________________
રાગદ્વેષ કરવા ઉપર લક્ષ્મીધરની કથા
૨૫૫ પુત્રે કેમ માનનીય ન કહેવાય ? ” આ સાંભળી વરૂણ શેઠ છે. “વત્સ, હું એકાંતે એમ કહેતા નથી કે, સત્કર્મથી પ્રખ્યાત એવા પુત્ર માનનીય નથી, પરંતુ પિતાએ અને માતાએ મનુષ્ય જાતીને ઘટે તેવું પુત્રોનું હિત કાળને અનુસરીને કરવું જોઈએ. નહિં તે તે પુત્રો ઉછરીને મોટા શી રીતે થાય? કૃપાળુ પુરૂષે પશુઓનું પણ પાલન કરવામાં અર્થ આપનારી અને ઉત્તમ એવી સારવાર કરે છે, તે પછી પિતાના બાળપુત્રની કેમ ન કરે? પરંતુ તે પહેલાં કહ્યું કે, “ધમ કરવાથી પુત્ર થાય છે, તો જે તે પુત્રના અનાદર કરીએ તો ધર્મનો પણ અનાદર થાય.” એ વાત તદ્દન અસત્ય છે, કારણકે, ધર્મ કરવાથી તો રાજ્ય પણ મળે છે, પણ જે તે રાજ્યમાં અતી આસક્તિ રાખવામાં આવે, તે પુરૂષોને નરકની પ્રાપ્તિ થાય છે. વૈદકમાં પાણીને જીવન અને અમૃત કહ્યું છે, પણ જે તે ઘણું પીવામાં આવે, તો તેથી રોગની ઉત્પત્તિ થાય છે. વળી કહ્યું છે કે, “ પુત્ર, ભાઈ અને પશુ વિગેરે સર્વે ત્રણ સંબંધે આવી મળે છે અને જ્યારે અને ક્ષય થાય છે, ત્યારે તેમનો ક્ષય થઈ જાય છે. તો પછી તેમને માટે અફસોસ કરે? આ વખતે મેહરાજાના કેપકુંજર નામના પુત્રે તે સુંદર પુત્રમાં જરા પ્રવેશ કરી દીધે, એટલે તે સુંદર જેમ તેમ બોલવા લાગે. વરૂણશેઠે તેને પણ ઘરથી જુદો કર્યો. તત્કાળ નિરંકુશ થયેલો તે સુંદર લજજા છોડ અને ધમને ત્યાગ કરી સ્નેહરાગવાળ થઈ હંમેશાં પોતાના પુત્રનું જ ધ્યાન કરવા લાગ્યું.
હવે વરૂણશેઠને ત્રીજો પુત્ર જે અહંદુત હતા, તે જ્યારે યૌવન વયને પ્રાપ્ત થયે, ત્યારે કામાનુરાગે તેના મનને આકુલવ્યાકુળ કરી દીધું. તે પોતાની સ્ત્રીને જ ફકત માનવા લાગ્યો. તે પોતાના પિતા, માતા, બંધુવર્ગ, બહેન, વૃદ્ધો અને સ્ત્રીઓને માનતો ન હતો. તેણે જગતમાં અભુત એવું એક જુદું ભવન બનાવ્યું અને આસપાસ વાટિકા અને વિવિધ જાતના ચિત્રોથી તે યુકત કર્યું. તે કપૂરના પૂરવાળું તાંબુલ અધું ચાવીને
કી દે અને પૃથ્વી ઉપર યક્ષકદમની ગાર કરાવતા હતા, તે ધૂપથી ધૂપિત કરેલા ઘરમાં પુષ્પની શયામાં સુતે અને ત્યાં સતત સંગીત કરાવતો અને દ્રવ્ય ઉડાવત હતો. રાજા પ્રમુખની સાથે સ્પર્ધા કરે તે તેને કામરાગ વધી પડશે. જુદા જુદા છીએ, મંત્રીઓ, સાર્થપતિઓ અને વેપારીઓની બીજી એટલી કન્યાઓ પર કે જેમની સંખ્યા પાંચસેની પૂરેપૂરી થઈ હતી, પણ તેને સંતોષ થયો ન હતો. તથાપિ તે મદથી યુકત થઈ પરસ્ત્રીને સંગ કરતો હતો. આ ખબર જાણી તેના પિતા વરૂણે તેને આ પ્રમાણે કહ્યું-“અરે ! તેં આ શું માંડયું છે ? સામાન્ય કુળમાં થયેલા ઘણા મનુ પણ પરસ્ત્રીગમનરૂપ દારૂણ કર્મ કદિ પણ આચરતા નથી, તે તું મારા ઉચ્ચ કુલમાં ઉત્પન્ન થઈ આ પ્રમાણે પરસ્ત્રીમાં આસકત રહે છે તે તું અવશ્ય નારકી થઈશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org