SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પિતાને નિર્વાણ સમય જાણી પ્રભુજીશ્રી સમેતશિખર ગિરિ ઉપર ગયા, ત્યાં છ હજાર મુનિઓની સાથે અનશન વ્રત અંગીકાર કર્યું, એક માસ સુધી અનશન પ્રભુએ પાળ્યું. અશાડ માસની કૃષ્ણ સપ્તમીને દિવસે ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતાં કાર્યોત્સર્ગ રહેલા અને શુદ્ધ શુકલધ્યાનથી વિરાજતા શ્રી વિમલનાથ પ્રભુ છહજાર મુનિઓ સાથે મેક્ષમાં પધાર્યા. તે વખતે રાજા અને ઇં ખેદ કરતા ત્યાં આવ્યા. પછી પ્રભુનનિર્વાણ મહોત્સવ ભક્તિપૂર્વક કર્યો. જે હકીકત અહિં આપવામાં આવેલ છે, તે વાંચવાથી ભક્તિ પ્રગટ થાય છે. પ્રભુને નિર્વાણમહોત્સવ કરી દેવતા, મનુષ્ય વગેરે સ્વસ્થાને જાય છે. પ્રભુ કુમારપણામાં અને વ્રતમાં પંદર પંદર લાખ વર્ષે, રાજ્યમાં ત્રીસ લાખ વર્ષો મળી સાઠ લાખ વર્ષનું તેમનું આયુષ્ય હતું. સ્વયંભુ વાસુદેવ પિતાનું સાઠ લાખ વર્ષનું આયુષ્ય ભોગવી પાપકર્મના રોગથી છઠ્ઠી નરકે ગયે. ભદ્રબળદેવ મુનિ ચંદ્ર મુનિની પાસે દીક્ષા લઈ પિતાનું પાંસઠલાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મોક્ષમાં ગયા. ઉપર પ્રમાણે ગ્રંથકાર સૂરિજી મહારાજ પાંચમા સગ સાથે આ ચરિત્ર પણ પૂર્ણ કરે છે. છેવટે પ્રશસ્તિ (પા. ૩ર૭ થી પા. ૩૨૮) આપેલ છે. જેમાં પિતાના ગુરૂ મહિમાનું વર્ણન કરી ગુરૂભક્તિ દર્શાવેલ છે. અને આ ગ્રંથ રચવાને હેતુ તેમજ કયા ક્ષેત્રમાં કઈ સાલમાં કયા મહિના, તીથીવારના રોજ ગ્રંથ પૂર્ણ કરેલ છે તે જણાવી (જે હકીકત આ પ્રસ્તાવનાના પાના ત્રીજામાં સંક્ષિપ્તમાં જણાવેલ છે.) પ્રશસ્તિ પૂર્ણ કરેલ છે. ઉપર પ્રમાણે સંક્ષિપ્તમાં અમોએ આ ગ્રંથને સાર વાચકની સુગમતાની ખાતર આપવામાં આવેલ છે. આ મહાન ઉત્તમ પુરૂષના ચરિત્રને ગ્રંથ પઠન પાઠન કરવા જે, અતિ આનંદ ઉત્પન્ન કરનાર, જ્ઞાન, દર્શન, ચારિત્રના પ્રભાવને પ્રકટ કરનાર અને ધમને મહામંગળ પ્રાપ્ત કરાવનાર હોઈ તેથી આત્મભાવના, આત્મજાગ્રતિ અને આત્મિક આનંદ પ્રકટ કરનાર અનુપમ અને મનહર રચને આ ગ્રંથની છે, એમ વાચકવર્ગને જણાયા સિવાય હેશે નહિં; તેમ જાણે આ તેરમા જિનેશ્વર શ્રી વિમલનાથ પ્રભુના ચરિત્રને ગ્રંથ પ્રકટ માં આવેલ છે. છેવટે પરમાત્માની પ્રાર્થના કરીએ છીયે કે આ ગ્રંથના વાંચન મનન કરે વણથી અનેક ભવ્યાત્માઓ તેવા પદના અધિકારી બની અક્ષય અમરપદ પામે. અને છે પંથની શુદ્ધિ માટે યથાશક્તિ પ્રયત્ન કરવામાં આવેલ છે, છતાં દષ્ટિદેષ કે આ છે છે કે પ્રમાદના કારણે કેઈ સ્થળે ખેલના જણાય તે મિથ્યાદુકૃતપ્રેદેાષ કે એ એ છીએ અને અમને જણાવવા વિનંતિ કરીએ છીએ. પૂર્વક ક્ષમા માંગી આત્માનદ ભવ. ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ. વસંતપંચમી. સં. ૧૯૮૫ આત્મ સંવત : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy