SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિમળનાથ ચરિત્ર. પુરૂષે પોતાની મેલેજ જાણી લેવા.” પછી રાજપુત્રી બલી-“પ્રભે, આ મારી બહેન જે વિદ્યાધરની પુત્રી છે, તે કવીન અને ગુણવતી છે. તેણેને વારે કેમ મલતો નથી? ” તે સાંભળી રાજા બોલ્યો-“ભકે તું ભદ્રિક હૃદયની છે. અને ગુણરહિત જીવોમાં પણ ગુણ જનારી છે. જેમ બરફ બાહેરથી શીતલ છે, પણ તે અંદર દાહ કરનારૂં છે, તેવી રીતની એ વિદ્યાધરની પુત્રી છે, માટે હું તેણીને ભજતો નથી, હે વિચક્ષણ વનિત , તારે પણ તેણીને સંગ દાસીની જેમ બહેરથી કરે, પણ કદિ અંતરથી કરે નહિ. જે માણસ ઉત્તમ જનોની સાથે સંગતિ, પંડિતની સાથે વાર્તાલાપ અને નિર્લોભી ઉદાર જનની સાથે મૈત્રી કરે, તે દુઃખી થતું નથી. જે અવંશ-સારા વંશ વગરને હોય પણ જે તે ગુણની પ્રાપ્તિ કરે છે, તો તે પૃથ્વી ઉપર ધર્મપણને પ્રાપ્ત થાય છે અને સુવંશ-સારા વંશવાળો હોય પણ જે તે ગુણ રહિત રહે છે, તેને દંડપણાને પામે છે. શેરીનું જલ ગંગા સંગથી મહાદેવને પણ માન્ય થાય છે અને દૂધ મદિરાના પાત્રના સંસર્ગથી લેકમાં માન્ય થતું નથી.” રાજા ચંકેદરના આવાં વચન સાંભળી રાણી કલાવતી બેલી “સ્વામી ગમે તેવી તે પણ તમારા આશયથી મારે માન્ય છે. કાણું દષ્ટિ આંખ પણ બીજી નિર્મળ આંખના આશ્રયથી માનનીય થાય છે. ચંદ્ર દેષાકર છે અને વાંકા શરીરવાલે, પરંતુ શંકરે પિતાના મસ્તક ઉપર ધર્યો છે. તેથી જે પતાતું આશ્રિત થયું હોય, તેના દેષને વિચાર ન કરવું જોઈએ. માટે હે દેવ, હવે પ્રસન્ન થઈને તેને વારે આપો.” રાજા ચંદ્રદર બે-“અરે, તું દુષ્ટ સને પિતાનું દૂધ પાય છે. પછી તેના વચનથી રાજા ચંદરે રૂચિ સિવાય તે વિદ્યાધર પુત્રીને વાર આપે, કારણ કે પવિત્ર-આચરવડે તે કલાવતી રાણીનું વચન ઉલ્લંધન કરી શકાય તેમ ન હતું. જ્યારે વિદ્યાધર પુત્રી રુકિમણનો વારો હતો, તે રાત્રે કલાવતી શ્રી જિન ભગવાનનું ધ્યાન ધરી બેઠી અને જરાપણ ક્રોધ લાવ્યા વગર દેવકથી પણ અધિક સુખ માનવા લાગી ! રાણું કલાવતી મંત્રી ધર્મરૂચિની સાથે સંતેષના પિષણવાળી થઈ, ધર્મ સંબંધી વિચાર અહર્નિશ કરતી હતી. વિધિને જાણનારી તે રાણી સમ્યકત્વ મૂળ અને ગુણના સ્થાનરૂપ ઉત્તમ શ્રાવક ધર્મના કર્મને વિશેષ આદરથી કરતી હતી. બાલ્યવયથી બ્રાચારી, છઠ્ઠ તથા અઠ્ઠમ તપ કરવામાં તત્પર, દશ પ્રકારના ધર્મમાં રૂચિવાળે, અને સદા શુદ્ધ એ ધર્મરૂચિ મંત્રી રાજપુત્રી કલાવતીનું પિતાની પુત્રીની જેમ બહુમાન કરતા હતો. કારણ કે, સમ્યકત્વધારી મનુબેને પિતાના સાધર્મબંધુ બંધુથી પણ અધિક નક ગુણ એટલે સારા ગુણ અને પક્ષે દેરી. ૧ સારી વાંસને જે ગુણ-દોરી બાંધવામાં આવે તો તે ધનુષ્યના ધર્મવાળો થાય છે. નહી તે દંડ-લાકડીરૂપે વપરાય છે. ૨ દષા -દોની ખાણરૂપ પક્ષે દોષા–રાત્રિને કર કરનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy