SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ શ્રી વિમળનાથ ચરિત્ર ચાલી ગઈ, સ્ત્રીઓને જ્યારે દુઃખ આવે છે, ત્યારે તેઓને પિતાનું ઘર શરણરૂપ થાય છે, એમ વિદ્વાને કહે છે. સૂર્ય જેનો 'યે હતો અને જે સત્ય પ્રતિજ્ઞાવાલે કહેવાતો હતા, એ નળરાજા પણ ઘતના વ્યસનથી વિપત્તિને પામ્યો હતો. સત્યવાદી યુધિષ્ઠિર પણ એજ વ્યસનને લઈને ભીમ તથા અર્જુન વિગેરેની સાથે યુતિ થઈ રાજ્ય છેડીને વનમાં વચ્ચે હતે. એવી રીતે આ પૃથ્વીમાં વિખ્યાત એવા અનેક રાજા બો પણ ઘુતના વ્યસનથી દુઃખી થયેલા છે તો પછી બીજા રાજાઓની શી વાત કરવી? નીતિ શાસ્ત્રમાં કહ્યું છે કે, “વૈર, વશ્વાનર, વ્યાધિ, વાર અને વ્યસન એ પાંચ વકાર જે વધ્યા હોય તે તે મહાન અનર્થ કરનારા થાય છે. યૂથમાંથી ભ્રષ્ટ થયેલા મૃગની જેમ કઈ દિશામાં જાવું, એમ હાવરે બની વનમાં ભમતા તે ધનમિત્રે વિવેકી અને અમૃતના નિધિ જેવા એક મુનિને જોયા. જેમ ખારા સમુદ્રમાં મીઠા જળના સ્થાનને મેલવી તૃષાતુર માણસ હર્ષિત થાય, તેમ તે મુનિને જોઈને હર્ષિત થયા. કહ્યું છે કે, આ સંસાર રૂપી દાવાનળથી દગ્ધ થયેલા પુરૂષને સંતાન, સ્ત્રી અને સત્સંગ-એ ત્રણ વિશ્રામની ભૂમિઓ છે, તે ઘનમિત્રે બે છેડી તે મુનિના બંને ચરણમાં વિધિથી વંદના કરી. મુનિએ તેને હર્ષદાયક ધર્મલાભની આશિષ આપી. પછી તે રાગ રહિત થઈ મુનિની આગળ બેઠે, એટલે મુનિએ તેને ધર્મોપદેશ આપવા માંડશે. કારણકે. પુરૂષો દયાળુ હેય છે—“જેઓ પ્રાણીઓને ધમમાં અંતરાય કરે છે, તે એને મનુષ્યભવના સુખમાં અંતરાય થાય છે. જેમ આ સમગ્ર પૃથ્વી ઉપર બીજ વાગ્યા વગર ધાન્ય ઉત્પન્ન થતું નથી, તેમ આ સંસારમાં ધમ વિના કદિપણ સુખ થતું નથી. તેમાં દેવતાના ભવમાં ધર્મની ઉત્પત્તિ નથી, નારકીના ભવમાં તે ધર્મની વાત જ નથી અને તિર્યચન ભવમાં તે કદિપણ ધર્મ હતો નથી, ફકત મનુષ્ય ભવમાં ધર્મ છે. તેમાં પણ આદેશ વિગેરેની સામગ્રી પ્રાપ્ત થવી લેકમાં દુર્લભ છે, કારણ કે તે સામગ્રી ગુત્પન્ન છેવાથી ઘણી ડી છે. કદિ તે સામગ્રી પ્રાપ્ત થાય, તો પણ પુણ્ય ઉપાર્જન કરવું ઘણું મુશ્કેલ છે, કારણ કે આ પૃથ્વી ઉપર પાંચ પ્રકારના પાંચ પુરૂ થાય છે. તે વિષે આ પ્રમાણે કથા છે-કેઇ વ્યાપાર ઉદ્યોગ કરવાની ઈચ્છાવાલા પાંચ પુરૂ દ્રવ્યની મૂડી લઈ કેઈ સારા શહેરમાં ધન કમાવાને ગયા. તે પાંચેની અંદર એક ઘણે પાપી હતો, તે વ્ય. સનનું સેવન કરતો હતો, તેથી તેને રાજાએ પકડ અને તેની મૂડી કબજે કરી તેને એક અંધાર કૂવામાં નાખી દીધા. બીજે પુરૂષ મૂર્ખ હતા, તે નગરના ખોટાભેલા લુચ્ચાઓએ ખાટી ચીજો અર્પણ કરવા વડે વશ કરી લઈ તેનું સર્વસ્વ દ્રવ્ય ધન પડાવી ૧ નલરાજાની રઈ સુર્યના તાપથી થતી હતી. ૨ વૈશ્વાનર-અગ્નિ. ૨ ગાથી ઉત્પન્ન થાય તેવી અથવા ગુણવાળી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy