________________
શ્રી વિમળનાથ ચરિત્ર.
હે રાજા, બ્રહ્મરતિ નામની કન્યાને અર્થે તું તારા ચિત્તમાં નીરાગતાને ધારણ કર્યું. દેવ, મનુષ્ય અને તિય ચની સ્રોને માતા સમાન ગણજે. સ્ત્રીઓના વાસ સ્થળમાં રહેવું નહી, શ્રી સંબંધી કથા કરવી નહિ, સ્ત્રીઓની બેઠક સેવવી નહિ, તેમની ઇંદ્રિયાને જોવી નહિ, દીવાલનાં આંતરામાં રહેલા ગૃહસ્થાનાં જોડલાંને જોવા નહીં, અને મનમાં કદિ પણ સ રતિનું સુખ ચિંતવવું નહિં. પ્રણીત આહારને તેમજ અતિશય આહારના ત્યાગ કરવા અને શરીરની અધિક શાભાને યત્નથી છેડી દેવી–આ પ્રમાણે નિત્યે કરવાથી તારા ગુણાથી જેણીતુ હૃદય આકર્ષાયું છે એવી બ્રહ્મરતિ નામની કન્યા તારી પાસે સ્વયંવરા થઇને આવશે. મુકતતાને ઇચ્છનારા એવા તારે નિલેભિતાનું, સેવન કરવું. હૃદયમાં વિવેક ધારણ કરવા, અનાના સંગમ છેડી દેવેદ્ય, બાહ્ય અને આભ્યંતર એવા એ પ્રકારના પરિગ્રહથી પેાતાના આત્માને જુદો કરવે, સ્વભાવવડે ગ્રંથ-પરિગ્રહની તૃષ્ણા સમાવી દેવી, માહેર અંદર અનાસક્ત એવું અંતઃકરણ રાખવું, કમળની જેમ નિલેપ રહેવું અને શિષ્ટાચારમાં તત્પર રહેવું. હે ચતુરરાજા, આ દેહુ વિગેરે સવ પુદ્ગલ વસ્તુએ સંબંધી આત્માને યાગ્ય એવી અનિત્યતાનું ચિંતવન કરવું. એવી રીતે નિત્ય કરવાથી તારા ગુણાથી જેણીનું હૃદય આકર્ષાયું છે, એવી મુકતતા નામની કન્યા તારી સમીપે સ્વયંવરા થઈને આવશે. સુવિદ્યાની ઈચ્છા રાખતા એવા તારે પ્રજ્ઞા રાણીનું સદા આરાધન કરવું, સદા શાસ્ત્રાભ્યાસ કરવા, પ્રમાદને વારવા-ટાળવા, જ્ઞાન અને જ્ઞાનવાળાએની હષ થી ભક્તિ કરવી. સદા શાસ્ત્રનું સ્મરણ કરવું અને સદ્ગુરૂના વચન સાંભળવા, એ પ્રમાણે કરવાથી તારા સદ્ગુણૈાથી જેણીનું હૃદય આકર્ષાયુ છે. એવી વિદ્યા કન્યા સ્વયંવરા થઇ તારી પાસે વેગથી આવશે. નીરીહતા નામની કન્યા ને માટે તું લાભને ત્યાગ કર. તારા હૃદયમાં સ વસ્તુઓના સ્વરૂપને વિચાર કર. આ દેહ દુઃખના ઉપલેાગને માટે છે, ધન બંધનનું કારણ છે, ઇચ્છા હૃદયને તાપ આપનારી છે. જન્મ મૃત્યુનું કારણ છે, પ્રિયાના સંગ–અથવા પ્રિય વસ્તુઓને સંગ વિયેાગ માટે છે, સંગ્રહ કલેશને માટે થાય છે અને ભાગના અભિલાષ રાગને માટે થાય છે, તેથી તેખાની અંદર પ્રીતિને છેડીદે, મમત્વને છેડી દેનારા એવા તારી પાસે તારા ગુણાથી આકર્ષાએલી નિરીહતા નામની કન્યા સત્વર આવશે. ” આ પ્રમાણે ગુરૂનાં વચન સાંભળી રાજા મેલ્યા “ ભગવન્સને ને સુખ કરવાને માટે કન્યાના મેળાપ ગુરૂ ( ગાર ) જ કરાવે છે, તે તમે મને દીક્ષા રૂપી કન્યા આપશે! એટલે શુભ પરિણામ રૂપી રાજા પાતેજ પાતાની એ બધી કન્યાએ મને આપશે, માટે આપ શુભ લગ્નમાં દીક્ષા આપે અને કૃપા કરો. ધના કાર્યોંમાં વિલંબ કરવા યુકત નથી. ” પછી ગુરૂએ દીક્ષિત કરેલા તે રાજા પદ્મસેનુ મનુષ્યના પુરૂષાર્થાદિ ગુણાથી યુકત થઇ મેહ કથી સુકતા થઇ ગયા ત્યારે ગુરૂ બેલ્યા “ હે મુનિ, તારે હવે માતાની સેવા કરવી માતા
૧૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org