SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિમળનાથ ચરિત્ર, (મદેન્મત્ત થયેલ) તેને જે. રાજાના સૈન્યને દળી નાખતો, લોકોમાં કલહ ઉપજાવતે અને પેદળની પંક્તિને તેડી પાડતો તે ગજંદ્રને જોઈને રાજાએ આ પ્રમાણે કહ્યું ‘ પ્રજાઓના સમૂહને પડનારા આ અદ્ભુત ગજેને પિતાના ભુજબળથી વશ કરી શકે તે કઈ ક્ષત્રિયથી થયેલો પુરૂષ છે ?” આ પ્રમાણે કહી મજા જે જે ક્ષત્રિયના મુખ ઉપર પોતાના ને નાખો, તે તે ક્ષત્રિયનર ધેય છેડીને નીચું મુખ કરવા લાગ્યા. તે કાલે ઘણા લોકોને મારતા તે ઉન્મત્ત ગજેને જોઈ રાજાએ નિવા છતાં કુમાર કોદર પરમ ક્ષાત્ર તેજને ધારણ કરતો આદરથી રાજકન્યાની સાથે બાંધેલી છેડાછેડી છોડી દઈ તે ગજેંદ્રની સામે આવ્યું. તેણે પ્રથમ કાનમાં ઊગ્ર લાગે તે સિંહનાદ કર્યો. તે સાંભળી તેગનેંદ્ર પણ ક્ષણવાર ભયાકુલ બની ઊભો રહે, પછી જ્યારે તેણે પિતાની આગળ મનુષ્યને જોયા એટલે ધિથી ઉદ્ધત થઈ પિતાના વેગથી પૃથ્વીને કંપાવતે તે ગજેંદ્ર કુમાર તરફ દેડી આવ્યું. ગજેદ્ર ડાબી તરફ વેગથી વળી શકતો નથી એમ જાણી તે બલવાનુ કુમાર તે ભાગ તરફ આશ્રય કરી ઉભું રહે. સ્વબળથી અને છfથી દુષ્ટ જીતી શકાય છે, તે પ્રમાણે ચંદ્રોદર કુમારે તે ભયંકર ગજેંદ્રને તાબે કરી લીધે ગજારોહણની કલામાં ચતુર એવો કુમાર તે ગજેન્દ્ર ઉપર ચડી ગયે. તે જે સમગ્ર રાજવર્ગ હર્ષિત થઈ ગયે. તેવામાં તે ગજેન્દ્ર પક્ષીની જેમ તે કુમારને લઈ આકાશમાં ઉડે. તે જોઈ લેકોના નેત્રો વિસ્મય પામી ગયાં. મદના જલને ચિતરફ વર્ષાવત ગજનાના સમૂહથી ગાજતો અને અને કુમારની કાંતિરૂપ વિદ્યતને ધારણ કરતા તે ગજેંદ્ર મેઘની જેમ આકાશમાં ચાલવા લાગ્યા. જ્યારે કુમાર ચૌટાનું ઉલ્લંઘન કરી ગયો. એટલે કલાવતી ચિ તવવા લાગી કે “હું મંદ ભાગ્યવાળી આવા પતિને યુગ્ય થઈ નહીં. મારા હાથમાંથી ચિંતામણિ ચાલ્યો ગયે, આંગણામાંથી કલ્પવૃક્ષ ગયું, ઘરમાંથી કામકુંભ ગયો અને મુખમાં આવેલો કળીયે પડી ગયો. હુ અનંત પાપવાળી કયાં? અને પુણ્યથી ઉત્પન્ન થયેલ તે પ્રભુ કયાં? મારે તેવા પુરૂષની સાથે સંગમ કયાંથી થાય? કારણકે, પુણ્ય અને પાપને વર છે. પૂર્વ વિદ્વાનોએ મને માતંગગતિ રૂપે વર્ણવેલી હતી, તેથી મારા હાથના સ્પર્શથી મારા પતિ માતંગની સંગતિવાળા બની ગયા. પવિની ખરેખર પંકા-કાદવમાંથી થયેલી છે, તે ઈન-સૂર્યના કિરગોચર થવાથી શુભ દિવસે પ્રકાશને પામે છે પરંતુ તે દિયમાં પ્રકાશને પામતી નથી, પૂર્વે લલાટના ૧ માતંગગતિ એટલે ગજગામિની-હાથીના જેવી ચાલવાળી પક્ષે માતંગ-ચંડાળની ગતિવાળી, તેથી મારા કરસ્પર્શથી આ કુમાર માતંગ સંગતિ-ચંડાળની સંગતિવાળા થયા. પક્ષે માતંગ-હાથીની સંગતિવાળા થયા. ૨ કરાચર-હસ્તચર પક્ષે કિરણગોચર, ઇન-સૂર્ય પક્ષે ઇન–સ્વામી. ૩ ષોદય-દોષને ઉદય પક્ષે દોષા-રાશિનો ઉદય. કહેવાનો આશય એ છે કે, પદ્મિની–(લક્ષ્મી) પંકજ-(પાપરૂપ) કાદવમાંથી પેદા થયેલી છે, પણ તે ધર્મરૂપ સૂર્યના કિરણના સંગથી શુભ દિવસે પ્રકાશ પામે છે, પણ દોષોદયમાં–પાપરૂપ રાત્રિના ઉદયમાં પ્રકાશને પામતી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy