________________
રાગદ્વેષ કરવા ઉપર લક્ષ્મીધરની કથા
૨૪૯
રાખા. મારે આ નગરમાં કેટલાએક દિવસ લાગશે, તે પછી જયારે મારે અહિંથી કુશલતાથી ચાલવાનુ' થશે, ત્યારે હું તમારી પાસેથી તે તુંબડું પાછુ' લઈશ.' તે અને વિષ્ણુકાએ તે તુંબડુ લહી તેને દોરીથી મજબૂત બાંધી દુકાનની વચમાં સ્વાભાવિક રીતે ઉચે બાંધ્યું. તે તુંબડામાંથી ગળી ગળીને રસનાં બિંદુએ પડવા લાગ્યાં. તેથી નીચે પડેલી લેાઢાની કુશ ( કેશ ) સુવણૅ મય બની ગઇ, તે જોઈ તે અને ક્ષુબ્ધ બનેલા વિણુકાએ તે તુંબડાને ગેાપવી દીધું. પછી જ્યારે તે પુરૂષ ફરીવાર માગવા આળ્યે, ત્યારે તેમણે આ પ્રમાણે ઊત્તર આપ્યા, “ અરે ભાઇ, ઉંદરાએ ઢોરીના અંધ કરડી ખાધે તેથી તમારૂં તુંબડું જમીન ઉપર પડયું અને તેના સેા કટકા થઈ ગયા જે ઊત્પન્ન થાય તેનેા નાશજ થાય છે. ” તેમના આવાં વચન સાંભળી તેણે કહ્યુ “ જો તેમ થયું હોય તા તમે તેના કટકા બતાવે કે જેથી મારે। સ`શય મટી જાય.” તે પછી તેઓએ બીજી તુંબડું લાવી તેના કટકા કરી તેને બતાવ્યા. તે જોઇ તે પુરૂષે વિચાયુ" કે, “ આ બંને વિષ્ણુ તે તુંબડામાં રહેલા સિદ્ધરસને જાણી ગયા, તેથી તે અનેને લાભ થયો, તે ઉપરથી હમણાં આ બન્ને લેાભાકર અને લાભનંદી એ નામના અર્થાથી સત્ય થયા લાગે છે. જો હું રાજા આગળ ફરીયાદ કરૂં, તે એ રાજાજ તે રસ કબજે કરી લે, તેથી આ બંનેને કહેવાથી વખતે તે રસ પાછે મલી શકે. ” આ પ્રમાણે ચિત્તમાં વિચારી તેણે કહ્યુ', “તમેા બંને શા માટે ખાટે જવાબ આપે! છે ? મને મારૂં તુંબડું તરત સોંપી દ્યા જો કર્દિ તમારા હૃદયમાં લાભ હોય તે તેમાંથી હું ઘેાડે રસ તમને આપું. મારે મારા નગરમાં જવાનું છે જેમ મારા બધા રસના નાશ કરવા, એ મને મુશ્કેલ છે, તેમ તમને પણ બધા રસ પચાવી પાડવા એ જરૂર મુશ્કેલ થશે, જરા હૃદયમાં વિચાર તેા કરી નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “ અતિ લેાભ કરવા નહીં તેમ તદ્દન લાભને છોડી દેવા નહિ.... અતિ લાભથી પરાભવ પામેલા માણસના મસ્તક ઉપર ચક્ર ભમે છે. ” તેણે આવાં વચને કહ્યાં તેપણ તે લેાભી વિકાએ તેને તુંબડું પાછું આપ્યું નહીં, પછી તે તેમને ત્યાં સ્તંભિત કરી દઈ માન સહિત પેાતાના સ્થાન તરફ ચાલ્યા ગયા.
""
આ વખતે લેાભાકરને પુત્ર ગુણવાં ગ્રામાંતર ગયેલે તે ત્યાં આવી ચડયા. તેણે તે બધી વાત સાંભળી અને તે બંને વિષ્ણુકાને તેવી રીતે સ્ત`ભિત થયેલા નજરે જોયા, તે પછી તેણે પેલા પુરૂષને શહેરની અંદર શૈાચે; પણ તે તેને મળ્યા નહિ. પછી તેણે શહેરમાં રહેલા બધા મંત્રવાદીઓને ખેલાવ્યા. તેમણે પાતપેાતાના મંત્રાનેા ઉપચાર કર્યા; પરંતુ તેથી ઉલટી પીડા વધવા લાગી. લાભથી જરા પણ ગુણુ થતેા નથી, પણ ઉલટા અવગુણ થાય છે. પછી તે પુત્રે વિચાર કર્યો કે,જેમાંથી અગ્નિ ઉઠે, તેનાથીજ તે અગ્નિ
૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org