________________
૨૪ર.
શ્રી વિમળનાથ ચરિત્ર, પતિ ન હતો. તેને શ્રીકાંતા અને વિજયા નામે બે સ્ત્રીઓ હતી. તે બંને જૈનધર્મમાં તત્પર અને પાપકર્મથી વિરત હતી. રતી પ્રીતિરૂપ તે બંને સ્ત્રીઓની સાથે રહેલા અને રૂચિર અંગે વિવતિ છતાં શિવાકાંક્ષી તે પ્રદ્યુમ્નની જેમ શોભતે હતા. તે ગણપતિની જેમ સિદ્ધિબુદ્ધિ વડે યુક્ત, લેકોને લાભ કરનાર અને ગુરૂદક ઉપર રૂચિ ધરનાર થઈ સદા ભતો હતો.
તે વરૂણ શેઠની શ્રીકાંતા નામની સ્ત્રીને લક્ષ્મીધર, સુંદર અને બહંદન નામે ત્રણ પુત્રો થયા અને વિજયાને નંદ નામે એક પુત્ર થયે. લોકોના મનની કામનાને પૂરનારા અને ગુણવાલા તે ચારે પુત્રો જાણે ધર્મના ચાર રૂપ હોય તેવા શોભતા હતા.
તે અરસામાં અનાદિભવ નામે એક સનાતન નગર છે તેની અંદર અતુલ બલવાળે મોહ નામનો રાજા રાજ્ય કરતે હતો. એક વખતે તે મેહરાજા સભાની અંદર દીન વદને બેઠેલો જોઈ રાગકેશરી નામના તેના પુત્રે તેને વિનયથી આ પ્રમાણે કહ્યું.
હે પિતાજી, ધ્રઢ એવા તમે જ્યારે ક્રોધ કરે છે ત્યારે બધું વિશ્વ ચિંતાતુર થઈ જાય છે, તેવા તમારા ચિત્તમાં આજે જે ચિંતા દેખાય છે, તે મને અપૂર્વ લાગે છે. દેવતાઓ, કિનારે અને પુરૂષ તમારી આજ્ઞાને ધરનારા છે, આ જગતમાં તમારી સેવા ન કરે તેવો કઈ પણ પુરૂષ નથી. જેઓ તમારી આજ્ઞાને માન્ય કરતા નથી, તે નગ્ન, મુંડિત અને અન્નપાન વગરના થઈ એકાકી વનમાં ભમ્યા કરે છે અને જે તમારા ભકતે છે, તેઓ રાજ્યકર્તા, સુંદર મહેલમાં રહેનારા, અહર્નિશ જમનારા, વીઓના સમૂહની સાથે રહેલા. નિત્ય સ્નાન કરનારા, અભિમાન ધરનારા, વિવિધ વાહનમાં આદર કરનારા અને ભેગને સંગ કરનારા લેવામાં આવે છે. તેમ છતાં આપ પૂજ્ય પિતા હાલ ચિંતાતુર દેખાઓ છો, તે તેમાં જે સત્ય હોય તે મારી આગળ સત્વર કહો.” પુત્ર રાગકેશરીનાં આવાં વચને સાંભળી મહરાજ હૃદયમાં ઘણે ખુશી થઈ ગ. તેણે તરત પ્રસન્નતાથી મુખને ઉજ્વળ કરી પુત્રને કહ્યું.-“ વત્સ, મારું એવું કોઈ કાર્ય નથી, કે જે તારી આગળ ન કહેવાય. કારણ કે તું મારો વિશ્વને રંજન કરના પુત્ર છે. મારે માટે તેં કહ્યું. તે સર્વ રીતે સત્ય છે, પરંતુ અતુલ બળવાળો અને મોટા પક્ષવાળે મારો એક શત્રુ છે.' રાગકેશરી બોલ્યા, “એ કે શત્રુ છે?” મહારાજાએ કહ્યું, “ચારિત્રધર્મ નામે એક મારો શત્રુ છે, તે કામદેવના પરાક્રમથી પણ અજિત છે. જેના સૈન્યમાં રહેલી જે સ્ત્રી એકલીજ મારી સર્વ સેનાને જીતી લે
૧ શિવ એટલે મોલ. પ્રદ્યુમ્ન કામદેવનો અવતાર હોવાથી તે પોતાને બલિનાર શિવની આકાંક્ષા ન રાખતો અને અનંગ હતા અને વરણ શિક શિવની ઇરછા રાખનાર અને સુંદર અંગવાલો હતે. ર ગણપતિ ગુરૂદક-મોટા લહુવાલે અને શેઠ ગુરૂ તરફ દિક--હર્ષ પામનાર હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org