SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ શ્રી વિમળનાથ ચરિત્ર, 26 હીસાબમાંજ નથી. હું તે તમારૂ સર્વાં કાય કરીશ; પરંતુ તેમાં એક ઉપાય છે, તે સાંભળે. આ નગરની પાસે એકશ્રગ નામે એક મેટા પર્યંત છે. તેમાં દેવતાથી અધિષ્ઠિત એવી એક ક્રુષિકા ( વાવ ) છે. તે કુષિકાનું મુખ નેત્રપુટની જેમ ઉઘડે છે અને વીંચાય છે. તે કુપિકાની અંદર પ્રવેશ કરીને તેના જળનું યત્નથી અકણુ કરવું. પરંતુ ત્યાં સાવચેત રહેવાનું છે. જો તે જળ લેનારા માણસ ભય પામે, તે તેનું મૃત્યુ થઇ જાય છે. જેના પુત્ર તે જળ ખેંચી લાવે, તે પિતાને ગુણકારી થાય છે. તે તમે તે જળ લઈ સમીપ આવી પિતાને હર્ષોંથી ત્રણવાર છાંટશે, એટલે તેને અંધમાંથી મેક્ષ થઈ જશે, તે શિવાય સેા વર્ષે પણ થશે નહીં. ” રાજાનું આ વચન સાંભળી ગુણવર્માએ કહ્યું. “ હું મારા પિતાને માટે તે કાય કરીશ. કારણકે, આ વિશ્વમાં માતાપિતાને બદલા વાળી શકાય તેમ નથી. ” પછી ગુણવર્મા જયચંદ્રની સાથે સવ સામગ્રી લઇ તે કુપિકાના મુખ આગળ ગયેા. ત્યાં દારી સાથે એક માંચી ખાંધી જયારે તે કુપિકાનું મુખ વિકાસ પામ્યું, એટલે રાજાએ ગુણવર્માને માંચીમાં બેસારી કુપિકાની અંદર નાખ્યું. જયારે કુપિકાનું મુખ પાછુ વિકાશ પામ્યું, એટલે તેને જલની સાથે ખાહેર ખેંચી લીધે તે વખતે જયચંદ્ર રાજાએ પેલા રાક્ષસને યાદ કર્યાં. રાક્ષસ હાજર થયે અને તેણે ગુણવર્માને વિગ્રહવાળા લેાભાકર અને લાભનંદીના ઘરમાં ક્ષણવારમાં પહોંચાડી દીધું. ત્યાં ગુણવર્માએ તે કુપીકાનું. જળ છાંટી પેાતાના પીતા લેાભાકરને સત્વર મુકત કર્યાં. એટલે લેાભાકર ક્ષણવારમાં તૈયાર થઇ ગયા. અને એકલા લાભાની તેવીજ રીતે સ્તંભાત થઈ નઠારી સ્થિતીમાં રહ્યો. પુરૂષાને પુત્ર વીનાં બંધ મેાક્ષ શી રીતે થાય ? પછી શ્રેષ્ઠિ પુત્ર ગુણવર્માના આગ્રહથી જયચંદ્રે લાભનંદીને ઘરની અંદર રાખ્યો, પણ ત્યાં તે દીનવને રૂદન કરવા લાગ્યા. જયચંદ્રે પુનઃ ગુણી એવા શ્રેષ્ઠીપુત્રને કહ્યું કે, “મારી પાસેથી કોઇ ભન્ય દેશ ૨ે અથવા આદરથી કાઇ વ્યાપાર સ્વીકારે. ” તેણે તેવું કાંઇ પણ લીધું નહીં; એટલે રાજાએ વસ્રાભરણથી સત્કાર કરી તેની આગળ પેલું તુંબડુ ભેટ તરીકે યુ” આથી રાજા વિશેષ સ ંતુષ્ટ થયા અને તે તુંબડુ તેને પાછું અર્પણ કરી દીધું. તેવા પુરૂષોની કરેલી ચેાગ્યતા કયાંઇ પણ નકામી જતી નથી. પછી ગુણવર્માના પીતાએ જે પોતે થાપણ એળવવાના દોષ કર્યા હતા, તેને માટે રાજાની ક્ષમા માગી, પછી રાજા પેાતાને નગર ચાલ્યા ગયા. ’ સુંદર પોતાના પીતા વરૂણને કહે છે કે, હે પિતા, એવી રીતે રાજાના પુત્ર જયચંદ્રે પેાતાનું ગયેલું રાજ્ય પાછું વાળ્યું અને ખાંધવનુ વર લીધું, તેમજ પેાતાનો પ્રજાને સુખી કરી. ગુણવર્માએ પણ મૃત્યુની અંગીકાર કરીને પણ પેાતાના પિતા લાભાકરને બંધનમાંથી છેડાવ્યે અને જે લેાલનદી પુત્ર વગરના હતા, તે ક્ષય પામી મયે. હું પીતા, જેએ એવા પુણ્યથી પવીત્ર, ઉજ્જવળ અને યોગ્ય પુત્રા થાય છે, તેવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy