________________
૧૮૮
શ્રી વિમળનાથ ચરિત્ર મુનિને જ્ઞાનથી જાણું લઈને દેવતાએ પડતા ઝીલી લીધા. અને પિતાનું સ્વરૂપ પ્રકટ કર્યું. તેણે મુનિને નમી આ પ્રમાણે સ્તુતિ કરી. “હે મહામુનિ, દઢ ધર્મવાળા એવા તમને, તમારા ગાત્રને અને માતાપિતાને ધન્ય છે. વળી અમારા સ્વામી ઈદ્ર દેવસભામાં તમારી પ્રસંશા કરે છે, તો બીજાઓનું શું કહેવું? આ યતિધર્મજ બલવાનું અને જયવત છે.” ઇત્યાદિ વચનથી સ્તુતિ કરી તે દેવતાએ કહ્યું કે “ઉપયોગ સહીત એવા તમે કોઈપણ ઇચ્છિત વર માંગી લો.” વરદત્ત મુનિ બોલ્યા-“હે સુત્તમ, તમે વિચાર કરે કે, સર્વ સંગનો ત્યાગ કરનારા એવા મને ગમે તે શ્રેષ્ઠ વર શા કામને છે?” દેવ બોલ્યો,–“દેવનું દર્શન નિષ્ફલ થતું નથી, માટે તમે મારી પાસેથી કોઈ ઉત્તમ વર જલદી માગી લ્યો.” મુનિ બેલ્યા,–“હે દેવ, જે તમારે વર આપવાને આગ્રહ હોય, તે હું એ વર માગું છું કે, તમે મિથ્યાત્વને છેડી સમ્યકત્વને આશ્રય કરે. કારણકે તમે ત્રણ જગતમાં વિબુધના નામથી પ્રસિદ્ધ છે.” મુનિના આ વચનથી તે દેવતાએ પિતાના હૃદયમાં સમ્યકત્વને ધારણ કર્યું અને મુનિને તેમના બંને ચરણમાં વળગી ખમાવ્યા. પછી તે દેવે રેષ છેડી સ્વર્ગમાં જઈ તે મુનીશ્વરનું સર્વ ચરિત્ર સહર્ષ થઇ ઈન્દ્રને નિવેદન કર્યું.”
આ પ્રમાણે સર્વ સ્થળે સમતાયુક્ત અને શુભ ધ્યાનરૂપી જલથી સિંચન થયેલા તે વરદત્ત મુનિએ ઈંદ્રાદિક દેવોએ વંદના કર્યા છતાં પણ મદ ન કર્યો. હેમુનીશ્વર, તેવી રીતે તમારે પણ સમિતિ પાળવી, કે જેથી આ લેક તથા પરલોકમાં તમારા નિર્મલ કરમાં કલ્યાણ પ્રાપ્ત થાય. જે જરૂરી કાર્યને વખતે નિર્દોષ ભાષા બેલે, સુવિચારવાનું થઈ કારણ વગર મૌન ધરી રહે, કેધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ અને ભયથી થયેલી અને વાચાળતા, હાસ્ય અને નિંદાથી યુક્ત એવી ભાષા જરૂરી કાર્યમાં પણ બોલે નહિં, તેવી ઉત્તમ બીજી ભાષા સમિતિ પોતાના વાચંયમ નામને સત્ય કરનારા સાધુએ સદા પાળવી જોઈએ, અને શ્રીજિન ભગવાનની કહેલી વાણનું જ લાલનપાલન કરવું જોઈએ. સારી બુદ્ધિવાલા મુનિએ લોકસ્થિતિને અને જિન પ્રવચનને વિરોધ ન આવે એવું વચન સંગત સાધુની જેમ બેલવું જોઈએ.
સંગત સાધુની કથા. કેઈ એક ગુણવાલા ગણ-ગચ્છની અંદર આગમના સમૂહને જાણનારા અને બીજી ભાષા સમિતિથી પ્રકાશમાન એવા સંગત નામે સાધુ હતા. સ્વીકાર કરેલાને પાળવામાં પર્વતથી પણ ધીર એવા તે સંગત મુનિ પિતાના ગુરૂની સાથે વિહાર કરતા કરતા કેઈ નગરમાં આવ્યા. ત્યાં ગુરૂએ જ્ઞાનથી જાણ્યું કે, “કેટલાએક દિવસમાં આ નગરમાં સર્ષથી પણ મહાવક્ર એવું પરચક આવશે. તે આ નગરને તોડશે નહીં, પણ તેનાથી
૧ વાણીને નિયમમાં રાખનાર. ૨ શત્રુ સૈન્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org