________________
૨૨૨
શ્રી વિમળનાથ ચરિત્ર, કરી કલ્યાણ કરનારી અને તંદ્રાને છોડાવનારી ગમુદ્રા રચી, તે માયારહિત ઈ આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરી. “ કલ્યાણને આપનારા લકમથી વિભૂષિત કલ્યાણકેવડે સુશોભિત, કલ્યાણરૂ૫ વર્ણવાળા અને કલ્યાણપદને આપનારા તમને હું સ્તવું છું. હે પ્રભુ, તમારું નવન સ્તવન કરનાર બુધજન કે બ્રાહ્મીને પુત્ર ભલે હોય, પરંતુ તે જે ગુરૂતાને પામે છે, તે ઘણું આશ્ચર્યકારી છે. જગતના પ્રભુ અને શંભુ એવા તમને જાણીને હું આશ્રિત થયો છું, તથાપિ હું બીજાઓથી જે હેરાઈ જાઉં છું તેનું કારણ તમારી ઉપેક્ષા છે. હે સ્વામિન, જે વિધિએ મારા શરીરને હજાર નેત્રવાળું બનાવ્યું, તે વિધિ ઘણી સારી બુદ્ધિવાલે છે, નહીં તો તમારું આ સુંદરરૂપ હું શી રીતે નીરખી શકત? પરંતુ તે વિધિએ મને તમારી સ્તુતિ કરવાને સમર્થ એવા શતમખને બદલે શતમુખ ન બનાવ્યું, તેથી તે વિધિ “જડજથી ઉત્પન્ન થયેલો છે, એમ હું માનું છું. તમારે જન્મત્સવ પ્રાપ્ત કરી પૂર્વે હું વર્ણથી અજુન હતા, પરંતુ અત્યારે આ પૂજા કરવાને વખતે તે હું હજાર હાથને ધારણ કરનાર નથી, હે સ્વામી, તમારા કલ્યાણક પ્રસંગે શિવ કલ્યાણની ઈચ્છાથી આવેલો હું આ વખતે ગંગાજલને ધારણ
-
--
---
-
- લ -
-ન
~
~*
૧ કલ્યાણ એટલે સુવર્ણ. ૨ ગુરૂતા–ભારેપણું પક્ષે ગુરૂપદ.
૩ શંભુ-એટલે સુખ કરનાર જે સુખ કરનાર હોય તેનો આશ્રય લેનાર બીજાઓથી હરી શકાય નહી.
૪ “શતમખ એ ઈદ્રનું નામ છે. તેણે સે વારે મખજિન પૂજારૂપ યજ્ઞ કરેલ, તે ઉપરથી તે નામ પડયું છે. અન્ય મતવાલાએ મખને અથે યજ્ઞજ કરે છે. શતમુખ એટલે સે મુખવાલે
૫ વિધિ-બ્રહ્મા જડજ-જલજ-કમળમાંથી ઉત્પન્ન થયેલ છે. ૩ અને ૪ અક્ષર સરખાં ગણાય છે. તે ઉપરથી “ જડજ ' પશુ હોઈ શકે, જે જડજમાંથી ઉત્પન્ન થાય, તે જડજ હોય. તેથી શતમખને બદલે શતમુખ નામ આપ્યું નહીં. વિધિ-એટલે કર્મ પણ થાય છે. જેનામત પ્રમાણે સૃષ્ટિકર્તા વિધિ-બ્રહ્મા હોઈ શકે નહીં. તેથી લોકિકપક્ષે તે અર્થ ઘટાવી શકાય.
૬ અર્જુન-એટલે શ્વેત પક્ષે પાંડવ અર્જુન વર્ણથી રંગથી અને જાતિથી હું પહેલાં અર્જુન હતા પણ અત્યારે હું તમારી પૂજા વખતે હજાર હાથને ધારણ કરનાર નથી, એટલી દીલગીરી સલમાં • દે સહસ્ત્રધર ” એવું પદ છે, તેનો એ અર્થ પણ થાય કે હું તમારી પૂજા કરવાથી હજાર દષવાલો રહ્યું નથી.
૭ શિવ એટલે કલ્યાણ પક્ષે શિવ-મહાદેવ જે મહાદેવ થવાની ઈચ્છા કરે, તે ગંગાજલને ધારણ કરે અને ઘનવાહન થાય. ઈદ્ર પક્ષે-ઈદ્ર શિવ-કલ્યાની ઇચ્છાથી આવેલો છે. તે સ્નાત્રને માટે ગંગાજલને ધારણ કરનારો છે અને ત્રણ પ્રકારે ઘનવાહન થયો છે એક પ્રકાર ઘન - ઘણું વાહનવાલ બીજો પ્રકાર ઘન-મેઘ વ નવા અને ત્રીજો પ્રકાર તેનું ઘનવાહન નામ છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org