SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિમળનાથ પ્રભુનું વ્રતગ્રહણ તેથી બીજા સારાં પત્રને વિનાશ થઈ જાય છે. કયે સદબુદ્ધિમાન પુરૂષ બળતી ગાડરને પિતાના ઘરમાં પેશાડે? તેથી આ કુદષ્ટ અને કેવી પુત્રને હું મારા ઘરમાં રાખીશ નહીં.” આ પ્રમાણે ચિંતવી વરૂણે તે લક્ષ્મીધર પુત્રને ઘરમાંથી બહાર કાઢો. પછી તે લક્ષમીધર પિતાની સ્ત્રી સાથે જુદા ઘરમાં રહેવા લાગ્યા, ત્યાં તે છુટી રીતે રાત્રિ - જન કરવા લાગ્યા, અભક્ષ્ય અનંતકાય વિગેરેને ખાવા લાગ્યો અને સજજનેને નિંદવા લાગે. એવી રીતે કુદષ્ટિના રાગથી મેહ પામેલે લકમીધર થોડા વખતમાં તે હિતવર્જિત થઈ સર્વ ક્રિયાથી ભ્રષ્ટ બની ગયે. હવે વરૂણ શેઠને બીજે જે સુંદર નામે પુત્ર હતું, તે અજ્ઞાન દૃષ્ટિવાલો હતે. તેને કરોડો માનતા કરવાથી એક પુત્ર થયો હતો. તે મેંઘા પુત્ર ઉપર સુંદર સ્નેહાનુરાગ વિશેષ પ્રગટ થઈ આવ્યું. પ્રતિદિન ધાવ્યમાતાઓના જેવાં કામ કરી તેનું તે સારી રીતે પાલન કરતો. રાત્રિ કે દિવસ તે કદિ પણ તેની પાસેથી ખસતો નહિં. સદાકાળ તે છોકરાને ઉત્સગમાં રાખતે અને મસ્તક ઉપર ચુંબન કર્યા કરતો હતો. અસંબંધ વચન ઉલાપનવડે ત તને હલાવતા અને શ્રેષ્ઠ માણસને પસંદ ન પડે તેવી હાસ્ય કરવા ગ્ય ચેષ્ટાઓ કરતો હતો. છોકરાના ધ્યાનથી અને નેહરાગથી અંધ થયેલા તે સુંદરે વૃદ્ધજનેની શરમ છેd દીધી અને બીજી બધી વસ્તુઓની ચિંતા પણ છોડી દીધી. પિોતે જાતે શુગ લાવ્યા સિવાય તે છોકરાને સાફ કરતો, જાતે ખવરાવતાં અને તેની મૂત્ર વિષ્ટ પણ જાતેજ ઉસડતો હતો. તે છોકરાની થોડપણ ફિકર તેની માતા ન રાખતી છતાં પણ તે સુંદર જરાપણ કચવાત નહિં. તે વેળા પ્રમાણે ભેજન કરતે નહિં, ટાઢું કે ઉનું જા તે નહિ, તેમ ધ પણ કરતે નહિં. ધર્મ કરવો તે એકતરફ રહ્યા, પણ તે ધર્મની વાર્તા પણ કરતો નહિં. શ્રાવકને કરવા યોગ્ય આવશ્યક કમ કરતો નહીં અને દેવગૃહમાં પણ જતો નહિં. મંત્રમાં મોટા એવા નવકારમંત્રનું ચિંતવન કદિપણ તે કરતો નહિં. કેઈ ખાસ મેટા કામને માટે તેને મોકલવામાં આવતો ત્યારે પણ તે છોકરા વિના એકલે જતે નહિં. જ્યારે પુત્ર માં પડતે, ત્યારે તે ભજન કરતો નહિ અને તેની ઉપર પડી આંસુ પાડતે શેક કરતે હતો. તે સુંદરને આવે છે તેના પિતાવરૂણે તેને આ પ્રમાણે કહ્યું—“વત્સ, પુત્ર ઉપર તારો ઘણે નેહ કેમ દેખાય છે ? કહ્યું છે કે, “લેભનું મૂવ પાપ છે, રેગનું મૂલ રસ છે અને નેહનું મુલ દુઃખ છે, માટે તે ત્રણેને છોડી સુખી થા.” અરે પુત્ર, સાંભળ્ય, પુત્રના અત્યંત મેહથી રાજા દશરથને પ્રાણનો અંત કરનારું અતિદુઃખ થયું હતું. પુત્ર જન્મતાંજ સ્ત્રીને હરે છે, માટે થાય, ત્યારે તે ભજન હરે છે અને સમર્થ થાય. ત્યારે દ્રવ્ય હરે છે, તેથી પુત્રના જે કે શત્રુ નથી. આ સંસારરૂપી અરણ્યમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy