SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિમળનાથ પ્રભુનું વ્રતગ્રહણ ૨૩૫ અલંકૃત કરે, તેમ પભુએ તેમાં રહેલા રત્નમય અને તેજના સમૂહને ધારણ કરનારા સિંહાસનને અલંકૃત કર્યું. પ્રભુની બંને બાજૂ દેવતાઓએ ધારણ કરેલા બે ચામરો જાણે તીર્થકરને સેવવાને ભૂમિ અને સ્વરૂપ બે સ્ત્રીઓ આવી હોય તેમ શોભતા હતા. પ્રભુની ઉપર જાણે શિવ-મેક્ષની છાયા કરનાર મૂ–અપરિમિત શુકલધ્યાન હોય તેવું કુરણયમાન ધર્મમિત્ર છત્ર શેભી રહ્યું હતું. પછી નટીઓ નૃત્ય કરતાં, ગીત ગવાતાં, બંદિશૃંદ પાઠ કરતાં, વાજિંત્રો વાગતાં અને યાચકને ચોતરફ દાન આપતાં પ્રભુએ પરિવાર સાથે સહસ્ત્રાગ્ર વનમાં ગયા. ત્યાં શિબિકામાંથી ઊતરી અશોક વૃક્ષ નીચે જઈ પોતાના ભંગ કમેના યોગ રૂપ આભૂષણને સમૂહ પ્રભુએ છોડી દીધું. સમતા રૂપ અમૃતના સમુદ્ર રૂપ એવા પ્રભુએ હર્ષથી બીજે બધો પરિગ્રહ અને ચતુર્વિધ પ્રતિબંધ પણ ત્યજી દીધું. અરિહંત પ્રભુએ પછી જાણે કાલા કલેશ હોય તેવા કેશોને પાંચ મુષ્ટિવડે લેચ કર્યો. ઈંદ્ર તે લોચના કેશ ગ્રહણ કરી લીધા. પછી માઘમાસની શુકલ ચતુર્થીને દિવસે અપરાન્ડકાલે (પાછલા પહેરે) જન્મના શુભ નક્ષત્રમાં “નમઃ શિઃ ” એમ ઉચ્ચાર કરી છછું તપવાલા પ્રભુએ કોલાહલ અટકાવી ભગવત્ શબ્દ વગરનું અને આગમમાં સારરૂપ એવું સામાયિક ત્રણ વાર ઊચાયું. તે વખતે સદભાવનાના સ્થાન રૂપ એવા ઇદે પ્રભુના કંધ ઉપર દેવવસ્ત્ર નાખ્યું. ત્યારથી લેકમાં વસ્ત્રપૂજાની પ્રવૃત્તિ થઈ છે. પછી પ્રભુને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું, ઈદ્ર પ્રભુના કેશ ક્ષીરસાગરમાં નાખ્યા. સત્કર્મથી પવિત્ર એવા એક હજાર રાજપુત્રએ પ્રભુની પાછળ વિવેકવાળી દીક્ષા ગ્રહણ કરી. પછી ભવિષ્યમાં જેમનું કલ્યાણ થવાનું છે અને જેમની મુખમુદ્રા હર્ષિત થઈ છે એવા ઇદ્રોએ પ્રભુને નમી અમૃતના જેવી મધુરવાણીથી આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી “હે પ્રભુ, આ ત્રણ ભુવનમાં તમારું ચારિત્ર યથાર્થ રીતે વિખ્યાત છે, તે ઘણા પ્રાણીએને મેક્ષદાયક થાઓ. આ પૃથ્વી ઉપર લેકે સંસારની પ્રવૃત્તિને પિતાની મેલેજ જણે છે, ધાવવું અને રેવું, એ બાલકને કેણ શીખડાવે છે ? અનાર્ય દેશમાં પણ લોકો વિવિધ પ્રકારના વિજ્ઞાનને જાણે છે, પરંતુ જ્યાં તમે પિતે રહેલા છે, ત્યાં હેય-ત્યાગ કરવા યોગ્ય અને ઉપાદેય-ગ્રહણ કરવા યોગ્ય વસ્તુની પ્રરૂપણ કરનારૂં જ્ઞાન રહેલું છે. જેમ બાલક ગુરૂ વિના ગાળ જાણે છે અને આપે છે પરંતુ તે શાસ્ત્રને અને દાનાદિક ધમને ગુરૂ વિના જાણી શકતા નથી. તમે હાલ મૌન ધરીને રહ્યા છે, તેનું કારણ અમે જાણીએ છીએ, જ્યાં સુધી કેવળજ્ઞાન થયું નથી ત્યાં સુધી બીજાને શિક્ષા આપવી નહિં, એવી તમારી ઈચ્છા હશે. હે પ્રભુ, હવે ઘન-મેઘના આશ્રય જે વિહાર કરી અમારા તાપને શમા. મેઘ ગાજતે ન હોય, પણ તે શું પ્રાણીઓને જીવન - ૧ બીજો અર્થ એ પણ થાય કે, “ઘન-ઘણું-આશ્રય સ્થાનમાં વિહાર કરી. ” 3 તવન એટલે જીવિત અને જલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy