________________
૨૫૦
શ્રી વિમળનાથ ચરિત્ર, શકે છે, તેથી હું તે પુરૂષને જ મનાવીને શોધી લાવું. પરંતુ તે પુરૂષ કયાં ચાલ્યા ગયે હશે અને કયાં રહેલે હશે, તે જાણવામાં નથી. તથાપિ હું પુછતે પુછતેં માળવા દેશમાં જાઉં અને જે માણસ તેને ઓળખતો હોય, તેને સાથે લઉં.” આ પ્રમાણે વિચારી તેણે તેને ઓળખનારા એક માણસને સાથે લીધો અને તે તેની શોધ કરવા ચાલે. માર્ગમાં વિશ્રાંતિ લીધા વગર ચાલતે પલે માણસ માંદો પડી ગયો. પછી પિતે તે માણસને છે એકલો શ્યામમુખ બની દુઃખી થઈ ચાલવા લાગ્યા. રસ્તામાં આગળ ચાલતાં એક મોટું નગર જોવામાં આવ્યું. પરંતુ તે નગર નિજન હતું, તેથી તેણે આશ્ચર્ય પામી તેમાં પ્રવેશ કર્યો. ત્યાં કે પ્રદેશમાં એક સુંદર પુરૂષ તેના જેવામાં આવ્યું. તેણે “સખેદબુદ્ધિવાળો તું કેણ છે?' એમ પ્રશ્ન કર્યો. તે પુરૂષ છે . “હું એક સાહસિક વિદેશી પુરૂષ છું. માર્ગમાં ચાલતાં આ નગર જોઈ મેં તેમાં હમણુંજ પ્રવેશ કર્યો છે.” તેણે પુછયું. “ આ કયું નગર છે. તે શન્ય કેમ છે અને તું અહિં એકલો કેમ રહ્યા છે?” તે પુરૂષ . “આ નગરને વૃત્તાંત પ્રથમથી સાંભળે. “નાગરિકેથી મનેહર, શત્રુના ગણે નહીં જોયેલું અને રમણીય લક્ષમીના વાસસ્થાનરૂપ આ કુશવર્ધન નામે સુંદર નગર છે. આ નગરમાં નામથી અને બળથી શુર નામે દાની રાજા હતો. તેને જય અને વિજયચંદ્ર નામે બે પુત્રો હતા. કાળક્રમે રાજા શુર કાલધર્મને પામ્ય, એટલે મોટે ભાઈ જય પિતાના રાજ્ય ઉપર આવ્યો. તે રાજાને બીજો પુત્ર વિજયચંદ્ર તે હું પિતેજ છું. હું અહંકારને લઈને તે વખતે આ મારા નગરમાંથી નીકળી ગયો. ભમતે ભમતે હું એક વખતે ચંદ્રાવતી નગરીના ઉદ્યાનમાં આવી ચડે. ત્યાં વિદ્યાસિદ્ધ એ કઈ વિદ્વાન પુરૂષ મારા લેવામાં આવ્યું. તે અતીસારના રેગથી પીડિત થઈ પૃથ્વી ઉપર પડયો હતો. પૂર્વના અગણિત પુણ્યને લીધે ઉત્પન્ન થયેલી દયાને લઈને મેં તે પુરૂષનો એ ઉપાય કર્યો કે જેથી તે તેજ વખતે નીરોગી થઈ ગયે. આથી સંતુષ્ટ થઈ તેણે મને પૂછયું કે, “ તમે કેણ છે?” મેં તેને મારે વૃત્તાંત યથાર્થ ક. પછી તેણે મને બે વિદ્યાઓ આપી. એક સ્તંભન કરનારી અને બીજી વશ કરનારી. પાઠથી સિદ્ધ થનારી તે બંને શુભ વિદ્યા મને પ્રાપ્ત થઈ. પછી તેણે પુરૂષને માન્ય થાય તેવું એક રસ ભરેલું તુંબડું આપ્યું. બે વિદ્યા અને તુંબડું એ ત્રણ વસ્તુ અર્પણ કરી તેણે મને ફરીવાર કહ્યું કે, “આ ત્રણ રત્ન મહાદય કરનારા છે તેમાં જે આ તુંબડું છે, તે સમ્યકત્વની જેમ રસથી ભરેલું છે. તેના રસથી લોકોમાં પર્વતના જેટલું સુવર્ણ થઈ શકે છે, આ સિદ્ધિ આપનારું તુંબડું તારે જેવા તેવ. માણસને ઘેર આપવું નહિં, નહીં તો અનંત લોભને લઈને તેનો નાશ થઈ જશે. તેમ આ જે બે વિદ્યા છે, તેનો ઉપયોગ પણ કદિ નિરર્થક (ખાસ કારણ વગર) કર નહિં. કોઈ કારણે કરવાથી કાર્યસિદ્ધિ થાય છે. નહિ તે વગર કારણે કરવાથી ઉલટ પાપને પરિતાપ થાય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org