SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવતત્વના સ્વરૂપ ઉપર ચાદરની કથા ૧૭ અરે આત્મા, તું મારી સમીપ રહેલો છે. છતાં મેં તને ઓળખે નહીં, પણ હવે આ પણ બંનેની એકતા થઈ છે, તે હવે તું મારી પાસેથી કેમ જાય છે? જયારે રૂપમાં રૂપને પ્રવેશ થાય છે અને પિતાનામાં જીવ–આત્માનું દર્શન થાય છે, ત્યારે ચિત્ત અને આત્માના સ્વરૂપને એક શેષ થઈ જાય છે.” આ પ્રમાણે ભાવથી પ્રકાશમાન એવે ચંદ્રદર રાજા ઉજ્વળ એવા કેવળજ્ઞાનને પ્રાપ્ત થયો, તે સમયે નજીકના દેવતાઓએ તેને મુનિશ અર્પણ કર્યો અને કેવળજ્ઞાનનો મહિમા કડી સુવર્ણનું કમળ બનાવ્યું, તે કમળ ઉપર બેસી કેવળી ચંદ્રોદર મુનિએ વિધિથી દેશના આપી. તેથી અનેક મનુષ્ય પ્રકાશમાન થઈ માર્ગાનુસારી થઇ ગયા. રાણી કળાવતી, મંત્રી ધર્મરૂચિ તથા જિનદાસ અને બીજા ધન્ય લોકોએ હર્ષથી તપસ્યા ગ્રહણ કરી. ઘણા લેકે દેશવિરતિને અને બીજાઓ સમ્યકત્વને પ્રાપ્ત થયા. પછી તે ચંદ્રોદર કેવળીએ વિહાર કરી ધમની પ્રભાવના કરી, છેવટે અનશન લઈ દેહનો ત્યાગ કરી તે અંદર કેવળી આ પૃથ્વી ઉપર શુદ્ધામા થઈ સિદ્ધિને પ્રાપ્ત થયા. બ્રહ્મગુપ્તિ કહે છે, હે રાજા પાસેન, એવી રીતે ભાવનાને ભાવનારા અનેક જીવે સુખદાયક મોક્ષપદને પામ્યા છે અને બીજાઓ પામશે તેથી તમે ભાવના ભાવે. હે રાજા એવી રીતે શ્રી ધર્મરૂપી કલ્પવૃક્ષની સર્વ વિશ્વને છાયા કરનારી ચોથી ભાવના રૂપી ઉત્તમ મહાશાખા મેં તમને કહી. એ ચારે શાખાઓમાં તું યથાગ પ્રમાણે સ્થિતિ કર્યો કે જેથી તારા જન્મમાં તને આ સંસારને સંતાપ થાય નહીં.” આ પ્રકારની દેશના) સાંભળી રાજા પદ્ધસેન ગીરવતાથી ગુરૂ પ્રત્યે બે. “ભગવન, તમારા વચનનું યથા વિધિ આરાધન કરવાથી દેવતાઓ પણ નમસ્કાર કરે છે. હવે વિચાર કરવામાં ચતુર હૃદયવાળા આપ મને આ સંસારમાં જે ધર્મની ગ્યતા હોય તેને ઉપદેશ આપ.” ગુરૂ બોલ્યા. “હે પૃથ્વીપતિ, આ ઉજ્વળ એવા મનુષ્યભવમાં પાપનો નાશ કરનારી સર્વ ધર્મોની યોગ્યતા રહેલી છે તેમાં તમારા જેવા સગુણી સમ્યગદષ્ટિ પુરૂષની વિશેષ યેગ્યતા છે. પરંતુ અનુક્રમે ચડવાથી પડી જવાય નહિ, માટે પ્રથમ તમે શ્રાવક ધર્મનું પાલન કરે. પછી વિદ્વતાવાળી દીક્ષા ગ્રહણ કરજે.” આ પ્રમાણે કહી તે દયાળુ રાજાને ગુરૂએ આદરથી સમ્યકત્વ સહિત હિતકારી એવી દેશવિરતિનું દાન આપ્યું. રાજા પદ્મસેન સુદર્શનવડે યુકત અને સારા ગુણવાળો જિનધર્મને પ્રાપ્ત કરી ઘણે ખુશી થઈ ગયો એ ઘટે છે. પછી રાજા પિતાના સ્થાનમાં ગયે અને ગુરૂએ પણ વિહાર કર્યો. ૧ એકશેષ–એકરૂપ. ૨ સુદર્શન–સારૂ દર્શન-સમ્યગદર્શન પક્ષે સુદર્શન ચક્ર. ૩ સુગુણ-સારા ગુણ પણે સારી રી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy