________________
શ્રી વિમળનાથ ચરિત્ર, આવે, તે મુનિને અંગાર દેષ કહેવાય છે અને જે આહારદિક મુનિઓના શ્રેષથી કરવામાં આવે, તે મુનિઓને ધ દેષ કહેવાય છે. સુધાની પીડા શમાવાને પ્રાણ, શુભ ધ્યાન અને સંયમની રક્ષા માટે, ઈસમિતિ સાચવવાને માટે અને ગુર્નાદિકનું વૈયાવચ્ચ કરવા માટે–એ જ કારણથી જે પ્રાસુક ભોજન કરવામાં આવે, તે સકારણ જાણવું, બાકીનું બધું અકારણ છે. મેહના ઉદયમાં, રોગમાં, ઉપદ્રવમાં, જીવરક્ષામાં, તપમાં અને અંતકાલે શરીર છોડવામાં (અનશન આદરતાં) ભોજન છેડી દેવું. આ પ્રમાણે સુડતાલીશ દુષ્ટ દેષથી રહિત, શય્યાતર આહાર વિગેરેથી વર્જિત એવું અન્નાદિ જે સાધુ વાપરે છે તે લોકમાં એષણ સમિતિને સદા પાળનારે છે અને તે સિવાયનું જે વાપરે છે, તે સાધુ વિરાધક છે. અટવી, રેગ તથા દુકાળના ભય વિગેરેમાં તેની અંદર કદિ અતિચાર હોય છે, તે તેની આલોચના કરવાથી ( જ્ઞાની ગુરૂ મુખે આલેયણ લેવાથી) પવિત્ર થવાય છે. જલ, અન્ન, ખાદ્ય કે સ્વાદ્ય જો સચિત્ત હોય, તે તે ધનશર્મા ની જેમ પ્રાણનો અંત થાય, તે પણ મુનિ ગ્રહણ કરતા નથી.
ધનશર્માની સ્થા. ઉજયિની નગરીમાં પૂર્વે ધનમિત્ર નામે એક શ્રીમાન ઉત્તમ વણિક રહે તે હતો. તેને શત્રુઓથી રહિત એ ધનશર્મા નામે પુત્ર હતો. એક વખતે ગુરૂની. પાસેથી આ સંસારને અસાર જાણ તે સત્કર્મથી પ્રખ્યાત થયેલા ધનમિત્રે પિતાના પુત્ર ધનશર્માની સાથે દીક્ષા લીધી. એક સમયે તે સાધુ ઘનમિત્ર પુત્ર સહિત ગચ્છની સાથે ભયંકર ગ્રીષ્મઋતુમાં પૃથ્વી ઉપર વિહાર કરતા કરતા કેઈ અટવીમાં તેઓ આવી પડયા, ત્યાં સર્વ સાધુઓ સુધા તથા તૃષાથી આકુળવ્યાકુળ થઈ ગયા. તેમાં સવથી લઘુ ધનશર્મા વિશેષ પીડ પામવા લાગ્યું. તૃષાને લઈને તેને કંઠ સુકાઈ ગયે. તે રસ્તામાં ચાલી શકે નહિં, તેથી તે પાછળ રહી ચાલવા લાગ્યું. તેને પિતા ધનમિત્ર પુત્રના મેહશો તેની સાથે રહ્યા. તે ભુલક મુનિ જેમ મંદમંદ ચાલે તેમ તેનો પિતા તેની આગળ ચાલતે, કારણ કે, તેને તે પુત્ર પ્રાણથી પણ વધારે વલલભ હતા. તેવામાં નિર્મળ જળવાળી એક નદી રસ્તામાં આવી. જેમ રોગી અમૃતના સંચયને જોઈ ખુશ થાય, તેમ સાધુ તે નદીને જોઈ ખુશ થયા. મુનિ ધનમિત્રે કહ્યું, “ વન્સ જલ પી, કે જેથી તારા પ્રાણ બચે, અને હમણાંજ તું મુનિઓના સાથમાં ચાલવાને સમર્થ થઈ શકે.” આ પ્રમાણે કહી મુનિ ધનમિત્ર નદીને પેલે પાર જઈ ઝાડની ઓથે છુપાઈ રહ્યા. કારણ કે જેથી પિતાને પુત્ર મુનિ ઘનશર્મા નદીનું જળ પીતાં શરમાય નહિં. પછી મુનિ ધનશર્મા નદીમાં પિઠે અને અંજલિમાં જળ લીધું, તેવામાં તેને આ પ્રમાણે વિચાર આવ્ય-“આ જળના એક બિંદુમાં જિનેશ્વરદેવે કહેલા અસંખ્યાતા છે સદા હોય છે અને તેમાં ઘણા ત્રસ જીવે પ્રત્યક્ષ રહ્યા છે. હે જીવ, તું હાલ પ્રાણાતિપાત વિરતિનું વ્રત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org