SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિમળનાથ પ્રભુનો જન્મ મહોત્સવ. ૨૨૩ કરી ત્રણ પ્રકારે ઘન વાહન થયે છું, તમને ક્ષમાધરના સ્વામી માની હું વરાહને આશ્રિત થયો, પણ તમોએ અમારા અચલને લમીશ કર્યો અને ઉચે પ્રકારે તેનું શિર દબાવી દીધું, તેથી હવે ઘણો લાંબે પ્રસાદ કરે, અને તેથી તે પર્વત સુવર્ણ દંડને દાતા અને રાજાઓએ અને સાધુજનોએ નમેલો અને સ્તવેલ છે, હે પ્રભુ, તમારા જમોત્સવને પ્રાપ્ત કરી આ રક્ષણદા સોગણી થયેલી છે. અને આ સંસારના દાનથી તે રાત્રિનું દષા એવું જે નામ છે, તે તમને શું ઇષ્ટ નથી થયું ? સ્વભાવી પુણ્યરૂપ એવું આ જલ તમારા સંગથી વર્ણને પ્રાપ્ત થયું છે, તે તમારા સુવર્ણ સારાવર્ણવાલા અંગના સંગથી કોને પવિત્ર ન કરે અર્થાત્ સર્વને પવિત્રજ કરે છે.” આ પ્રમાણે શ્રી વિમળનાથ પ્રભુને સ્નાત્ર કરવાને અવસરે અંકે કરેલી સ્તુતિ જે મનુષ્ય ભણે છે, તે મનુષ્ય પુરૂષોને સેવવા ગ્ય થાય છે. આ પ્રમાણે સ્તુતિ કરી સૌધર્મેન્દ્ર પૂર્વની જેમ પાંચ રૂપ કરી પ્રભુને લઈ સૂતિકાગૃહમાં આવ્યું, ત્યાં શ્યામાદેવીની અવસ્થાપિની નિદ્રા અને પ્રભુની પ્રતિકૃતિને દૂર કરી શ્યામાદેવીના અંગને સુખ આપનારા તે પ્રભુને તેમની પડખે મૂકયા. પછી તે ભકિત કરનારા જિનપ્રભુને ઓશીકે બે દિવ્ય વસ્ત્રો અને કુંડળ મૂક્યા અને પ્રભુના અંગુઠામાં અમૃત મૂકયું. પછી ઇંદ્રની પ્રેરણાથી કુબેરે તે રાજાના ઘરમાં પ્રાતઃકાલે સેના, રૂપા અને રત્ન વિગેરેની વૃષ્ટિ કરી. ઇંદ્રના આદેશથી આભિયોગિક દેવતાઓએ ચારે પ્રકારના નિકામાં આ પ્રમાણે આઘેષણ કરી–“જે કોઈ આ જિન ભગવાન અને તેમની માતાનું પોતાના હૃદયમાં અશુભ ચિંતવશે, તેના મસ્તકના સાત કડકા થઈ જશે.” તે પછી ઇંદ્ર ત્યાં ધાત્રીકમ કરવા માટે પાંચ અપસરાઓને રાખી પિતે નંદીશ્વરની યાત્રા કરી પોતાને સ્થાને ચાલ્યો ગયે, બીજા પણ ઈદ્રો મેરૂપર્વતથી જ નંદીશ્વર દ્વીપમાં ગયા અને ત્યાં અઠ્ઠઈ ઊત્સવ કરી પિતા પોતાને સ્થાને ચાલ્યા ગયા. તે સમયે સર્વ દિકકુમા. ૧ ક્ષમાધર ક્ષમાધારી મુનિઓના સ્વામી માનીને વરાહે ઉત્તમ અહંભાવને આશ્રિત થયો અને તમોએ અમારા અચળ મેરૂ પર્વતને જાતે પધારી લક્ષ્મીશ-શેભાન ઘણું બનાવ્યો અને તેના શિર ઉપર ચડી બેઠા. હવે તેની ઉપર પ્રસાદ કરે. કૃપા કરે મેરૂ પર્વત સુવર્ણને દાતા છે અને તમારા પધારવાથી રાજાઓ અને સાધુ પુરૂષોએ તે નમેલે છે અને સ્તવેલ છે, પક્ષે અન્યમતીઓના વરાહ-અવતારનો અર્થ પણ નીકલે છે જે વિષ્ણુને ક્ષમાધર-શેષનાગના સ્વામી માનીને વરાહનો આશ્રય કર્યો, પણ તે વિષ્ણુએ વરાહને લક્ષ્મીપતિ બનાવ્યો અને તેનું મસ્તક દબાવી દીધું. તે વરાહ અચલ-ન ચલાયમાન થાય તેવો મજબૂત છે અને સુવર્ણ દંડનો દાતા અને રાજાઓ અને સાધુ પુરૂષોએ નમેલો તથા સ્તવેલો છે. ૨ ક્ષણદા એટલે રાત્રિ પક્ષે ક્ષણ -ઉત્સવ આપનારી. ૩ પ્રભુને સંસારમાં લાવનારી તેથી સંસાર આપનારી કહી છે. ૪ વર્ણ એટલે રંગ-સોનેરી રંગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy