________________
૧૦૦
શ્રી વિમળનાથ ચરિત્ર ધર્મ સ્વીકાર્યો. આ પ્રમાણે તમારે બીજી ભાષાસમિતિ વિવેકથી ધારણ કરવી, જેથી આ લોક તથા પરલોકમાં તમારી પૂજ્યતા થાય.
ત્રીજી એષણ સમિતિ છે. આહાર, ઉપાધિ અને શB વિગેરે ને ઉગમ, ઊત્પાદન અને એષણઇચછાના દોષથી રહિત ગ્રહણ કરે, તે મુનિને ત્રીજી એષણ સમિતિ હોય છે. તે આ પ્રમાણે. જે ગૃહસ્થ ષટ્ર જવનિકાયને હણી સાધુને માટે અશન વિગેરે કરે. તે આધાકર્મી કહેવાય છે. અથવા સર્વ ભિક્ષુકોને દાન આપવાને અર્થે જે કરવામાં આવે, તે શુદ્ધબુદ્ધિવાલા યતિઓએ ઐશિક કહેવું છે. જે સાધુને અર્થે અને પોતાના ઘરને અર્થે કરવામાં આવે, તે આધાકર્મીના અવયવ ભાગવાળું પૂતિકર્મ કહેવાય છે. તેને મિશ્ર કહે છે. જે સાધુ નિમિતે જુદું રાખે, તે સ્થાપના કહેવાય છે. જે ગુરૂએ આવ્યા છતાં કે અણ આવ્યા છતાં પહેલા (આગળથી) શ્રાવક વિશેષ (આ હારાદિકની તૈયારી) કરે તે પ્રાભૂતિકા કહેવાય છે અને જે આપવાનું (અંધારામાંથી અજવાળામાં લાવી) પ્રકટ કરે, તે પ્રાદુ કાર કહેવાય છે. જે સાધુને માટે મૂલ્ય આપીને લેવામાં આવે તે કીતષવાળું કહેવાય છે અને જે સાધુને માટે ઉધારે લાવવામાં આવે, તે પ્રાકૃત્ય દેપવાળું કહેવાય છે. જે અદલાબદલી કેઈ પાસેથી લહિ આપવામાં આવે, તે પરિવર્તિત કહેવાય છે અને જે ઉપાશ્રયમાં લાવીને આપવામાં આવે, તે અલ્યાહત કહેવાય છે, જે ડબા કે ઘડાનું દ્વાર ઉઘાડીને આપે તે ઉદભિન્ન દેવાળું કહેવાય છે. તે દેષ સાધુઓને વર્જિત છે. માલ વિગેરે ઉપરથી જે ઉતારેલું, તે મોલેપહૃત કહેવાય છે. સેવક વિગેરેની પાસે ઓઢાળેલું જોરાવરીથી ખુંચવી લીધેલું) તે ઊછિન્ન કહેવાય છે. સર્વ સામાન્ય વસ્તુ એકલેજ આપ મુખત્યારથી આ નિસૃષ્ટ કહેવાય છે. કારણકે, સર્વની સંમતિથી આપેલું અન્નાદિ શાસ્ત્રમાં શુદ્ધ કહેવું છે. જે પ્રથમ પિતાના ઘરને માટે અને પછી મુનિ વિગેરેને માટે કાંઇક અન્નાદિ ઉમેરવામાં આવે, તે અધ્યપૂર્વક કહેવાય છે. આ પ્રમાણે સેળ ઉદ્દગમ દેષ કહેલા તે ગૃહસ્થ જનને આશ્રિત દેવ છે અને હવે બીજા માળ ઉપાદન રાધ કહેલા છે, તે મુનિને આશ્રિને કહેલા છે. જે ઘરના બાલકને રમાડીને લેવું, તે ધાત્રીદોષ કહેવાય છે. સંદેશા લઈ જવા લાવવાથી પ્રેમકર્મ કરવાથી લેવું તે દતિ દોષ કહેવાય છે. લોકોને નિમિત્ત અંગ જોતિષ ફળાદિ જણાવીને લેવું તે પાપના સંતાપને કરનારો નિમિતદેષ કહે વાય છે. જે લેકે જતિ વિગેરેના મદવાળી હોય તેમને તેમની ઉચ્ચજાતિ કહીને જે પિતાની ભિક્ષા મેળવવી તે આજીવિકા દેપ કહેવાય છે. જેમાં અન્ય દર્શનના ભકતે હોય, તેમની આગળ પોતે તે દર્શનને ભકત છે, એમ જણાવી જે સાધુ અન્ન વિગેરે મેળવે છે, તે વનપક દેવ કહેવાય છે. રોગ વિગેરેના ઉપાય બતાવીને જે પિંડ લેવે તે ચિકિત્સાપિડ કહેવાય છે. દેવ, માન માયા અને લોભના થી જે લેવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org