________________
શ્રી વિમળનાથ ચરિત્ર, તેથી તે કલાએ નકામી થઈ ગઈ છે. માટે તમે ઉભા થાઓ અને તેને આનંદ આપનારી આ રાધાવેધની કલા દર્શાવો.” આ વચનો સાંભળી સ્થિર તેજવાલે, અસાધારણ કાંતિયુક્ત અને શ્રમને, જીતનાર કુમાર ચંદિર ઉત્સુક થયે નહિ, અને અભિમાની બળે નહિં. તે તરતજ આસન ઉપરથી ઉભે થયે, ધનુષ્ય અને ભાથું લઈ યંત્રની પાસે આવી તે ચંદ્રોદર કુમારે નિર્ભય થઈને હર્ષથી રાધાવેધ કરી દીધો. તે પછી રાજા રત્નસેને મને હર હૃદયવાલા તે કુમારને સર્વ પરિવાર સાથે ઉત્સવ પૂર્વક નગરની અંદર પ્રવેશ કરાવ્યું. રાજાનું સર્વ કુટુંબ વિવાહ વિધિની ઈચ્છાથી હર્ષકુળ બની ગયું, પરંતુ રાજકન્યાનું મુખ શ્યામવર્ણ થઈ ગયું, તે જોઈ રાજાએ કહ્યું. “વત્સ, આજ પૂર્ણમાને ઠેકાણે અમાવાસ્યા કેમ દેખાય છે? સર્વ કષ્ટને નાશ કરનારી તારી પ્રતિજ્ઞા જેણે પૂરી કરી છે, તે આ ધન્ય ચંદિર કુમાર છે, તે કુમાર સૌજન્ય ગુણનું પાત્ર, પોપકારી, કલાવાન, સુરૂપી, કુલીન, ધનવાન, પરાક્રમી, નીતિમાનું, સૌમ્ય, વિદ્યાવાનું, અને વિનયી છે. હે શુભે, તે પ્રિય મળતાં તારા મુખ ઉપર શ્યામતા કેમ રહે? જે તારા હૃદયમાં સપત્ની થવાની શંકા રહેતી હોય, તો તે વિષે ચિંતા કરવી નહીં, કારણ કે, આ કુમાર પુણ્યવાન છે” રાજાના આ વચનો સાંભળી તે કન્યા બોલી, મને સપત્નીની ચિંતા થતી નથી, પરંતુ મારી પ્રતિજ્ઞા પુરી થઈ નહીં, તેની ચિંતા થાય છે. મારા હૃદયમાં જે રાધાવેધની પ્રતિજ્ઞા છે, તે રાધાવેધ જુદે જ છે. ” તે સાંભળી તેની માતા રત્નમંજરી વિસ્મય પામીને બેલી“પુત્રી તેં બુદ્ધિથી કપેલો તે રાધાવેધ કે છે?” તેણી બેલી–“ તે રાધાવેધ અંતરંગ ( અંતરો) અને સિદ્ધિને આપવામાં કારણરૂપ છે. સાંભળે, તે રાધાવેધમાં કર્મ અને દુષ્કર્મ રૂપી બે શકે છે. તે વિવેકી પુરૂષે જાણવા યોગ્ય છે. આ સૃષ્ટિ અને સંહારને ભજનાર તે દુનીયારૂપી તેમાં આરા છે. જે સૃષ્ટિરૂપી આરા છે, તે સુખે વેદનીય છે, અને જે સંહાર રૂપી આરા છે, તે દુઃખે વેદનીય છે. તેમાં સંદેહના સમૂહરૂપ યંત્રની સાથે સૂમ લક્ષ્યરૂપે પરતત્વ રહેલું છે. જે પુરૂષ વિચાર રૂપી બાણ વડે તે લક્ષ્યને ભેદી શકે તે મારે પ્રિય છે. બાહરના રાધાવેધન કરનારા તે ઘણા પુરૂષ છે, તેમની સાથે મારે પ્રજન નથી.”
આ પ્રમાણે મહેલના ગેખ ઉપર રહેલ તે બંને માતા અને પુત્રી વાર્તા કરતાં હતાં, તેવામાં તે રાજમાર્ગે ચાલ્યો જતો કઈ પુરૂષ આ પ્રમાણે કલેક બે-“રાજપુત્રીને શુદ્ધ અને પ્રિય એવો આ રાધાવેધ ચંદર કુમાર જાણે છે. બીજે કે જાણતો નથી. એ નિશ્ચય છે.” આ ઉપશ્રુતિ જેવો લેક સાંભળી રાણી રત્નમંજરી અને રાજપુત્રીએ હર્ષથી તે ગેખની જાળીમાંથી દ્રષ્ટિ નાંખી. ત્યાં માર્ગમાં બંદીજનના વંદ સાથે ચંદર કુમારને જાતે જે. રૂપ વિગેરેથી પોતાની પુત્રીની સાથે તેની સર્વ રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org