________________
૨૦૮
શ્રી વિમળનાથ ચરિત્ર, થઈ આવ્યું, તે સમયે દેવ તથા દેવીઓને ગણ જય જય શબ્દ બોલતો ત્યાં આગે. અને બેકર જેડી તે આ પ્રમાણે વાણ બે-“સ્વામી, તમે પૂર્વજન્મના કયા પુણ્યથી દેવબુદ્ધિવડે સર્વ વાણીના સમૂહને જાણનારા દેવતારૂપે આ દેવલોકમાં ઉત્પન્ન થયા અને વધિજ્ઞાનથી જાણું તે દેવતાએ ચારિત્રવડે ઉપાર્જન કરેલું પૂર્વનું સર્વ પુણ્ય તેમની આગળ કહી આપ્યું. પછી તે દિવ્ય પલંગમાંથી ઊઠી દેવદેવીઓની સાથે ગીત તથા નૃત્યનો વિનોદ કરતા કીડા વાપી (વાપી)માં ગયા. તે વાપિકામાં અનાન કરી પોતાના સ્થાનમાં આવી શાશ્વત અહંતની પૂજા કરી. પછી તે દેવતાએ વિધિ યુક્ત ઉત્તમ પુસ્તક વાંચ્યાં. ત્યારબાદ મનવાંછિત સિદ્ધિવાલા તે દેવતાએ સિંહાસન ઉપર બેસી નાટક વિગેરેનું અવલેકિન કર્યું. પછી દેવીઓને સાથે લહી તેમણે કઈવાર જિનયાત્રામાં, કે ઈવાર નંદનવનમાં અને કઈ વાર રમણીય વાપિકાઓમાં ફરવા માંડયું. એવી રીતે ઇંદ્રના જેવા તે દેવતાએ નવનવા દેવલોકના સુખને સેવતાં કેટલાએક કાળ નિર્ગમન કર્યો. દેવતાઓ આ પૃથ્વી ઉપર ગમન-આગમન વિગેરે જે કાર્ય કરે છે, તે ઉત્તર ક્રિયરૂપથી જ કરે છે. તેઓને કેશ વિગેરે કરવાનું કાર્ય કદાચિત્ સંભવે છે, પરંતુ કેશ તથા અસ્થિ (હાડ) વિગેરે તેમને સ્વાભાવિક હોતા નથી.
જેઓ પૂર્વે સંસારને પ્રાપ્ત કરી ચારિત્રના ભજનથી અંગે સુંદર અને ઉત્તમ દેવતારૂપે થયા હતા, અને જે જિનાગમમાં વિદ્વાન અને ઉત્તમ ભાવનાવાળા બન્યા હતા. તેવા ગુણની પ્રાપ્તિમાં સ્વામી રૂપ એવા રૂપાદિવડે પ્રભાવના કરનારા અને વિશાળ લહમીવાળા જગત્રભુ શ્રી વિમળનાથ સ્વામી તમને મંગળ આપો. ઇતિ શ્રી તગણના નાયક શ્રી રત્નસિંહસૂરિના શિષ્ય ભટ્ટારક શ્રી જ્ઞાનસાગરસૂરિએ રચેલા શ્રી વિમળનાથ ચરિત્ર મહા કાવ્યને શ્રી વિમલનાથ પ્રભુના પૂર્વભવના વર્ણનરૂપ
ત્રીજે સર્ગ સંપૂર્ણ થયે તૃતીય સગ-સમાસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org