________________
૧૬૬
શ્રી વિમળનાથ ચરિત્ર, હશે નહીં અને તે હોય તો તેને જય થાઓ કે જેથી સર્વ પ્રાણીઓને સુખ થાય આ પ્રમાણે સર્વ લેક કહેતા હતા તેવામાં કિરણોના સમૂહથી દિશાઓને પ્રકાશમાન કરતો કઈ પ્રાણ રહિત પુરૂષ આકાશમાંથી પડયે “હે નાથ, ચંચળ જીવિતને ત્યાગ કરી તમે દેવાંગનાને વર્યા હશો પરંતુ તમારા વિના હું ઉગ્ર દુઃખને શી રીતે સહન કરી શકીશ ?” આ પ્રમાણે આકાશમાં વિલાપ કરતી કેઈ સ્ત્રીનું રૂદન સાંભળી બધા લોકો શેકાકુલ બની ગયા પછી રાજાએ દીપક મંગાવી તે પડેલા પુરૂષને મૃત્યુ પામેલે જે તે કુમાર ચંદિરને ઓળખી તેણે રૂદન કરવા માંડયું, રાજકુમારી પણ કુમારને મૃત્યુ પામેલો જાણી ઘણી શકાતુર બની ગઈ, અને તેનું સેવકોની પાસે ચિતા પ્રવેશની સામગ્રી કરાવા લાગી. રાજા રાણી અને સર્વ લેકે પણ તે કર્મ કરવા લાગ્યા પછી રાજકુમારી કુમારને ચિતામાં આજે પણ કરી સ્નાન કરી, આરાધનાનો વિધિકારી અને પંચ નમસ્કારનું સ્મરણ કરી જેવામાં ઝંપાપાત રવા જાય છે, તેવામાં કુમારે આકાશમાંથી આવી પોતાની પ્રિયાને કહ્યું સાહસ ક્યું નહીં સ્થિર થા, કારણ કે સ્થિરતાવાલામાં લક્ષ્મી નો સંભવ છે. ” પછી સર્વ લોકોની સાથે રાજકુમારીએ ઉંચું જોયું ત્યાં ઉત્તમ પરાક્રમવાલા કુમારને ઘણા હર્ષથી જે ને કુમાર વિમાનમાંથી તરત ઉતરી ભુમિચારી થયે. રાજા તેને જોઈ સપરિવાર હર્ષિત વદન બની ગયા. રાજકુમાર રાજાને નામી સારા સ્થાન ઉપર બેઠે પછી રાજાએ નજરે જોયેલે આકાશના યુદ્ધ વિષે સારી રીતે પૂછયું એટલે કુમાર છે, “કેઈ દુષ્ટ દેવીએ કરેલું તે છળ હશે.” આ પ્રમાણે તેઓ ભાષણ કરતા હતા તેવામાં પેલું મુડદું આકાશમાં ઉડીને ચાલી ગયું તે સમયે સર્વ લોકોને અને કુમારને પુર્નજન્મ પ્રાપ્ત થયે, તે જ વખતે માટે ઉત્સવ થયે અને સર્વ લોકેને નગરમાં સુખરૂપ પ્રવેશ થયે; તેમાં પરણીને આવેલા રાજકુમારને તો વિશેષ સુખરૂપ પ્રવેશ થ. રાજા એ હર્ષથી વિવાહના કરતા પણ અધિક ઉત્સવ કરી રાજકુમારને લક્ષ્મી થી યુકત એવું એક ઉત્તમ મંદિર આપ્યું. રાજકુમારને ત્યાં પિતાના ઘરના કરતા અધિક સુખ હતું છતાં પણ તેને ચહેન પડતું ન હતું કારણ કે મહાન પુરૂષને સસરાને ઘેર વસવું એ શોભા માટે થતું નથી.
એક વખતે માતાપિતાના ચરણ કમળમાં ભ્રમરૂપ એવા કુમારે હર્ષથી પિતાના વતન તરફ ચાલવાને માટે રાજાની આજ્ઞા માગી ત્યારે કાર્યને જાણનારા રાજાએ તેને વધુ સહિત જવા માટે આજ્ઞા આપી અને તે જ સમયે હર્ષથી હાથી, ઘડા વિગેરે કુમારને અર્પણ કર્યા; પિતાની પુત્રીને વસ્ત્રાભરણથી સન્માન કરી રાજાએ આ પ્રમાણે કહ્યું, વત્સ તારે કદિપણ જિન ભગવાનનું ધ્યાન છેડવું નહિ, દાન પૂર્વક ભજન કરવું, અભક્ષ્ય એવા અનંતકાય વિગેરેને ત્યાગ કરવો, ન્યાયથી મેળવેલું ઘણું દ્રવ્ય સાત ક્ષેત્રમાં વાપરવું. રૂચે તેટલું વખતસર ભોજન કરવું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org