________________
શ્રી વિમળનાથ પ્રભુને જન્મ મહોત્સવ, થયા છતાં પણ જીવન પવિત્ર રૂચિ થતી હતી. તેનું કારણ જિનભગવાનનું સંસારને નિવારનાર જન્મજ છે, એમ હું માનું છું. તે સમયે વૃદ્ધ સ્ત્રીઓએ આવી હિતકારી આહાર, આચ્છાદન, આસન અને માંચડાથી સર્વ વાતુઓમાં તે ગર્ભનું જે પથ્ય હતું તે કર્યું. આઠ માસ અને એકવીશ દિવસે વ્યતિત થયા પછી માઘ માસની શુકલ તૃતીયાને દિવસે રાત્રે શુભ સમયે ચંદ્રઊત્તરાભાદ્રપદ નક્ષત્રમાં આવતાં અને બીજા ગ્રહો ઉચ્ચ સ્થાનમાં રહેતા શ્યામાદેવીએ વરાહના ચિવાલા સુવર્ણના જેવી કાંતિ ધરનાર, ત્રણ જ્ઞાનવાલા, ધીર, સમુદ્રથી પણ ગંભીર અને તેના પુંજથી વિરાજીત એવા પુત્રને જન્મ આપે. તે સમયે વિખ્યાત જગપ્રભુનો જન્મ થતાં દિશાઓ આકાશની સાથે પ્રકાશવાળી અને કાશડાના પુપિના જેવી ઉજ્વળ બની ગઈ. ક્ષણવાર નારકીઓને પણ સુખ થયું, પૃથ્વી ઉ સવાળી (અંકુરિત) બની ગઈ. જલ નિર્મલ થયું, અગ્નિની જવાલા દક્ષિણ તરફ બલવા લાગી, વાયુ સુગંધી વાવા લાગ્યો અને વૃક્ષે પુષિત થઈ ગયાં. આ પૃથ્વી ઉપર શ્રી જિન ભગવાનનું માહાત્મ્ય સદા અચિંત્યજ હોય છે. આકાશમાં ગંભીર વનિવાલા દુંદુભિ (દેવવાજિંત્રે વાગવા લાગ્યાં. સુગંધી જલ તથા પુષ્પોની વૃષ્ટિ થવા માં.
એવે સમયે આસન કંપવાથી અવધિજ્ઞાનને ઉપયોગ જેમણે કર્યો છે એવી શુભ હૃદયવાલી દિકુમારીઓ સત્વર પોતપોતાના સ્થાનમાંથી સત્વર ત્યાં આવી. શંકરા, ભગવતી, સુભગા, ભેગમાલિની, સુવત્સા, વત્સમિત્રા, પુષ્પમાલા અને અનિંદિતા એ આઠ અધોલક વાસી દિકુમારિકાઓ સૂતિકાગ્રહમાં આવી ત્યાં તેમણે જિનપ્રભુન, અને તેમની માતાને નમસ્કાર કરી કહ્યું કે, “જગત્માતા, તમારે હીવું નહીં. અમે પ્રભુને જન્મોત્સવ કરવા આવ્યા છીએ” આ પ્રમાણે કહી તે સૂતિકાગ્રહની ચારે તરફ એક જન સુધી ભૂમિને સારાવાયુથી શોધી તેમની સમીપે આસન કરી, જિન પ્રભુના ગીત ગાવામાં તત્પર થઈને રહી. તે પછી પ્રયાણ કરવાના આદરથી સુંદર એવી ઉર્વલોકમાં રહેનારી આઠ દિકકુમારીઓ ભુવનપતિ–જિન પ્રભુના ભવનમાં આવી. તેઓના નામ મેથંકરા, મેઘવતી. સુમેઘા, મેઘમાલિની, તેયધારા, વિચિત્રા, વારિણા અને બલાહકા એવાં હતાં, તેઓએ જિનને અને જિનમાતાને પ્રણામ કરી જન સુધીની પૃથ્વી ઉપર સુંગંધી જલવડે સિંચન કરી પુપિની વૃષ્ટિ કરી. સર્વજ્ઞને અને તેમની માતાને નમસ્કાર કરે, પોતાનું કામ પ્રગટ કરવું, ગીતગાન કરવું, અને પછી (પિત પિતાની દિશામાં મયદાસર ઉભા રહેવું એ દિકુમારી
૧ રૂચિ-ઇરછા પક્ષે કાંતિ.
૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org