મારી લક્ષમી છે, તે તારી થાય અને હું હોય, તે જેટલી તારી લક્ષ્મી છે, તે મારી થાય.” સાગરે તેનું તે સવ વચન કબુલ કર્યું અને તે બંનેએ તેમાં ઉત્તમ શેઠ કમળને સાક્ષી રાખે, પછી તે વણે ઉતાવળા ચાલ્યા ત્યાં પેલું ગાડું સામે મળ્યું. સાગરના કહેવા પ્રમાણે બધું ત્યાં જોવામાં આવ્યું. દ્રવ્યના નાશના ભયથી વ્યગ્ર થયેલા અને હૃદયમાં પરિતાપ પામતા મૂઢ વિમળે તરત પોતાનો માલ ગોપવી દીધું. અને તેણે પોતાના પિતા કમળને કહ્યું કે, “તમે સાક્ષી છે, તો તમારે હવે મારે પક્ષપાત કરે કારણ કે, તમે મારા બાપ છે.” આ સમયે કમળ સ્થિર મન રાખી મૌન રહ્યો. પછી વિમળ અને સાગર બંને વિવાદ કરતા સવર બળાત્કારે દરબારમાં ફરીયાદ કરવા ગયા. તે બંનેએ પોતાને વૃત્તાંત રાજાની આગળ નિવેદન કર્યો. તે સાંભળી રાજાએ કહ્યું કે, “તમારો કેઈ સાક્ષી છે ?” તે વખતે સાગર બેલ્યો, “પ્રભુ, આ વિમળને પિતા સાક્ષી છે.” પછી રાજાએ કમળશેઠને બોલાવી પૂછયું, એટલે તેણે રાજાની આગળ સ્પષ્ટ રીતે સાચેસાચું કહી આપ્યું કે “રાજનું, સાગર જીત્યો છે અને મારો પુત્ર હાર્યો છે. હું દ્રવ્યના લેભથી ખોટું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org