________________
ભાવતત્ત્વના સ્વરૂપ ઉપર ચાદરની કથા.
૧૮૫ શિવાય આ લોકમાં અને પહેલેકમાં ચરણ ન રહે. પ્રાયે કરીને કન્યા પરણ્યા પછો પુત્ર સહાય કરનારી માતાને માનતા નથી એમ કહેવાય છે. માતાના ચિત્ત-નગરમાં મેહ રાજા રાજ્ય કરે છે, તે બહુ કાલે આવેલા સેવકોને જોઈ રોષ પામે છે. પછી તેમને ક. મંરૂપી સેવકેની પાસે મળમૂત્ર વિગેરેથી ભરેલા ગર્ભરૂપી કારાગૃહમાં નીચાં મુખ અને ઉંચા પગ રખાવી કેદ કરાવે છે, પછી મેહના વિધ વિના પિતાના આહારમાં શ્રી તે માતા તેમનું પિષણ કરે છે અને પોતાની સાથે સુવાડે છે તથા જગાડે છે. જ્યારે તેઓને બુદ્ધિ ઉત્પન્ન થાય છે, ત્યારે તેઓ મસ્તક ઉપર બે હાથ જોડી દુઃખી થઈ મહરાજાને આ પ્રમાણે ઉંચે સ્વર વિજ્ઞપ્તિ કરે છે– “હે રાજા, અમે અજ્ઞાનથી અંધ અને સ
ગતિથી રહિત છીએ. અમે જ્યાં રહીશું, ત્યાં તમારી આજ્ઞાને તાબે થઈને રહીશુ.” તેમની આ વિનંતિ સાભળી તે રાજા શાંત થઈ તેમને તે ગર્ભરૂપી કારાગૃહમાંથી છોડે છે. મુસિપાલ-રક્ષકએ હાથમાં પકડેલા તેઓ તે વખતે નિર્બલ થઇ રેવા લાગે છે, પછી દયાળુ હૃદયવાલી એ માતા તેમને સુવર્ણ વિગેરે આપી તેઓને મુક્ત કરે છે, પછી તેઓ પિતાને ઘેર ચાલ્યા જાય છે. રૂપ બદલાઈ જવાથી કેઈ તેમને એલખતું નથી, તેથી તેમને પાણી કે ભેજન કાંઈ આપવામાં આવતું નથી તે કાળે તેમને સુધા તૃષાથી પીડિત એવા જે તે માતા તેમને દૂધ પાય છે અને વિષ્ટા વિગેરેથી અંગે લીંપાએલા તેમને શગ લાવ્યા શિવાય સાફ કરે છે. જે તેઓ અભય ખાય છે, તો તેમને વારે છે અને ગ્યમાર્ગો ચલાવે છે, સારાં વસ્ત્રાભરણેથી નિત્ય શણગારે છે અને તેમના શરીરનું પિષણ કરાવે છે. પતિના આદરથી તેમને નીશાળે ભણવા મોકલે છે અને દ્રવ્યનો સારો ખર્ચ કરી તેમને વિધિથી પરણાવે છે, પછી જ્યારે કન્યા આવે છે, ત્યારે તે પુત્રો રેગની પીડા થયા શિવાય તે માતાનું નામ પણ લેતા નથી, બીજું વધારે શું કહેવું ? હે રાજા, એક કન્યા આવતાં આવું થાય છે, તો પછી જે દશ કન્યાઓ આવે, તો તેની શી વાત કરવી ? પરંતુ તું આ વિશ્વમાં ઉત્તમ છે, માટે તે દશ કન્યાઓનું સદા આરાધન કયું ” તે સાંભળી વિસ્મય પામેલે રાજા ગુરૂ પ્રત્યે બે
-“ભગવન, માતૃભકિત ગૃહસ્થને કરવી ઘટે છે. કાંઈ યેગીઓને કરવી ઘટતી નથી. લોકશામાં બ્રહ્માણી પ્રમુખ સાત માતાએ કહેલી છે. તેમજ મિત્રપત્ની વિગેરે પાંચ માતાએ કહેલી છે. એટલે સાત અને પાંચ માતાઓ કહી છે. તે માતાની ભકિતમાં મારું મન છે, પરંતુ તે સાત અને પાંચ માતાઓ માટે પૂરતી છે, તથાપિ ગુરૂનું વચન ઉદ્ઘઘન કરવાને હું સમર્થ નથી ક૨વૃક્ષના જેવા ગુરૂએ તત્વને કહે છે, તે મન કલિપત એવા તે અર્થને સ્પષ્ટ કરવા અને તેને તત્વાર્થ હમણાંજ કહે. ” સિદ્ધાં
૧ ચરણ–ચારિત્ર અને પગ5.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org