________________
ભાવતત્ત્વના સ્વરૂપ ઉપર ચંદ્રદરની સ્થા.
૧૮૧
**
તિમા વહન કરી. આ પ્રમાણે અગીયાર પ્રતિમાઓનુ વહન કરી જેવી રાજા પદ્મસેનની ઇચ્છા દીક્ષા લેવાની થઇ, તેવામાં દૈવયેાગે ગુરૂ બ્રહ્મગુપ્ત સૂરિ આવી ચડયા. ઊદ્યાનપાળ પાસેથી તે ખબર જાણી રાજા હર્ષોંથી ગુરૂ પાસે ગયે અને વિધિથી તે વંદનીય ગુરૂને વંદના કરી તેણે આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી. હે ક્ષમાપતિ, સુખના બેટા આભાસ રૂપ એવા ગૃહાવાસ ઉપર મને નિવેČદ ઉત્પન્ન થયા છે, માટે સુખ ધના કારણુ રૂપ એવું અન ગારપણું મને આપેા. ” ગુરૂ ખેલ્યા “ મહાભાગ, તું પ્રથમ દેશ કન્યાઓને પરણીશ અને તે કન્યાએ માં તારા પ્રેમબંધ થશે, ત્યારે હું તને દીક્ષા આપીશ, તે શિવાય નહિ આપું. ’” તે સાંભળી રાજા વિચારમાં પડી ગયેા કે, “ ગુરૂએ આ શું કહ્યું ? સાધુએને આવું વાકય કહેવું ઘટિત નથી, કારણ કે તે તે વાદ નિવારણ કરીને નિવૃત્તિ માગેજ ચાલનારા છે.” આ પ્રમાણે વિવિધ વિચાર કરી રાજાએ ગુરૂને કહ્યું, “હું આગળ પરણેલી સ્ત્રીઓને છેડી દેવા ઈચ્છું છુ, તે ફરી બીજી સ્ત્રીઓને કેમ પરણું ? ” ગુરૂ ખેલ્યા. રાજનું. એ ચૈતના સહિત દશ કન્યાએ તારે હાથ આવી હશે, તે જ તારી દીક્ષા સફલ થશે. રાજા એ મારા કહેવાના ભાવાર્થ કહું તે સાંભળ જે જાણવાથીજ માણસ શરીરે પણ સુખી થાય છે. પુણ્ય કથી એવા આ મનુષ્ય ક્ષેત્ર રૂપી શરીરમાં જેમાં રત્નાએ અધકારનેા નાશ કરેલા છે. એવું સ્વાંત-હૃદય નામે એક નગર છે તે સ્વાંત-હૃદય રૂપ નગરમાં ચિર-અધ્યવસાય-શુભાધ્યવસાય નામે એક લોકસમૂહને પ્રિય એવા રાજા છે. તે રાજાને ઘણી પ્રિય સ્ત્રીએ છે, તેઓની સાથે તે અનુક્રમે ક્રીડા કરે છે. તેઓમાં શાંતિ નામની એક સ્ત્રી છે, તેણીને ક્ષમા નામે પુત્રી હૈં, બીજી રૂચિ નામની સ્ત્રી છે. તેણીને દયા નામે પુત્રી છે. ત્રીજી વિનયતા નામે સ્ત્રી છે, તેને મૃદુતા નામે કન્યા છે. ચેાથી સમતા નામે સ્ત્રી છે, તેણીને સત્યતા નામે પુત્રી છે. પાંચમી શુદ્ધતા નામે સ્ત્રી છે, તેણીને ઋજુતા નામે કન્યા છે. છઠ્ઠી પાપભીરૂતા નામે સ્ત્રી છે, તેણીને અવરતા નામે પુત્રી છે. સાતમી નીરાગતા નામે સ્ત્રી છે, તેણીને બ્રહ્મરતિ નામે કન્યા છે. આઠમી નિર્લોભતા નામે સ્ત્રી છે, તેણીને મુકતતા નામે કન્યા છે. નવમી પ્રજ્ઞા નામે સ્ત્રી છે, તેણીને વિદ્યા નામે પુત્રી છે. અને દશમી વિરતિ નામે સ્ત્રી છે, તેણીને નિરીહતા નામે કન્યા છે. હેરાજા, જો તારા હૃદયમાં હમણાં દીક્ષા લેવાની અભિલાષા હાય તેા તુ એ દશ કન્યાઓનું પાણિગ્રહણ કર્યાં.” આ સાંભળી રાજા બેન્ચે-“ હું શ્રીગુરા ! તમારા પ્રસાદથી મેં તે કન્યાઓના સ્થાન અને તેમના માતાપિતાનાં નામ જાણ્યાં છે, હવે મને તે કન્યાઓની પ્રાપ્તિના ઉપાય કહા, અને તેમના પ્રભાવ કહેા. જેથી હું તમારા પ્રસાદથી વિષાદ રહિત થાઉં.” ગુરૂ બેાલ્યા, રાજા, તારે તે કન્યાના પિતાને પ્રથમ તારા હૃદયરૂપી નગરમાં રાખવા, એટલાથી સંતુષ્ઠ થઇને તે તને વાંછિત ફળ આપશે. વળી વિવાહના કામમાં પુરૂષો સ્વભાવથીજ
ઃઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org