________________
શ્રી વિમળનાથ પ્રભુને પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન, ૨૭૧ વર્ણના બે વૈમાનિક ઉત્તમ દેવતાઓ પ્રતિહાર થઈને શુભભાવથી ઉભા રહ્યા હતા. દક્ષિણ દ્વારમાં બે શુકલવર્ણના વ્યંતર દેવતાઓ, પશ્ચિમ દ્વારમાં બે રકતવર્ણના જતિષ્ક દેવતાઓ અને ઉત્તરદ્વારમાં બે કૃષ્ણવર્ણના ભુવનપતિદેવતાઓ દ્વારપાળ થઈને રહ્યા હતા. સુવર્ણ વપ્રમાં અનુક્રમે પૂર્વાદિ ચાર દિશાઓના દ્વારમાં જયા,વિજયા, અજિતા અને અપરાજિતા નામે ચાર દેવીઓ હથીયાર ઉગામી રહી હતી. રૂપેરી પ્રમાં પ્રત્યેક દ્વારે ખટ્વાંગ, તુંબરૂ, જટા, કિરીટ અને માળાને ધારણ કરનાર નૃશીર્ષ દેવતાઓ દ્વારપાળ થઈને રહ્યા હતા. તે સમવસરણની વચ્ચે વ્યંતરદેવતાઓએ સાતસે ને વિશ ધનુષ્યના પ્રમાણવાળું એક ચિત્યવૃક્ષ કર્યું, તેની નીચે એક મણિપીઠ અને તે પીઠની ઉપર એક છંદક રચી તે પર ચાર સુંદર સિંહાસનો કર્યા હતાં. તે સિંહાસન પાદપીઠવાલાં અને ત્રણ છત્રવાળાં હતાં. તે ઉપર ચામરોની શ્રેણી સાથે આઠ યક્ષો રહેલા હતા. સુવર્ણના વપ્રની મધ્યભાગે ઈશાન દિશામાં પ્રભુને વિશ્રાંતિ લેવાને માટે વ્યંતરદેવતાઓએ એક દેવછંદ કર્યો હતો.
તે પછી ચાર પ્રકારના કટાકેટી દેવતાઓની સાથે પ્રભુ સંસારનો ભય રાખનાર પ્રાણુઓને શરણરૂપ એવા તે સમવસરણમાં જવાને ચાલ્યા. તે વખતે દેવતાઓએ તે ધર્મના ચકવર્તી એવા પ્રભુની આગળ જાણે સાક્ષાત નવનિધાન હોય તેવા નવ કમળ રસ્થાપિત કર્યા. પ્રભુ ચાલતાં ચાલતાં તે બબે કમળની ઉપર પાન્યાસ કરતા હતા અને દેવતાઓ ભકિતથી તે કમળને આગળ આગળ ધરતા હતા. સૂર્ય જેમ તેજસ્વી થઈ અંધકારના સમૂને ભેદવાને આકાશ પ્રદેશમાં પ્રવેશ કરે, તેમ પ્રભુએ પૂર્વદ્વારથી અજ્ઞાનરૂપ અંધકારના સમૂહને ભેદેવાને સમવસણરણમાં પ્રવેશ કર્યો. તે કાલે પૂર્વાભિમુખે થઈ ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી પ્રભુ “ તથા :' એમ કહી સિંહાસન ઉપર બેઠા. તે સમયે વ્યંતર દેવતાઓએ શ્રી સર્વજ્ઞપ્રભુના પ્રભાવથી બીજી ત્રણ દિશાઓમાં પ્રભુના ત્રણ પ્રતિરૂપે રચ્યાં. તેમના મસ્તક ઉપર ભામંડળ શમવા લાગ્યું. આકાશમાં દુંદભિને નાદ થયો અને તેઓની આગળ રત્ન ધ્વજ અને ધર્મચકવિરાજમાન થયું. બાકીનું જે કાંઈ કાર્ય કર્યું હતું. તે સર્વ કાર્ય વ્યંતરેએ કરી બતાવ્યું હતું. વિબુધ દેવતાઓ પિતાના યોગ્ય કાર્યમાં કદિપણુ આલસ કરતા નથી. આવી રીતે જે સમવસરણ કરવામાં આવે, તે તે એક સ્વાભાવિક સ્થિતિ-મર્યાદા છે. નહીં તે ભકિતમાનું એ એકજ દેવતા એ સર્વ પણ કરી શકે છે. તે પછી ક૫ કપની ઘણી સ્ત્રીઓ પૂર્વ દ્વારથી આવી ત્રણ પ્રદક્ષિણા આપી તીર્થને અને પ્રભુને નમસ્કાર કરી અગ્નિ દિશામાં સાધુ સાધ્વીઓને માટે અદ્ભુત સ્થાન રાખી તેના અંતરના ભાગમાં અંજલિ જેડી હર્ષથી સુખે બેઠી, તિષી, ભુવનપતિ અને વ્યંતરોની ઉત્તમ સ્ત્રીએ દક્ષિણ દ્વારે પ્રવેશ કરી નિત દિશામાં પિતાને વાસ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org