SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ઝ સવને નિયમ થતો હોવાથી સમ્યકત્વ મૂળ બાર વ્રતોનું ગ્રહણ પણ થાય છે. એ વ્રત વિધિપૂર્વક પાળવાથી દેવદત્તની જેમ સુખી થાય છે અને એ વ્રત લઈ તેની વિરાધના કરે છે તે જયદત્તની જેમ મરણાદિ દુઃખ પામે છે. આ કથા પા. ૨૮૮ થી ૨૯૧ સુધી આવેલ છે. દશે દિશાઓમાં જવાને માટે જે પ્રમાણ કરવામાં આવે છે તેને પ્રથમ ગુણવત કહેવામાં આવે છે. અને તે ગ્રહણ કરી જેમાં તેને પાળે છે તેઓ રિહિણેથની જેમ સ્વ અને પરજીવનું રક્ષણ કરે છે અને તે ગ્રહણ કરી પ્રમાદ અને લેભથી વિરાધે છે, તે રોહિણેયના પિતાની જેમ નાશ પામે છે. પા. ૨૯૧ થી ૨૯૫. જે ભોગપભોગની વસ્તુઓમાં વજેવા યોગ્ય હોય તે વજિ શકાય તેવી ન હોય તે તેની અંદર અમુક સંખ્યાને નિયમ કરે તે સાતમું (બીજું ગુણવ્રત)ભેગોપભેગ વિરમણ વ્રત કહેવાય છે. તેને અંગીકાર કરી તેનું પાલન કરતાં સ્વર્ણશેખરની જેમ દિર્ઘ આયુષ્ય અને પરલેકમાં સદૃગતિને પામે છે. અને લઈ તેની વિરાધના કરે છે તે મહેદ્રની જેમ અ૫ આયુષ્ય અને પરલોકમાં દુર્ગતિને પામે છે. તે દષ્ટાંત પા. ૨૫ થી પા. ૩૦૦ સુધીમાં આવેલ છે. જેથી મનુષ્યને અર્થ પ્રયજન વિના કમરૂપી રાજા ધર્મરૂપ દ્રવ્ય હરીને દંડ આપે છે તેથી તે અનર્થદંડ કહેવાય છે. જે પુરૂષો અનર્થદંડનો ત્યાગ કરે છે તેઓ આ પૃથ્વીમાં વીરસેનની જેમ સર્વ માન્ય અને પ્રશંસનીય થાય છે. અને અનર્થદંડને જેઓ આચરે છે તેઓ પદ્યસેનની જેમ મેટું દુઃખ પામે છે પા. ૩૦ થી ૩૦૪ શ્રી જિનેશ્વરોએ દિગવિરતિ વગેરે ત્રણ વત ગુણની પ્રાપ્તિને લઈને ભવ્ય શ્રાવકોના ગુણત્રત કહેલા છે. યતિઓનું સુંદર સામાયિકવૃત બે પ્રકારે કહેલ છે, તે સદા પાળવાનું છે. અને શ્રાવકોને સામાયિક ત્રણ પ્રકારનું કહેલું છે અને તે બે ઘધ પાળવાનું છે. એ સામાયિક શુદ્ધ પાળવાથી મનુષ્ય મોક્ષને પામે છે. જેથી એક લાખ સુવર્ણ જેટલું દાન તેની પાસે કંઈ ગણત્રીમાં નથી. સામાયક વ્રતને આશ્રય કરનાર કદિ તિર્યંચ હોય તો પણ એક વાનરની જેમ દેવપણાને પામે છે. અહિં એક વાનરની કથા આપવામાં આવેલ છે. પા. ૩૦૪ થી ૩૦૮. દેશાવકાશિક ગ્રત એ દશમું વ્રત છે. જે દિવસે અને રાત્રિના સચિત્ત વગેરેને સંક્ષિપ્ત કરવામાં આવે છે તેને કવીશ્વરએ મુખ્યપણે આ બી શિક્ષાત્રત કહેલ છે. હાલ તો શાસ્ત્રમાં વ્યવહાર માટે વિખ્યાત એવું દિકુવિરતિના સંક્ષેપને દેશાવકાશિક વ્રત કરે છે. આ વ્રત લઈ જે પુરૂષ તેની વિરાધના કરે છે તે પુરૂષ કાકજઘની જેમ આ લેક તથા પરલેકમાં દુઃખ પામે છે,કાકજંઘની કથા અહિં આપેલ છે. પા.૩૦૮ થી ૩૧૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy