________________
૧૫૮
શ્રી વિમળનાથ ચરિત્ર,
*
બની ગયા, તેણે કહ્યુ, “ હે વત્સે, તું વિવાહ કરાવવામાં વિમુખ કેમ થાય છે? મને તેનું કારણ સત્વર કહે; જો તું તારા અહિંના-પિયરના સ્વજન વર્ગને છેડી દેવા ઇચ્છતી ન હા, તે હું તને ગમતા એવા પુરૂષને અહિજ મેળવી આપુ. પુરૂષ અવિવાહિત રા શકે છે પણ સ્ત્રી અવિવાહિત રહા શકતી નથી, તેથી હું ધન્ય, તું સ્વનેને રાજી કરનારા વિવાહને કબુલ કર્યાં. ” રાજાએ આ પ્રમાણે કહ્યુ', તા પણ તે ગુણવંતી પુત્રી કલાવતી કાંઇપણ બેલી નહિ. એક વખતે તેણીની માતા રત્નસુ ંદરીએ તેણીને એકાંતે પૂછ્યું, ત્યારે તેણીએ પેાતાના હૃદયમાં રહેલા વિચારને અમૃત જેવી વાણીથી જણાવ્યેા, “ માતા, વિવાહની વાત કેને ન ગમે ? પણ મારે માટે જે કારણ છે, તે સાંભલ્ય. જે પુરૂષ રાધાવેધ કરી શકે તેવા હાય, અને એકજ પત્નીમાં પ્રેમી રહે તેવા હાય, તેવા પુરૂષને હું વર કરવાને ઇચ્છું છું. તે સિવાય કર્દિ ઇંદ્ર હાય તે પણ હું તેને વર કરવા ઇચ્છતી નથી. એવી જાતના વિદ્વાન્ અને પ્રૌઢ પુરૂષ ઉપર મારૂ મન રૂચે છે, પરંતુ તેવા કાઇ પુરૂષ હું જોતી નથી, એટલે હું સંતેાષ ધરીને બેઠી છું. ” પુત્રી કલાવતીને આ વિચાર રાણી રત્નસુંદરીએ રાજાને જણાવ્યેા, તે ઉપરથી રાજારત્નસેન જરા ખુશી થયા અને ચેતનાવાળા બન્યા. પછી તેણે પોતાના ચિત્તમાં લાંબેા કાળ વિચાર કર્યાં ?, “ સત્બુદ્ધિવાળા ચાદર કુમાર રાધાવેધની કૃતિને સારી રીતે જાણે છે, તેના જેવા કોઈ સદાચારવાળા કુમાર આ પૃથ્વી ઉપર બીજો નથી, તથાપિ સ્વયંવરની અંદર બીજા પ્રવીણ રાજકુમારા બેઠા હાય, તે વખતે રાધાવેધને સાધવાથી કુમાર ચંદ્રોદરની પ્રતિષ્ઠા થાએ. ” આવુ વિચારી રાજાએ સુવિચારી લેાકેાની સાથે એકમત થઈ રાજકુમારાને ખેલાવાને સવ સ્થળે ઘણા તે મેકલ્યા છે. અને મને ભેટ સાથે આપની પાસે મિત્રબુદ્ધિથી મેાકલ્યે છે. તેથી કામદેવને જીતનારા એવા આપના કુમારને જલદી ત્યાં માકલા. ” દૂતના આ વચન સાંભળી રાજા હૈના ઊત્ક પામી ગયા, અને તરતજ તેણે લાખા દક્ષપુરૂષામાં શિરોમણિરૂપ એવા ચંદ્રોદર કુમારને આજ્ઞા કરી. રાધાવેધ કરી પાણિગ્રહણ કરવામાં ઉત્કંઠાવાલેા પણ પિતાના વચનથી જરા શરમાયેલા ચંદ્રઢર કુમાર સૈન્ય સાથે ચાલી નીકળ્યા. અનુક્રમે ઉત્તમ દ્રવ્યના સમૂહથી ભારે એવી પૃથ્વીને આળગતા નિર્વિઘ્ને કાંપિલ્ય નગરીની સમીપે આવી પહેાંચ્યા. રાજા રત્નસેન પોતે દૂર સામે આવી, અને આદરથી માન આપી કુમારને વરની યાગ્યતા પ્રમાણે માન આપ્યું. ઇંદ્રના જેવા પરાક્રમવાલા બીજા પણ રાજપુત્રે. તેના બેલાવવાથી મદસહિત ( પ્રક પુ`ક) ત્યાં આવી પહેાંચ્યા. રાજાએ કલશેાની શ્રેણીથી યુકત અને તારણમાલાએ સુશેાભિત એવા એક મંડપ આદરથી કરાવ્યે.
મંડપની અંદર ઉદાર, શૃંગાર કરેલા અલવાલા અને મને હર કેાટી ગમે કુમારેા આવી શુભ આસન ઉપર બેઠા, તેમની વચ્ચે રહેલા અનેક કલાવાલે ચંદ્રોદર કુમાર ચંદ્રની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org